Money9 Gujarati:
Godrej Family Split: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાં સ્થાન ધરાવતા એક ગોદરેજ ગ્રુપનું વિભાજન થયું છે. 127 વર્ષ જૂના ગોદરેજ ગ્રૂપની કુલ સંપત્તિ 2.34 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. હાલમાં તેની 5 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. કંપનીના વિભાજન અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ કરાર જણાવે છે કે ભાગ પડ્યા બાદ પરિવારના કયા સભ્યના ભાગે શું આવ્યું છે.
ગોદરેજની કુલ સંપત્તિ 2.34 લાખ કરોડ રૂપિયા છે. 1897માં એટલે કે ભારતની આઝાદી પહેલા સ્થપાયેલ ગોદરેજ ફેમિલીનો બિઝનેસ રિયલ એસ્ટેટથી ગ્રાહક ઉત્પાદનો સુધી વિસ્તરેલો છે. પરંતુ હવે 127 વર્ષ જૂનું ગોદરેજ ગ્રુપ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
ગોદરેજ જૂથે નિવેદનમાં જણાવ્યું છે કે, જૂથને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વહેંચવામાં આવ્યું છે. એક તરફ 82 વર્ષીય આદિ ગોદરેજ અને તેમનો 73 વર્ષનો ભાઈ નાદિર છે તો બીજી તરફ 75 વર્ષીય જમશેદ ગોદરેજ અને 74 વર્ષીય સ્મિતા ગોદરેજ છે. આમાં એક બાજુ તમામ લિસ્ટેડ કંપનીઓ મળી છે જ્યારે બીજી બાજુ તમામ નોન-લિસ્ટેડ કંપનીઓ મળી છે.
આદિ ગોદરેજ અને નાદિર ગોદરેજને શેરબજારમાં લિસ્ટેડ ગોદરેજ કંપનીઓમાં તેમનો હિસ્સો મળ્યો છે જ્યારે પિતરાઈ ભાઈ જમશેદ અને તેની બહેન સ્મિતાને જૂથની નોન-લિસ્ટેડ કંપનીઓ મળી છે.
કરાર પ્રમાણે, નાદિર ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરમેન રહેશે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનું નિયંત્રણ આદિ, નાદિર અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવશે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સનો સમાવેશ થાય છે.
જૂથ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આદિના 42 વર્ષીય પુત્ર પીરોજશા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન હશે અને ઓગસ્ટ 2026 સુધી ચેરપર્સન તરીકે નાદિરનું સ્થાન લેશે. પિરોજશા ગોદરેજની નવી પેઢીનો સૌથી મહત્વનો ચહેરો બનવા જઈ રહી છે. હાલમાં, તેઓ મુખ્યત્વે ગોદરેજ ગ્રુપના રિયલ એસ્ટેટ બિઝનેસનું ધ્યાન રાખે છે.
પિરોજશા ગોદરેજ સિવાય બીજી બાજુ જોઈએ તો ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપનો ભાવિ ચહેરો નાયરીકા હોલકર હશે. ગોદરેજ પરિવારની ચોથી પેઢીનો અગ્રણી ચહેરો નાયરીકા હોલકર પહેલેથી જ ગોદરેજ એન્ડ બોયસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તે જમશેદ ગોદરેજની ભત્રીજી છે. તેમની માતા સ્મિતા કૃષ્ણાના લગ્ન બિઝનેસમેન વિજય કૃષ્ણ સાથે થયા છે. જ્યારે નાયિકાએ યશવંત હોલકર સાથે લગ્ન કર્યા છે.
કરાર મુજબ, જમશેદ ગોદરેજ ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર હશે. તેની બહેન સ્મિતાની પુત્રી નિરિકા હોલકર તેની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે. નોંધનીય છે કે ગોદરેજ એન્ટરપ્રાઈઝ ગ્રુપમાં ગોદરેજ એન્ડ બોયસ અને સહયોગી કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીનો બિઝનેસ એરોસ્પેસ અને એવિએશનથી લઈને ડિફેન્સ, ફર્નિચર અને આઈટી સોફ્ટવેર સુધી વિસ્તરેલો છે.
એટલું જ નહીં, આ પાર્ટીને મુંબઈના વિક્રોલીમાં સ્થિત ગોદરેજ ગ્રુપની 3,400 એકર જમીન બેંક પણ આપવામાં આવશે. વાસ્તવમાં, વિક્રોલી મુંબઈનું ઉપનગર છે જ્યાં ગોદરેજ ગ્રુપ પાસે 3,400 એકર જમીન છે. તેમાંથી 1,000 એકરથી વધુ જમીન ખૂબ જ મોંઘી જમીન છે, જેનો વિકાસ થઈ શકે છે.
Godrej ગ્રૂપની પાંચ કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ (Godrej Industries), ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Godrej Consumer Products), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties), ગોદરેજ એગ્રોવેટ (Godrej Agrovet) અને એસ્ટેક લાઈફ સાયન્સિસ (Astech Life Sciences)નો સમાવેશ થાય છે.
વિભાજન પછી, નાદિર ગોદરેજે કહ્યું કે ગોદરેજની સ્થાપના 1897માં ભારતની આર્થિક ગતિને વેગ આપવા માટે કરવામાં આવી હતી. આ વિભાજન પછી પણ, અમે વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીને આ વારસાને આગળ વધારવા માટે તૈયાર થઈશું. પિતરાઈ ભાઈ જમશેદ ગોદરેજે કહ્યું કે ગોદરેજ એન્ડ બોયસ હંમેશા રાષ્ટ્ર નિર્માણના મોટા ઉદ્દેશ્ય સાથે કામ કરે છે. આ પારિવારિક કરાર અને કંપનીના આ ઉદ્દેશ્ય સાથે, અમે તેને આગળ લઈ જઈશું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો