સરકારી વિભાગો ઉપરાંત અન્ય સંસ્થાઓ પણ કરી શકશે આધાર ઓથેન્ટિકેશન
સરકારી મંત્રાલયો, વિભાગો ઉપરાંત અન્ય સંસ્થાઓ દ્વારા આધાર ઓથેન્ટિકેશનના નિયમ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સૂચનો માંગ્યા છે. આ કવાયતનો ઉદ્દેશ આધારને લોકો માટે અનૂકૂળ બનાવવા અને સેવાઓ સુધી નાગરિકોની પહોંચને સુનિશ્ચિત કરવાનો છે
Money9: સરકારી મંત્રાલયો, વિભાગો ઉપરાંત અન્ય સંસ્થાઓ દ્વારા આધાર ઓથેન્ટિકેશનના નિયમ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સૂચનો માંગ્યા છે. આ કવાયતનો ઉદ્દેશ આધારને લોકો માટે અનૂકૂળ બનાવવા અને સેવાઓ સુધી નાગરિકોની પહોંચને સુનિશ્ચિત કરવાનો છે. હાલ સરકારી મંત્રાલયો અને વિભાગોને સુશાસન માટે આધાર ઓથેન્ટિકેશનની અનુમતિ છે.
પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ
મંત્રાલયનો પ્રસ્તાવ છે કે કોઇ સંસ્થા જે જીવનનિર્વાહને સરળ બનાવવા, સેવાઓ સુધી સારી પહોંચ, જ્ઞાનના પ્રસારના ઉદ્દેશથી આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માંગે છે તે પ્રસ્તાવ તૈયાર કરે. જેને કેન્દ્ર સરકાર સંબંધિત મિનિસ્ટ્રી કે વિભાગને અને રાજ્ય સરકાર સાથે સંબંધિત રાજ્યના વિભાગને પ્રસ્તુત કરવામાં આવશે.
Published - April 21, 2023, 04:36 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો