MONEY9 GUJARATI: કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે, પણ છૂટાછેડા પૃથ્વી પર થાય છે… દેશમાં છૂટાછેડાના બનાવો વધ્યા છે ખાસ કરીને શહેરોમાં… આમ છતાં ભારતમાં છૂટાછેડાનો દર વિશ્વમાં સૌથી ઓછો છે… ગ્લોબલ ઈન્ડેક્સના આંકડા મુજબ, ભારતમાં ડાયવોર્સ રેટ માત્ર 1 ટકા છે…જ્યારે બીજા સ્થાને વિયેતનામમાં ડાયવોર્સ રેટ 7 ટકા છે…પોર્ટુગલમાં ડાયવોર્સ રેટ સૌથી વધુ 94 ટકા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતીયો કેવી રીતે તેમના સંબંધોને ખૂબ જ સાચવે છે. તેમ છતાં, આપણને આડોશ-પાડોશમાં છૂટાછેડાના કિસ્સાઓ સાંભળવા મળે છે..
છૂટાછેડાની પ્રક્રિયામાં ભરણપોષણ એટલે કે એલિમની એ એક મહત્વપૂર્ણ પાસું છે… આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે એલિમનીનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે અને શું તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે? ચાલો જાણીએ..
એલિમનીનો અર્થ ભરણપોષણ છે… આ એક પ્રકારની નાણાકીય સહાય છે, જે છૂટાછેડા પછી પતિ દ્વારા પત્નિને ભરણપોષણ માટે એટલે કે જીવન નિર્વાહમાં મદદ કરવા માટે આપવામાં આવે છે…સામાન્ય રીતે છૂટાછેડા પછી જો પત્ની પાસે પોતાના જીવનનિર્વાહ માટે પૂરતા સંસાધનો ન હોય તો કાયદાકીય રીતે પતિએ તેને ભરણપોષણ ચૂકવવું પડશે.
હિંદુ મેરેજ એક્ટના સેક્શન 25 અંતર્ગત, કોર્ટ પતિ અથવા પત્નીમાંથી કોઈ એકને તેમની આર્થિક સુરક્ષા અને ભરણપોષણ માટે કાયમી ભરણપોષણ એટલે કે પર્મેનન્ટ એલિમની આપી શકે છે… છૂટાછેડાના દરેક કેસમાં ભરણપોષણ આપવું એ કાયદાકીય જવાબદારી નથી. આ કિસ્સાઓમાં, પત્ની અને પતિ બંનેના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે…જો પત્ની કમાણી કરતી હોય, પરંતુ તેની અને તેના પતિની કમાણી વચ્ચે તફાવત હોય, તો તે જીવનધોરણ સમાન જાળવવા માટે ભરણપોષણ મેળવી શકે છે…જો પત્ની નોકરી ના કરતી હોય તો કોર્ટ તેની ઉંમર, શિક્ષણ અને કમાણીની ક્ષમતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ભરણપોષણ ભથ્થું નક્કી કરે છે… આવા કિસ્સાઓમાં જ્યાં પતિ અક્ષમ હોય એટલે કે શારીરિક રીતે કમાવામાં અસમર્થ હોય અને પત્ની કામ કરતી હોય, તો પતિને ભરણપોષણ ભથ્થું મળી શકે છે.
ભરણપોષણ ભથ્થું કેટલું હશે તેની કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી…તે કોર્ટ પર નિર્ભર કરે છે…ભરણપોષણ ભથ્થું નક્કી કરતા પહેલા કોર્ટ ઘણા પાસાઓને ધ્યાનમાં લે છે…જેમ કે પતિની કમાણી, તેની જંગમ-સ્થાવર મિલકત, પત્નીની આવક અને તેની મિલકત, જો બાળકો હોય તો તે કોની સાથે રહેશે, લગ્નને કેટલાં વર્ષ વીતી ગયાં છે વગેરે… છૂટાછેડા પછી, ભરણપોષણ ભથ્થું બે રીતે મેળવી શકાય છે… પ્રથમ એકસાથે અને બીજી રિકરિંગ એટલે કે માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક… જ્યારે પતિ એકસાથે ભરણપોષણ ચૂકવવાની સ્થિતિમાં ન હોય ત્યારે મંથલી ભરણપોષણ ભથ્થું નક્કી કરવામાં આવે છે.
ઈનકમ ટેક્સ કાયદામાં છૂટાછેડા પછી પત્નીને મળવાપાત્ર ભરણપોષણની રકમ એટલે કે એલિમની એમાઉન્ટ અંગે કોઈ અલગ જોગવાઈ નથી… આવી સ્થિતિમાં, તે સામાન્ય કર નિયમો અને કોર્ટ દ્વારા સમયાંતરે લીધેલા નિર્ણયોના આધારે ભરણપોષણની રકમ પર કર જવાબદારી નક્કી કરવામાં આવે છે…જો સ્ત્રીને એકસાથે એટલે કે Lump sumમાં ભરણપોષણ મળે છે તો તેને કેપિટલ રિસિપ્ટ ગણવામાં આવે છે…આવક વેરા કાયદો કેપિટલ રિસિપ્ટને આવક તરીકે નથી ગણતો…તેથી છૂટાછેડા પછી પત્નીને ભરણપોષણની રકમ એકસાથે મળે છે તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
જો ભરણપોષણ ભથ્થું રિકરિંગ નેચરનું છે એટલે કે માસિક અથવા ત્રિમાસિક મળે છે, તો તેને રેવન્યૂ રિસિપ્ટ ગણવામાં આવશે… રેવન્યૂ રિસિપ્ટને આવકવેરા કાયદામાં આવક ગણવામાં આવે છે… આવી સ્થિતિમાં મંથલી મળનાર ભરણપોષણ ભથ્થું ટેક્સેબલ ગણાશે અને જેને ભરણપોષણ ભથ્થું મળે છે તેને ટેક્સ ચૂકવવો પડશે..ઈનકમ સ્લેબના આધારે ટેક્સ વસૂલવામાં આવશે.
હિંદુ મેરેજ એક્ટના સેક્શન 24 અંતર્ગત, જો પતિ-પત્નીમાંથી કોઈ એક પાસે આવકનો કોઈ પૂરતો સ્ત્રોત નથી, જેનાથી તે કોર્ટ કાર્યવાહી દરમિયાન પોતાનું ભરણપોષણ કરી શકે અને કોર્ટ કાર્યવાહીના ખર્ચને ઉઠાવી શકે, તો તેના માટે પણ ભથ્થું માંગી શકાય છે. તેને કામચલાઉ ભરણપોષણ એટલે કે Temporary Alimony કહેવામાં આવે છે… આમાં, કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ભરણપોષણ આપી શકાય છે.
તમારા માટે ભરણપોષણ સંબંધિત કેટલીક અન્ય બાબતો જાણવી મહત્વપૂર્ણ છે…સૌથી પ્રથમ, તમને ભરણપોષણ મળશે કે નહીં… તમને કેટલું મળશે…તે કેસ ટૂ કેસ ડિપેન્ડ કરે છે. છૂટાછેડાના મોટા ભાગના કિસ્સાઓમાં એલિમની રોકડમાં જ આપવામાં આવે છે… જો કોઈ વ્યક્તિ પરસ્પર સંમતિથી ભરણપોષણ તરીકે કોઈ મિલકત આપવા માંગે છે, તો તે આપી શકાય છે…જો સ્ત્રી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે છે, તો તેણે એક્સ-પાર્ટનર એટલે કે પૂર્વ પતિ પાસેથી મંથલી એલિમની મળવાનું બંધ થઈ જાય છે, તેથી મોટાભાગના કિસ્સાઓમાં કાયમી ભરણપોષણ લેવામાં આવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો