મીનાની પાસે એક મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતનું ન્યૂઝલેટર આવ્યું. જેમાં લખ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થઈ રહ્યું છે અને ટેક્સ બચાવવાનો છેલ્લો સમય નજીક છે. આવતા એકથી દોઢ મહિનામાં કર્મચારીઓએ નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ સેવિંગ સાથે સંબંધિત રોકાણના પુરાવા સબમિટ કરવાના રહેશે.
ટેક્સ સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડ ટેક્સ બચાવવાનો એક સારો વિકલ્પ છે. આ ન્યૂઝલેટરને વાંચ્યા પછી, મીના તેના નાણાકીય સલાહકાર પાસે ELSS વિશે જાણવા માટે પહોંચી. જે ટેક્સ બચાવે છે અને સારું રિટર્ન પણ આપે છે.
શું તમે પણ મીનાની જેમ ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવાનો ઇરાદો રાખો છો. તો આવો જાણીએ કે તે શું છે અને શું તમારે તેમાં રોકાણ કરવું જોઈએ?
તો સૌપ્રથમ નજર કરીએ Money9 ના પર્સનલ ફાઇનાન્સ સર્વે પર, જે જણાવે છે કે દેશમાં કેટલા પરિવારો રોકાણ કરે છે અને તેમાંથી કેટલા લોકો તેમના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે.
દેશના સૌથી મોટા પર્સનલ ફાઇનાન્સ સર્વે અનુસાર, વર્ષ 2023 દરમિયાન 24 ટકા ભારતીય પરિવારોએ રોકાણ કર્યું, જ્યારે 76 ટકા પરિવારો એવા હતા જે રોકાણથી દૂર રહ્યા. રોકાણ કરનારા પરિવારોમાંથી 10 ટકા પરિવારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. વર્ષ 2022માં આ આંકડો માત્ર 6 ટકા હતો. સર્વેમાં 20 રાજ્યોના 35 હજારથી વધુ પરિવારોને સામેલ કરવામાં આવ્યા. આંકડા દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ભારતીય પરિવારોનો રસ વધી રહ્યો છે.
હવે વાત કરીએ ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ELSSની…
સૌ પ્રથમ આપણે જાણીએ કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ELSS શું છે? હકિકતમાં ELSS એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું એક સ્વરૂપ છે જે ઇક્વિટી કેટેગરીમાં આવે છે. આમાં, ફંડ મેનેજર કુલ કોર્પસના ઓછામાં ઓછા 80 ટકા ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ટેક્સ સેવિંગ એફડી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની સરખામણીમાં ELSSમાં લૉક-ઇન પિરિયડ ઘણો ઓછો છે.
પીપીએફમાં 15 વર્ષ, ટેક્સ સેવિંગ એફડી અને એનએસસીમાં 5 વર્ષનો લોક-ઇન છે…જ્યારે ELSSમાં ફક્ત 3 વર્ષનો લોક-ઇન પીરિયડ છે.
ELSS ફંડ ડાયવર્સિફિકેશન અને અન્ય ટેક્સ બચાવનારા વિકલ્પો કરતાં વધુ સારા રિટર્ન માટે જાણીતા છે
ડાયવર્સિફિકેશનનો અર્થ એ છે કે તેમાં અલગ-અલગ સેક્ટર અને સ્મોલથી લઈને લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે.
ELSSમાં રોકાણ કરીને એક નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે. આ બેનિફિટ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મળે છે. ELSS માં ત્રણ વર્ષનો ફરજિયાત લોક-ઇન પીરિયડ છે…એટલે કે, ત્રણ વર્ષ પૂરા થાય તે પહેલાં તમે પૈસા નહીં ઉપાડી શકો.
3 વર્ષ બાદ પૈસા ઉપાડવામાં આવે તો એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ નથી લાગતો. આ લિમિટ કરતાં વધુ નફા પર 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. આની ઉપર સેસ અને સરચાર્જ લાગશે.
રિટર્નની વાત કરીએ તો, ELSSનું રિટર્ન માર્કેટ આધારિત હોવાથી 10 થી 12 ટકા સુધી મળી શકે છે. તો PPFમાં હાલના સમયમાં રિટર્ન 7.1 ટકા જ્યારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSCમાં 7.7 ટકાનું રિટર્ન છે.
Ace મ્યુચ્યુઅલ ફંડના ડેટા અનુસાર, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમે એક વર્ષમાં 27 ટકા, ત્રણ વર્ષમાં 20 ટકા અને 5 વર્ષમાં 16 ટકાનું એવરેજ રિટર્ન આપ્યું છે. આ આંકડા 29 ડિસેમ્બર 2023 સુધીના છે.
ELSS ફંડ્સ તેમની મૂડી એટલે કે કોર્પસનો મોટો હિસ્સો શેર્સમાં રોકે છે.
જેનાથી બજારમાં ઉતાર-ચડાવની આની પર અસર પડે છે.આર્થિક સ્થિતિ, કંપનીનું પ્રદર્શન, વિશ્વભરમાં બનતી મોટી ઘટનાઓ અને ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ સહિતના અન્ય પરિબળોને કારણે ઇક્વિટીમાં રોકાણ વધારવામાં કે ઘટાડવામાં આવે છે.
બજારમાં ઉતાર-ચડાવની ELSS ફંડની નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV પર અસર પડે છે. આવી સ્થિતિમાં રોકાણકારને નફો કે નુકસાન થઈ શકે છે.
રોકાણકારોએ એક વાત યાદ રાખવી જોઈએ કે ELSSમાં નાણાકીય વર્ષ પૂરું થાય તેની તરત પહેલા રોકાણ કરવાને બદલે.. નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ કહે છે કે ELSSમાં રોકાણ આખા વર્ષ દરમિયાન કરવું જોઈએ. …જો તમે ઇચ્છો છો, તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા રોકાણ કરી શકો છો અથવા જ્યારે પણ બજારમાં ઘટાડો થાય ત્યારે રોકાણ કરી શકો છો.
રોકાણકારો SIP દ્વારા અથવા લમ્પસમ રકમ ELSSમાં રોકાણ કરી શકે છે.
નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ રોકાણ કરો… વર્ષના અંતે એકસાથે પૈસાનું રોકાણ કરીને, તમે ટેક્સ ભલે બચાવી લો પરંતુ રોકાણ પર આખા વર્ષના રિટર્નનો ફાયદો ગુમાવી દેશો. ટેક્સ બચાવવો ફાઇનાન્સિયલ પ્લાનિંગનો મહત્વનો ભાગ છે. આવી સ્થિતિમાં ટેક્સ પ્લાનિંગ ખૂબ જ સાવધાનીથી કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો