આ બેંકના ગ્રાહકોને ઝટકો
કેનેરા બેંકે તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકે સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે કે તેણે જુદી જુદી મેચ્યોરિટી પીરિયડ માટે માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. નવા દર 12 નવેમ્બરથી લાગુ થશે. હવેથી બેંકનો એક વર્ષનો MCLR 8.75 ટકા રહેશે. અત્યારે આ દર 8.70 ટકા છે. એક વર્ષના MCLRના આધારે, બેંક ગ્રાહકોને આપવામાં આવતી ઓટો, પર્સનલ અને હોમ લોન જેવી મોટાભાગની લોનના દર નક્કી કરે છે.
ફુગાવાને કાબૂમાં રખાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું છે કે સેન્ટ્રલ બેંક સંપૂર્ણપણે સતર્ક છે અને નાણાકીય નીતિનો હેતુ આર્થિક વૃદ્ધિને ટેકો આપવાની સાથે સાથે ફુગાવાને નિયંત્રિત કરવાનો છે. સરકારે રિઝર્વ બેંકને ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાને બે ટકા વધઘટની સાથે ચાર ટકા જાળવી રાખવાની જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે સારી સંચાલન વ્યવસ્થા, અસરકારક દેખરેખ, નૈતિક રીતે યોગ્ય પ્રવૃત્તિઓ અને રિસ્ક મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા અને સેલ્ફ-રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા ફિનટેકના સેલ્ફ રેગ્યુલેશનને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે…
દેશની જીડીપી કેટલી રહેશે?
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતના આર્થિક વિકાસ દર અંગે પોતાનો અંદાજ રજૂ કર્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2023 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.7 ટકા જાળવી રાખ્યું છે. મૂડીઝનું માનવું છે કે દેશમાં મજબૂત સ્થાનિક માંગને કારણે આવનારા સમયમાં વૃદ્ધિની ગતિ ચાલુ રહેશે.
હવે આ વિમાનમાં મળશે ઇન્ટરનેટ
વિસ્તારા એરલાઈન્સે ફ્લાઈટમાં ઈન્ટરનેટ સેવા આપવાનો નિર્ણય લીધો છે, અને આ સાથે વિસ્તારા આ સેવા શરૂ કરનાર દેશની પ્રથમ કંપની બની જશે. તેનાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે. ટાટા સન્સ અને SIA ની માલિકીની વિસ્તારા એરલાઈન્સે તાજેતરમાં બોઈંગ 787-9 ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં મફત ઈન્ટરનેટ સેવાની જાહેરાત કરી હતી. આ સુવિધા હાલમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને લંડનના હીથ્રો એરપોર્ટ વચ્ચે ઉપલબ્ધ છે. હવે કંપની એરબસ 321 નિયોમાં પણ આ સેવા આપવા જઈ રહી છે. ફ્લાઇટ દરમિયાન તમામ મુસાફરો મર્યાદિત સમય માટે આ સેવાનો લાભ લઈ શકશે.
ભારતમાં એર ટેક્સી આવશે
વિમાન કંપની ઇન્ડિગોનું સંચાલન કરતી ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે 2026માં ભારતમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. આ સેવા આર્ચર એવિએશનના સહયોગથી શરૂ કરવામાં આવશે. એર ટેક્સી દ્વારા કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધી પહોંચવામાં લગભગ સાત મિનિટનો સમય લાગશે..રોડ માર્ગે આ 27 કિલોમીટરની મુસાફરીમાં એકથી દોઢ કલાક લાગે છે… આનાથી દિલ્હી અને તેની આસપાસની મુસાફરીમાં લાગતો સમય ઘટશે અને લોકોને ભારે ટ્રાફિક જામમાંથી પણ રાહત મળશે.
બિલ્ડરોની દિવાળી સુધરી
રિયલ એસ્ટેટ ઉદ્યોગની દિવાળી લાંબો સમય ચાલશે… બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષના બીજા છ મહિનામાં દોઢ લાખથી વધુ મકાનોનું વેચાણ થવાની ધારણા છે… એવું માનવામાં આવે છે કે મકાનોનું વેચાણ પાંચ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. આંકડા અનુસાર, લક્ઝરી સેગમેન્ટમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે લગભગ 9,200 ઘરોનું વેચાણ થયું છે. એવો પણ અંદાજ છે કે તહેવારોની સીઝનમાં ઘર ખરીદવાના લોકોના નિર્ણયમાં વેગ આવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો