Money9 Gujarati:
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ગુરુ-શિષ્ય પરંપરા અંતર્ગત કુશળ કાર્યને પ્રોત્સાહન આપવા માટે કામદારોમાં કૌશલ્ય વિકાસ કરવામાં આવશે તેમજ તેમને ઋણ સુવિધાની સાથે સાથે બજારમાં વ્યાપ વધારવા માટે મદદ આપવામાં આવશે. આ યોજના હેઠળ, ઋણ લેવા માટે તમારે કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી કુશળતા શીખીને કામ શરૂ કર્યું હોવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ કામ શીખીને પોતાનો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માંગતો હશે તો તેને પણ વિશ્વકર્મા યોજના હેઠળ ઋણ આપવામાં આવશે.
5% રેટ પર 1 લાખની લોન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનું કદ 13,000 કરોડ રૂપિયા છે અને તેનાથી 30 લાખ પારંપારિક કારીગરોને લાભ મળશે. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીનું ઋણ આપવામાં આવશે અને તેના માટે વાર્ષિક 5 ટકા વ્યાજ દર વસૂલવામાં આવશે. કારીગરોને તાલીમની સાથે સાથે જરૂરી સાધનો પૂરા પાડવાના ઈરાદા સાથે આ સ્કીમ શરૂ કરવામાં આવી છે.
Union Cabinet approves new Central Sector Scheme ‘PM Vishwakarma’ to support traditional artisans and craftspeople of rural and urban India
Scheme to have a financial outlay of ₹13,000 crore
Eighteen traditional trades to be covered in the first instance under PM Vishwakarma… pic.twitter.com/q5DCKtK34F
— PIB India (@PIB_India) August 16, 2023
કોને ફાયદો
વિશ્વકર્મા જયંતીના દિવસે આ યોજના લૉન્ચ કરવામાં આવશે. આ યોજનાથી લુહાર, વાળંદ, સોની, કડિયા, શિલ્પકાર, હાણવણાટના કારીગરો સહિતનાં 18 ક્ષેત્રનાં કામદારોને ફાયદો થશે. તેઓ 5 ટકા જેટલા વ્યાજ પર 1 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણમાં લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે આ યોજનાનું રૂ.15,000 કરોડના બજેટથી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવશે.
ગુરુ-શિષ્ય પરંપરા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશનાં ઘણા વિસ્તારોમાં અનેક સમાજના લોકો એવા છે જે કોઈ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યા વગર ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ વિવિધ કુશળતા અને કારીગરી શીખે છે. લુહાર, કુંભાર, મિસ્ત્રી, ધોબી, માળીકામ, મત્સ્યપાલન માટે જાળી ગૂંખવાનું કામ, તાળા-ચાવી બનાવવાનું કામ, મૂર્તિ બનાવવાનું કામ વગેરે એવા કામ છે જેના માટે કોઈ સંસ્થામાં ક્લાસ ચલાવવામાં આવતા નથી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ગ્રામ્ય અર્થતંત્રમાં આ વર્ગો મહત્ત્વનું યોગદાન આપે છે અને તેમને ધ્યાનમાં રાખીને વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે.
કારીગરોને કુશળતા વિકાસાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તેમને નવા પ્રકારનાં સાધનો અને ડિઝાઈનની જાણકારી આપવામાં આવશે. તેમને નવા સાધનો ખરીદવા માટે આર્થિક મદદ પણ આપવામાં આવશે, એમ વૈષ્ણવે જણાવ્યું હતું. આ યોજના હેઠળ બે પ્રકારનાં કુશળતા વિકાસ કાર્યક્રમ ચલાવવામાં આવશે, જેમાં પહેલો પ્રકાર છે બેઝિક અને બીજો પ્રકાર છે એડવાન્સ. આ કોર્સ કરશે તેમને સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો