Money9: અમરનાથના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. જો અમરનાથ જતા મુસાફરો અગાઉથી હોટલ બુકિંગ કરાવશે તો તેમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજ એસોસિએશન (AJHLA) દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશને માહિતી આપી હતી કે જમ્મુમાં રોકાતા અમરનાથ યાત્રિકો માટે હોટલના એડવાન્સ બુકિંગ પર 30 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. AJHLA ના પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે સદ્ભાવનાના સંકેત તરીકે અમે અમરનાથ યાત્રીઓને 30 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ આ છૂટ એ જેઓ હોટલમાં અગાઉથી રૂમ બુક કરાવે તેમને મળશે. આ પહેલનો ઉદ્દેશ્ય અમરનાથ યાત્રા પર જઈ રહેલા યાત્રિકોને સહયોગ અને મદદ આપવાનો છે.
પ્રવાસ 1લી જુલાઈથી શરૂ થશે
પવિત્ર અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરમાં હિમાલયની મધ્યમાં સમુદ્રની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. 1 જુલાઈથી શરૂ થનારી 62 દિવસીય યાત્રાના બે રૂટ છે. એક અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ છે અને બીજો ગાંદરબલ જિલ્લામાં નાનો પરંતુ મુશ્કેલ બાલતાલ 14 કિલોમીટર લાંબો માર્ગ છે. મુસાફરોની પ્રથમ બેચ જમ્મુથી 30 જૂને રવાના થશે. ગુપ્તાને આશા છે કે આ વખતે યાત્રાળુઓ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રા માટે આવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ છૂટથી હોટલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મદદ મળશે, જેની અત્યારે ખૂબ જ જરૂર છે.
CRPF જવાન તૈયારી કરી રહ્યા છે
આ સિવાય CRPF જવાનોને આતંકી હુમલાના કેસમાં કેવી રીતે તૈયાર રહેવું તે અંગે વિશેષ સૂચનાઓ આપવામાં આવી રહી છે. આ બહાદુર સૈનિકો જ જમ્મુના ઉધમપુર ખાતે આ તાલીમ મેળવ્યા બાદ જમ્મુથી બાબા બર્ફાનીના બેઝ કેમ્પ પહેલગામ અને બાલતાલ સુધી યાત્રીઓના બેચને એસ્કોર્ટ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે આજે CRPFની 137 બટાલિયને ઉધમપુર કેમ્પસમાં કવાયત કરતી વખતે જણાવ્યું હતું કે જો અમરનાથ યાત્રા દરમિયાન કોઈ અપ્રિય ઘટના બને છે, તો કાર્યવાહીની કઈ પદ્ધતિ અપનાવવામાં આવશે અને દુશ્મનનું કેવી રીતે નામોનિશાન મીટાવી દઇને વિજય પ્રાપ્ત કરવામાં આવે. આ ટ્રેનિગં દરમિયાન દરેક જવાને સ્ફૂર્તિ સાથે કામ કરીને પોતાની કુશળતા દેખાડી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો