MONEY9 GUJARATI: ઈનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવાની છેલ્લી તારીખ હતી 31 જુલાઈ. અનેક લોકોએ ITR ફાઈલ કરી દીધું છે. ત્યારે આવકવેરા વિભાગે ઘણા લોકોને જૂના એસેસમેન્ટ યર માટે નોટિસ મોકલી છે. ઈન્કમ ટેક્સની નોટિસ ક્યારે આવે છે… કયા સેક્શનમાં નોટિસ મોકલવામાં આવે છે. નોટિસ મળે તો શું કરવું જોઈએ. આવો જાણો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જણાવ્યું હતું કે,, સરકારે 1 લાખથી વધુ નોટિસ મોકલી છે. આ નોટિસ એવા કરદાતાઓને મળી છે. જેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી. અથવા રિટર્નમાં ઓછી આવક દર્શાવી છે.
પહેલું મોટું કારણ એ છે કે તમે અમુક પ્રકારની આવક છુપાવી હોય.. અને બીજું કારણ છે ITR ફોર્મમાં અમુક પ્રકારની ભૂલ… ક્યારેક કેટલીક એરિથમેટિક ભૂલ પર પણ નોટિસ આવે છે, જેમ કે સરવાળો કે બાદબાકી સંબંધિત ભૂલો.. જો તમે ટેક્સ બચાવવા માટે ખોટી રીતે એગ્ઝેમ્પ્શન અને ડિડક્શનન ક્લેમ કર્યું છે.. જેમ કે ભાડાની નકલી રસીદ મૂકીને હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAનો દાવો કરવો… ડોનેશનની નકલી રસીદ મૂકવી.. તો આવા કિસ્સાઓમાં તમને આવકવેરાની નોટિસ મળી શકે છે…
જો ITR માં દર્શાવેલ આવક ફોર્મ 26AS અને એન્યુઅલ ઈન્ફૉર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS સાથે મેળ ખાતી ન હોય તો પણ નોટિસ મોકલવામાં આવે છે… આવકવેરા વિભાગ પાસે કરદાતાના લગભગ દરેક વ્યવહારોની માહિતી હોય જ છે…બેંક, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, સ્ટોક એક્સચેન્જ, પ્રોપર્ટી રજિસ્ટ્રાર ઓફિસ અને અન્ય રિપોર્ટિંગ એજન્સીઓ જેવા સોર્સ પાસેથી વિભાગને વ્યક્તિના વ્યવહારો વિશેની માહિતી મળે છે… જ્યારે ટેક્સપેયર રિટર્ન ફાઇલ કરે છે… ત્યારે વિવિધ સોર્સમાંથી મળેલી ડિટેઈલ્સ સાથે મેચ કરવામાં આવે છે. મિસમેચ એટલે કે ભૂલ મળે તો નોટિસ મોકલીને ડિટેઈલ્સ માંગવામાં આવે છે…
1) ડિફેક્ટિવ રિટર્ન માટે સેક્શન 139(9)ની નોટિસ આવે છે. જો અસેસિંગ ઑફિસરને લાગે છે કે તમારા ITR માં અમુક માહિતી મિસિંગ છે, તો આ સંક્શન અંતર્ગત નોટિસ મોકલી શકે છે.
2) જો કોઈ વ્યક્તિએ ITR નથી ભર્યું,, તો સેક્શન 142 (1) અંતર્ગત નોટિસ આપી રિટર્ન ભરવા માટે કહેવામાં આવે છે..આ હેઠળ નાની માહિતી અથવા સ્પષ્ટતા માંગવા માટે નોટિસ પણ મોકલી શકાય છે.
3) સેક્શન 143 (2) – એ સ્ક્રૂટીનીની નોટિસ છે.. જેનો અર્થ એ છે કે ઈનકમ ટેક્સ વિભાગ તમારી પાસે કેટલીક ડિટેઈલમાં માહિતી માંગે છે. જેમાં બુક ઑફ એકાઉન્ટ્સ, બેંક સ્ટેટમેન્ટ જેવી માહિતી માગી શકે છે. જેના આધારે એસેસમેન્ટ કરવામાં આવે છે. સૌથી વધુ સ્ક્રૂટીનીની નોટિસ આવતી હોય છે..
4) સેક્શન 144 અંતર્ગત બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટની નોટિસ મોકલવામાં આવે છે. જો તમે ITR ફાઈલ નથી કર્યું,, તેમજ 142 (1) અથવા 143 (2) અંતર્ગત મોકલાયેલી નોટિસનો જવાબ નથી આપ્યો તો આવકવેરા અધિકારી સેક્શન-144માં નોટિસ મોકલી શકે છે. આવા કેસમાં અધિકારી તેની પાસે ઉપલબ્ધ માહિતીના આધાર પર આવકનો અંદાજ લગાવી તેના પર ટેક્સ અને દંડ લગાવી શકે છે..
5) જો કર અધિકારીને લાગે છે કે તમારી આવકનું પહેલા જે એસેમેન્ટ થયું હતું , તેમાં કેટલીક આવક સમાયેલી નથી , અથવા તો તમારી કોઈ એવી આવક જેનો ખુલાસો પહેલા નથી થયો , તો સેક્શ 148 અંતર્ગત નોટિસ મોકલે છે..જેને Income escaping assessmentની નોટિસ કહેવામાં આવે છે..જેના દ્વારા જૂની બાબતોની તપાસ થઈ શકે છે.
જો તમને પણ ઈ-મેલ, SMS કે પોસ્ટ દ્વારા નોટિસ મળી હોય. તો ગભરાવાની જરૂર નથી. મોટાભાગની નોટિસ વધારાની માહિતી મેળવવા માટે હોય છે.
તેથી, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર લૉગિન કરીને નોટિસનો જવાબ આપો. નોટિસ સાથે સંમત થયા પછી ટેક્સ ભરો.
નોટિસનો વિરોધ કરવા માટે તમામ જરૂરી દસ્તાવેજો,, જેમ કે બેંક સ્ટેટમેન્ટ, ફાઈનાન્સિયલ રેકોર્ડ એકત્રિત કરો. અને નોટિસનો નિયત સમયની અંદર યોગ્ય રીતે જવાબ આપો. જવાબ તૈયાર કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદ લઈ શકો છો.
જો સ્પષ્ટતા આપ્યા પછી પણ નિર્ણય તમારી તરફેણમાં ન આવે તો તમે આ બાબતને કમિશનર (અપીલ) સમક્ષ મૂકી શકો છો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો