કેવી હશે PM E-BUS સેવા
જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક બસોનો ઉપયોગ વધારવા માટે PM ઈ-બસ સેવા શરૂ કરવામાં આવશે…. સરકારે 100 શહેરોમાં 10,000 ઈ-બસ ચલાવવા માટે આ યોજના શરૂ કરી છે… આ યોજના હેઠળ આગામી 10 વર્ષમાં 57,613 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઇ યોજનામાં એવા શહેરોને સામેલ કરવામાં આવશે જ્યાં સંગઠિત પરિવહન સેવાનો અભાવ છે…. આ યોજના 3 લાખ અને તેનાથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેશે અને આ યોજના અંતર્ગત, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલ પર 10,000 ઈ-બસ સાથે સિટી બસો ચલાવવામાં આવશે….
વીમા પોલિસી અંગે ટેક્સના નવા નિયમો
આવકવેરા વિભાગે વાર્ષિક પ્રીમિયમ પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો જીવન વીમા પૉલિસીમાંથી પ્રાપ્ત આવકની ગણતરી કરવા માટે નિયમો નક્કી કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરા અધિનિયમ 2023 ને નોટિફાઇડ કર્યું છે. આમાં, જીવન વીમા પૉલિસીની પાકતી મુદત પર મળેલી રકમના સંદર્ભમાં આવકની ગણતરી કરવા માટે નિયમ 11-UCA નિર્ધારિત કરવામાં આવ્યો છે. સુધારા મુજબ, 1 એપ્રિલ, 2023 ના રોજ અથવા તે પછી ઇશ્યૂ કરાયેલી પોલિસીઓ માટે કલમ 10(10D) હેઠળ પાકતી મુદતના લાભ પર કર મુક્તિ ત્યારે જ લાગુ થશે જ્યારે વ્યક્તિ દ્વારા ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોય. આ મર્યાદા કરતાં વધુ પ્રીમિયમ માટે પ્રાપ્ત થયેલી રકમને આવકમાં ઉમેરવામાં આવશે અને લાગુ દરો પર ટેક્સ લાગશે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં, યુલિપ સિવાયની જીવન વીમા પોલિસીના સંબંધમાં કરની જોગવાઈમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.
શું છે વિશ્વકર્મા યોજના
કેન્દ્રીય કેબિનેટે વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી દીધી છે.. આ યોજનામાં સુથાર, વાળંદ, દરજી, લુહાર, કુંભાર, કડીયા જેવા કામદારોનો કૌશલ્ય વિકાસ કરવામાં આવશે… સરકાર આ યોજના પર 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે….યોજનાથી 30 લાખ પરંપરાગત કારીગરોને ફાયદો થશે….આ વિભાગો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે….આ યોજના હેઠળ, આ લોકોને નવા પ્રકારનાં સાધનો અને ડિઝાઇન વિશે માહિતી આપવામાં આવશે. આ સાથે સાધનોની ખરીદીમાં પણ મદદ કરવામાં આવશે. .. યોજના હેઠળ બે પ્રકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવશે અને જેઓ આ કોર્સ કરશે તેમને માનદ વેતન મળશે….
IT સેક્ટરમાં થશે સુધારા
સરકાર IT સેક્ટરમાં કામ કરનારાઓને સ્કીલ્ડ બનાવશે. કેબિનેટે ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટના વિસ્તરણને મંજૂરી આપી છે. આ યોજના પાછળ 14,903 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા વિસ્તાર હેઠળ અગાઉ કરેલા કામોને આગળ વધારવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ, રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશન હેઠળ બીજા 9 સુપર કોમ્પ્યુટર ઉમેરવામાં આવશે..આ યોજના હેઠળ 18 સુપર કોમ્પ્યુટર પહેલાથી જ સ્થાપિત કરવામાં આવ્યા છે.
ઇ-સ્કૂટર ખરીદનારાને મળ્યું રિફંડ
ટોચની 4 ઈ-સ્કૂટર કંપનીઓ કે જેણે ચાર્જર અને સૉફ્ટવેર માટે વધારાનો ચાર્જ વસૂલ્યો હતો તેણે અત્યાર સુધીમાં બાયર્સને કુલ 10 કરોડ રૂપિયા રિફંડ કર્યા છે. આ વર્ષની શરૂઆતમાં, ગ્રાહકોની ફરિયાદોને પગલે, સરકારી તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓલા ઇલેક્ટ્રિક, એથર એનર્જી, ટીવીએસ મોટર અને Hero MotoCorpએ કથિત રીતે વેચાણ કિંમત ઘટાડવા માટે ગ્રાહકો પાસેથી તેમના ચાર્જર અને સોફ્ટવેર માટે ચાર્જ વસૂલ કર્યા હતા. ત્યારબાદ સરકારે ગ્રાહકોને પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ કંપનીઓએ ગ્રાહકોને લગભગ 300 કરોડ રૂપિયા પરત કરવાના છે.
ટેક કંપનીઓમાં છટણી
વર્ષ 2023માં અત્યાર સુધીમાં ટેક કંપનીઓ છટણીના નામે 2.26 લાખથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવી ચૂકી છે. Alt ઈન્ડેક્સ અનુસાર, વર્ષ 2022 દરમિયાન વિશ્વની તમામ ટેક કંપનીઓએ એક વર્ષમાં 2.02 લાખ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જ્યારે વર્ષ 2023માં પણ માત્ર 7 મહિનામાં ટેક કંપનીઓએ છટણીના મામલે ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ વર્ષ પૂર્ણ થવામાં હજુ 4 મહિના બાકી છે. આવી સ્થિતિમાં આ આંકડો 3 લાખને પાર પહોંચી શકે છે.
અમદાવાદમાં મકાન સસ્તા કે મોંઘા?
હોમ લોન પરના વ્યાજમાં વધારાને કારણે આઠ શહેરોમાં મકાન ખરીદવું મોંઘુ બન્યું છે. 2023ના પ્રથમ છ મહિનામાં દેશના આઠ મોટા શહેરોમાં લોકોએ મકાન ખરીદવું મોંઘું પડશે.રિયલ એસ્ટેટ સલાહકાર નાઇટ ફ્રેંક ઇન્ડિયાના જણાવ્યા અનુસાર હોમ લોન પર ઉંચા વ્યાજ દરે 2023 માં અત્યાર સુધીમાં તમામ બજારોમાં ઘર ખરીદીને મોંઘી બનાવી દીધી છે. ટોચના આઠ શહેરોમાં ફક્ત અમદાવાદમાં જ સૌથી વધુ પોસાય તેવા મકાનો છે ત્યારબાદ પુણે અને કોલકાતાનો નંબર આવે છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો