Money9: સરળ ભાષામાં કહીએ તો ધારો કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો. તમારી ડ્યૂટી 9 કલાકની છે. તમે ઓફિસનું કામ પૂરું કરીને ઘરે પાછા ફરો છો. તે પછી અન્ય કંપની અથવા વેન્ડર માટે ફ્રીલાન્સ તરીકે કામ કરો છો. અહીં ઘરે આવ્યા પછી તમારા દ્વારા કરવામાં આવેલા કામને મૂનલાઈટિંગ કહેવામાં આવે છે અને તેમાંથી મળેલી આવકને મૂનલાઈટિંગની આવક કહેવાય છે.
મૂનલાઇટિંગ માટે આવકવેરાના કાયદામાં કોઈ ચોક્કસ જોગવાઈ નથી પરંતુ તેનો અર્થ એ નથી કે આ આવક પર ટેક્સ નહીં લાગે. વધારાની આવક પરનો ટેક્સ કમાયેલી આવકના પ્રકાર પર નિર્ભર રહેશે.એટલે કે તે પગારની આવક છે, પ્રોફેશનલ ફી છે કે બિઝનેસની ઇનમક છે.
જો મૂનલાઇટિંગમાંથી આવક સેલેરી તરીકે મળે છે, તો રિટર્ન તેને મુખ્ય કંપનીની સેલેરીની સાથે ‘સેલેરી’ હેડ હેઠળ દર્શાવવાની રહેશે… ડિડક્શન અને એગ્ઝેમ્પ્શન બાદ થયેલી ઇનકમ જે સ્લેબમાં આવશે તેની પર તે દરે ટેક્સ લાગશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન, 80C, 80D જેવા ડિડક્શનનો તમે માત્ર એક જ વાર ક્લેમ કરી શકશો.
જો અન્ય કામથી થતી આવક ફ્રીલાન્સ વર્ક અથવા પ્રોફેશનલ ફીના સ્વરૂપમાં હોય, તો તે બિઝનેસ અને પ્રોફેશનની આવકના શીર્ષક હેઠળ આવશે… તેના પર બિઝનેસ અને વ્યવસાયથી થયેલી આવકની જેમ ટેક્સ લાગશે.
નિમિત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને CA નિતેશ બુદ્ધદેવ જણાવે છે કે જો મૂનલાઇટિંગમાંથી આવક સેલેરી તરીકે પ્રાપ્ત થઈ રહી હોય, તો તે ITR-1 માં દર્શાવવી પડશે… જો કુલ આવક 50 લાખ રૂપિયાથી વધુ હોય, કોઈપણ પ્રકારનો કેપિટલ ગેઇન છે તો ITR-2 ફોર્મ ભરવું પડશે. તેવી જ રીતે, જો બિઝનેસ કે પ્રોફેશનલ ફીમાંથી વધારાની આવક થઇ હોય અને પ્રિઝમ્પ્ટિવ ટેક્સ સ્કીમ એટલે કે પીટીએસ પસંદ કરો છો તો ITR-4 ભરવું પડશે. પ્રોફેશનલ ફી તરીકે પ્રાપ્ત કુલ રકમ જો 50 લાખથી વધુ હોય તો આ આવકને ITR-3માં દર્શાવી શકાય છે.
હવે સમજીએ કે સ્કીમ શું છે પ્રિઝમ્પટિવ ટેક્સ સ્કીમ?
ફ્રીલાન્સર્સ અને કન્સલન્ટન્ટને આવકવેરા કાયદા હેઠળ પ્રિઝમ્પટિવ ટેક્સ સ્કીમ પસંદ કરવાની સુવિધા મળે છે. કલમ 44 ADA હેઠળ, આ યોજના ફક્ત એવા પ્રોફેશનલ્સ માટે છે જેને 50 લાખ રૂપિયાથી વધુ મળ્યા નથી. નાણાકીય વર્ષ 2023-24થી આ લિમિટ વધીને 75 લાખ રૂપિયા થઈ ગઈ છે. આવા પ્રોફેશનલ્સ ગ્રોસ રિસિપ્ટના 50% અનુમાનિત આવક તરીકે બતાવી શકે છે અને તે મુજબ ટેક્સની ગણતરી કરવામાં આવશે. આવા પ્રોફેશનલ્સમાં લીગલ, મેડિકલ, એન્જિનિયરિંગ, ટેકનિકલ કન્સલ્ટન્સી, આર્કિટેક્ચર સહિત CBDT દ્વારા નોટિફાઇ પ્રોફેશનનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે, કલમ 44AD માં, એવા નાના વેપારીઓ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ પસંદ કરી શકે છે જેમનું કુલ બિઝનેસ ટર્નઓવર અથવા કુલ પ્રાપ્તિઓ 2 કરોડ રૂપિયાથી ઓછી છે. નાણાકીય વર્ષ 2023-24 થી, આ મર્યાદા વધારીને રૂ. 3 કરોડ કરવામાં આવી છે… બંને કિસ્સાઓમાં, રોકડમાં મળેલી રકમ કુલ આવકના 5% થી વધુ ન હોવી જોઈએ… જો કે, જો આવી આવક કમિશન, બ્રોકરેજ અથવા એજન્સીના બિઝનેસમાંથી થઇ હોય, તો તેનો લાભ લઈ શકાતો નથી…
બુદ્ધદેવ જણાવે છે કે મૂનલાઇટિંગથી થતી કમાણી પ્રોફેશનલ ફી તરીકે બતાવવી જોઈએ… તેનો ફાયદો એ છે કે આ કામમાં થયેલા ખર્ચને એક્સપેન્સ તરીકે દર્શાવી શકાય છે… આ સિવાય આવક પર ટેક્સની ગણતરી કરીને તમારે એડવાન્સ ટેક્સના ચારેય હપ્તા સમયસર ભરવા જોઈએ.
તો જો તમે પણ ઘનશ્યામની જેમ મૂનલાઇટિંગ કર્યું છે. એટલે કે એક વર્ષમાં એકથી વધુ જગ્યાએ કામ કર્યું છે તો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ ઇનકમને જરૂર બતાવજો. કારણ કે સરકારને ખબર પડી ગઇ છે કે તમે મૂનલાઇટિંગ કર્યું છે. કારણ કે તમને જ્યારે પૈસા મળ્યા હશે ત્યારે સામાન્ય રીતે કંપનીએ ટીડીએસ કાપીને તમને પૈસા ચૂકવતી હોય છે. ટીડીએસની માહિતી પહોંચે તમારે ફોર્મ 26એમાં..અને તેના પરથી ખબર પડી જાય છે કે તમે નોકરી સિવાય પણ બીજે ક્યાંકથી કમાણી કરી છે અને તેની પર તમારી ટેક્સ જવાબદારી બને છે. જતા જતા એક બીજી જરૂરી વાત કરી લઇએ..આ મૂનલાઇટિંગના કામમાં જો તમે કોઇ ખર્ચ કર્યો છે જેમ કે વીજળીનું બિલ ભર્યું હોય, ભાડેથી લેપટોપ લીધુ હોય તો તેનો ખર્ચ દર્શાવીને તમે ટેક્સ બેનિફિટ જરૂર લઇ શકો છો. આ અંગે તમે તમારા CA સાથે જરૂર વાત કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો