MONEY9: ફાર્મા કંપનીમાં કામ કરતા રામ જોશી ક્રેડિટ કાર્ડથી આખો મહિનો ખર્ચ કરે છે. આ બિલની દર મહિને સમયસર ચૂકવણી કરી દે છે. રામ જેવા લોકો માટે ક્રેડિટ કાર્ડ ઘણો જ ઉપયોગ વિકલ્પ બનીને બહાર આવ્યો છે. આરબીઆઇના આંકડા અનુસાર માર્ચ 2022માં ક્રેડિટ કાર્ડ યૂઝર્સની સંખ્યામાં વૃદ્ધિ કોરોના કાળના પહેલાના લેવલેથી આગળ નીકળી ગઇ છે.
રિપોર્ટ દર્શાવે છે કે માર્ચ 2022માં દેશમાં 19 લાખ નવા કાર્ડ ઇશ્યૂ થયા, જે 23 મહિનામાં સૌથી વધારે છે. આ સાથે જ કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા 7.36 કરોડના સ્તરે પહોંચી ગઇ છે. વાર્ષિક આધારે તેમાં 18.7 ટકાની વૃદ્ધિ થઇ છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ રેકોર્ડ એક લાખની ઉપર રહ્યો છે. પરંતુ આ તમામ આંકડા વચ્ચે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
બજારમાં ક્રેડિટ કાર્ડની માંગ સતત વધી રહી છે પરંતુ પ્રતિ કાર્ડ લેવડ-દેવડની સંખ્યા સતત ઘટી રહી છે. બ્રોકરેજ રિપોર્ટ અનુસાર વર્ષ 2017-18માં પ્રતિ કાર્ડ વાર્ષિક એવરેજ ટ્રાન્ઝેક્શન 3.5 હતું જે વર્ષ 2021-22માં ઘટીને 2.8 રહી ગયું. સીધા શબ્દોમાં કહીએ તો એક ક્રેડિટ કાર્ડ દ્વારા આખા વર્ષમાં ફક્ત ત્રણથી પણ ઓછા ટ્રાન્ઝેક્શન થઇ રહ્યાં છે.
ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન ઘટી કેમ રહ્યાં છે, શું ક્રેડિટ કાર્ડનું અસ્તિત્વ સમાપ્ત થઇ રહ્યું છે? છેવટે કારણ શું છે?
ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2017-18ની તુલનામાં વર્ષ 2021-22માં ક્રેડિટ કાર્ડ ઉદ્યોગની બાકી 9.75 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. તેમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો વધારો થયો છે. વર્ષ 2017-18માં આ બાકી 4.62 લાખ કરોડ રૂપિયા હતી.
નિષ્ણાંતનો મત
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન જણાવે છે કે કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લાખો લોકોએ નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. મોટી સંખ્યામાં લોકોની આવક ઘટી છે. આનાથી લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી છે. દુનિયામાં ક્રેડિટ કાર્ડની લોન સૌથી વધુ મોંઘી હોય છે. જો એકવાર ચૂકવણીમાં ચૂક થઇ તો ગ્રાહક લોનની જાળમાં ખરાબ રીતે ફસાઇ જાય છે. પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે.
આરબીઆઇના મુખ્ય વ્યાજ દરો વધવાના કારણે ક્રેડિટ કાર્ડની લોન વધુ મોંઘી થવાની શક્યતા ઉભી થઇ રહી છે. આ કારણે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી દૂર જઇ રહ્યા છે. લોનનો બોજ વધારવાના બદલે રોકડમાં લેવડદેવડ કરી રહ્યાં છે. આના માટે યૂપીઆઇનો વિકલ્પ સહજ અને સુલભ સાબિત થઇ રહ્યો છે. સરળ પ્રક્રિયા હોવાના કારણે દેશમાં યુપીઆઇ દ્વારા લેવડદેવડમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે.
યૂપીઆઇ દ્વારા વાર્ષિક લેવડદેવડ 84 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. દેશમાં કુલ ડિજિટલ લેવડદેવડમાં મૂલ્યના હિસાબે વર્ષ 2021-22માં યૂપીઆઇની હિસ્સેદારી વધીને 81 ટકા થઇ ગઇ છે. જ્યારે ક્રેડિટ કાર્ડનો હિસ્સો 9% ટકા રહી ગયો છે. એક મોટું કારણ એ છે કે કોરોનાકાળમાં જે લોકો ક્રેડિટ કાર્ડનું બિલ જમા નહીં કરીને તેને આગળ વધારતા રહ્યા છે. આનાથી ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો આવ્યા છતાં ચુકવણીની બાકી સતત વધી રહી છે.
એક બીજુ કારણ એ છે કે હવે એકથી વધુ ક્રેડિટ કાર્ડ રાખવા યુવાનો માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. એક વ્યક્તિની પાસે અડધા ડઝનથી વધુ કાર્ડ મળી જશે. પરંતુ તેમાંથી ઉપયોગ તો તે એક કે બેનો જ કરે છે. આ ઉપરાંત એક ક્રેડિટ કાર્ડથી બીજા ક્રેડિટ કાર્ડની ચુકવણી કરતા રહે છે. આનાથી બજારમાં ક્રેડિટ કાર્ડની માંગ પણ વધી રહી છે અને લેણાં પણ વધી રહ્યા છે. જ્યારે ટ્રાન્ઝેક્શન સીમિત થઇ રહ્યા છે. હાલની સ્થિતિમાં યુપીઆઇ દ્વારા ટ્રાન્ઝેક્શન ક્રેઝ વધી રહ્યો છે. એવું નથી કે આનાથી ક્રેડિટ કાર્ડનું અસ્તિત્વ સમાપ્ત થઇ જશે. યૂપીઆઇથી જોડાણ બાદ ક્રેડિટ કાર્ડની ચમક ફરી વધી જશે.
કુલ મળીને જોઇએ તો નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડનો વિકલ્પ હજુ પણ આકર્ષક છે. જો તમે સમયસર ચુકવણી કરો તો વ્યાજ વગર આખો મહિનો પોતાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકો છો. યૂપીઆઇથી લેવડદેવડ માટે તમારા ખાતામાં પૈસા હોવા જોઇએ. આરબીઆઇ ક્રેડિટ કાર્ડને પણ યૂપીઆઇ સાથે જોડવાની પ્રક્રિયા કરી રહી છે. આનાથી ક્રેડિટ કાર્ડનો વિકલ્પ વધારે ઉપયોગી થઇ જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો