MONEY9 GUJARATI: રીતેશે તેની ખેતીની જમીન વેચી દીધી છે… આ પૈસા ક્યાં વાપરવા તે વિચારે એ પહેલા તેના એક મિત્રએ તેને કહ્યું કે ખેતીની જમીન વેચવા પર તેને ટેક્સ ભરવો પડશે…
રિતેશ જેવા લાખો લોકો છે, જેઓ વિવિધ કારણોસર ખેતીની જમીન વેચે છે… પરંતુ આના પર ટેક્સનું શું ગણિત છે, તેઓ જાણતા નથી…આજે આપણે જાણીશું કે ખેતીની કઈ જમીનના વેચાણ પર ટેક્સ લાગશે… અને કઈ જમીન પર ટેક્સ નહીં લાગે… અને આ ટેક્સ કેવી રીતે બચાવવો…
ખેતીની જમીન બે પ્રકારની હોય છે… પ્રથમ રુરલ, એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં ખેતીની જમીન… અને બીજી અર્બન, એટલે કે શહેરી ક્ષેત્રમાં ખેતીની જમીન… ખેતીમાં વપરાતી દરેક જમીન આવકવેરા કાયદાની નજરમાં ખેતી યોગ્ય જમીન અટલે કે એગ્રીકલ્ચર લેન્ડ નથી માનવામાં આવતી..આવકવેરા કાયદાની દૃષ્ટિએ તમારી ખેતીની જમીન ત્યાં સુધી એગ્રીકલ્ચર લેન્ડ નથી જ્યાં સુધી આવકવેરા કાયદાની કલમ 2 (14)માં દર્શાવેલી શરતોનું પાલન ના થતું હોય.
જેમ કે..જો તમારી ખેતીની જમીન મ્યુનિસિપાલિટી, નોટિફાઇડ એરિયા કમિટી, ટાઉન એરિયા કમિટી અથવા કેન્ટોન્મેન્ટ બોર્ડની અંદર છે… અને તેની વસ્તી 10,000 કે તેથી વધુ છે… તો આ જમીન આવકવેરા કાયદા મુજબ ખેતીની જમીન નથી… જો નગરપાલિકા કે કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી 10 હજારથી વધુ પરંતુ 1 લાખ સુધીની છે તો 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી જમીન ખેતીની જમીન નહીં ગણાય… જો મ્યુનિસિપાલિટી અથવા કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી 1 લાખથી વધુ,, પરંતુ 10 લાખ સુધી હોય,, તો તેની આસપાસના 6 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને ખેતીની જમીન ગણવામાં નહીં આવે.. એ જ રીતે, મ્યુનિસિપાલિટી કે કેન્ટોમેન્ટની વસ્તી 10 લાખથી વધુ હોય તો 8 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલી જમીનને ખેતીની જમીન ગણવામાં નહીં આવે…
જો તમારી ખેતીની જમીન બતાવેલી મર્યાદામાં ન આવતી હોય,, તો તેને ખેતીલાયક જમીન તરીકે ગણવામાં આવશે.. તેને આવકવેરા કાયદાની નજરમાં ખેતી યોગ્ય જમીન એટલે કે એગ્રીકલ્ચર લેન્ડ માનવામાં આવશે… ખેતીની જમીનને આવકવેરા કાયદામાં કેપિટલ એસેટ ગણવામાં નથી આવતી.. આવી સ્થિતિમાં તેના વેચાણમાંથી મળેલી આવક પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ નહીં લાગે… જો તમારી ખેતીની જમીન મ્યુનિસિપાલિટી અથવા આગળ દર્શાવેલ જમીનની આસપાસના વિસ્તારમાં આવે છે… તો તેને કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવશે…
તેને અર્બન એગ્રીકલ્ચર લેન્ડ કહેવામાં આવે છે… તેના વેચાણમાંથી થયેલા નફા પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે… જો જમીન 24 મહિના સુધી રાખ્યા બાદ વેચવામાં આવે તો… તો નફો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવશે અને તેના પર ઈન્ડેક્સેશન બેનિફિટની સાથે 20 ટકા ટેક્સ વસૂલવામાં આવશે… જો ખેતીની જમીન ખરીદીના 24 મહિનાની અંદર વેચવામાં આવે છે… તો નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે… કેપિટલ ગેઈનની રકમ પર તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે…તમે શહેરી વિસ્તારોમાં આવેલી ખેતીની જમીન પર કલમ 54 (B) અંતર્ગત બીજી ખેતીની જમીન ખરીદીને કેપિટલ ગેઈન ટેક્સ બચાવી શકો છો.
એગ્રીકલ્ચર લેન્ડના ટ્રાન્સફરની તારીખથી બે વર્ષ પહેલા સુધી વ્યક્તિ અથવા તેના પરિવારે જમીનનો ખેતી માટે ઉપયોગ કર્યો હોવો જોઈએ..જમીન વેચ્યાના બે વર્ષની અંદર બીજી ખેતીલાયક જમીન એટલે કે એગ્રીકલ્ચર લેન્ડ ખરીદવી પડશે… આ રુરલ અથવા અર્બન કોઈપણ એગ્રીકલ્ચર લેન્ડ હોઈ શકે છે…ઉપરાંત, નવી એગ્રીકલ્ચર લેન્ડ 3 વર્ષ સુધી વેચી શકાતી નથી… જો 3 વર્ષ પહેલાં વેચવામાં આવે તો, એગ્ઝેમ્પ્શન પાછું ખેંચી લેવામાં આવશે અને ટેક્સ ચૂકવવો પડશે.
ટેક્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે.,, કે અર્બન એગ્રીકલ્ચર લેન્ડ જમીન વેચવાથી મળેલા કેપિટલ ગેઈનમાંથી સેક્શન 54F અંતર્ગત રેસિડેન્શિયલ પ્રોપર્ટી એટલે કે ઘર ખરીદીને પણ ટેક્સ બચાવી શકાય છે… આમાં કેપિટલ ગેઈનના બદલે ખેતીની જમીન વેચવાથી મળેલી સંપૂર્ણ રકમનો ઉપયોગ ઘર ખરીદવા માટે થવો જોઈએ… જમીન વેચ્યાના બે વર્ષમાં મકાન ખરીદવું પડશે… બાંધકામના કિસ્સામાં, મકાન 3 વર્ષમાં બની જવું આવશ્યક છે. જમીન વેચવાની તારીખથી એક વર્ષ પહેલા સુધી ખરીદેલા ઘર પર પણ તમે 54F પ્રમાણે એગ્ઝેમ્પ્શન મેળવી શકો છો. સેક્શન 54EC અંતર્ગત કેપિટલ ગેઇન બોન્ડ્સમાં રોકાણ કરીને પણ ટેક્સ છૂટ મેળવી શકો છો…
રિતેશની જેમ તમે પણ સમજી ગયા હશો કે ખેતીની જમીન વેચવા પર ક્યારે ટેક્સ ભરવો પડશે અને ક્યારે નહીં… નાણાકીય વર્ષ 2023-24થી, કલમ 54F અંતર્ગત,10 કરોડ રુપિયા સુધીના લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર જ ટેક્સ છૂટ મેળવી શકાય છે. તમારે 10 કરોડ રુપિયાથી ઉપરના કોઈપણ કેપિટલ ગેઈન પર ટેક્સ ચૂકવવો પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો