Money9: ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ બે દિવસ સુધી ચાલેલી મોનેટરી પોલિસી કમિટિ એટલે કે MPC મીટિંગ બાદ શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે. RBIએ વ્યાજ દરોને 6.5 ટકા પર જ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ છે કે લોન મોંઘી નહીં થાય અને તમારી EMI પણ વધશે નહીં. પોલિસીની જાહેરાત દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી કાબૂમાં આવી ગઈ છે, પરંતુ હજુ સુધી કામ પૂરું નથી થયું. દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના સંકેતો બતાવી રહી છે, ઘણી કેન્દ્રીય બેંકોએ વ્યાજ દરો સ્થિર રાખ્યા છે, પરંતુ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત છે. આરબીઆઇએ 2023-24 માટે જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અગાઉ ડિસેમ્બર ક્વાર્ટરમાં આ અનુમાન 6.5 ટકા હતું. જ્યારે માર્ચ ક્વાર્ટરમાં જીડીપી દરનો અંદાજ 6 ટકા હતો.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે… આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓના દરેક વ્યવહાર માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી રહી છે. જેનાથી શિક્ષણ અને હેલ્થકેર સેક્ટર માટે UPI ટ્રાન્ઝેક્શનને ફાયદો થશે. તો મોનેટરી પોલિસી મીટિંગમાં રિકરિંગ નેચરના પેમેન્ટ માટે ઇ-મેન્ડેટ બદલવાની ભલામણ કરવામાં આવી છે. આ ફેરફાર અંતર્ગત, રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સની UPI લિમિટ 1 લાખ રૂપિયા પ્રતિ ટાન્ઝેક્શન્સ સુધી વધારવામાં આવી રહી છે… આવા UPI પેમેન્ટની મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની આરબીઆઇ ગર્વનરે કરી છે. મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન માટે રિકરિંગ યુપીઆઇ પેમેન્ટ, વીમા પોલિસી પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડના રિપેમન્ટ માટે UPIની લિમિટ વધારવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો