Money9: આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનો સમય આવી ગયો છે. ઘણા કરદાતાઓ નાણાકીય વર્ષ 2022-23 માટે તેમનું ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે એસેસમેન્ટ વર્ષ 2023-24ના રિટર્નમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આમાંનો એક ફેરફાર બિટકોઈન સહિત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સાથે સંબંધિત છે. જો તમે પણ આદિત્યની જેમ ક્રિપ્ટો કરન્સીમાંથી કમાણી કરી હોય, તો તમારે આ ફેરફાર વિશે જાણવું જોઈએ. આ સિવાય કેટલાક અન્ય ફેરફારો પણ છે જેના વિશે તમને ખબર જોઈએ. નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
1 એપ્રિલ, 2022 થી ક્રિપ્ટો કરન્સી સહિત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એટલે કે VDAથી સંબંધિત આવક પર ટેક્સ લગાવવા માટે આવકવેરા કાયદામાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ઉપરાંત, કલમ 194S હેઠળ, કેટલાક કિસ્સાઓમાં ખરીદનારને પેમેન્ટ કરતા પહેલા 1% TDS કાપવો પડશે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટથી કમાણીનો ખુલાસો કરવા માટે ITR ફોર્મમાં શેડ્યુઅલ VDA ઉમેરવામાં આવ્યું છે. આમાં કરદાતાએ ક્રિપ્ટો કરન્સીમાંથી થતી આવકની વિગતો આપવી પડશે. ઉપરાંત, એ પણ જણાવવું પડશે કે શું તેને બિઝનેસ ઇનકમ ગણવી કે કેપિટલ ગેઇન.
જો તમે નાણાકીય વર્ષ 2022-23માં ક્રિપ્ટો કરન્સીમાંથી કોઈ આવક મેળવી હોય, તો રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ સમસ્યા ન થાય તે માટે જરૂરી માહિતી તમારી સાથે રાખો. તમારે રિટર્નમાં વર્ચુઅલ ડિજિટલ એસેટથી અધિગ્રહણ એટલે કે ખરીદીની તારીખ, ટ્રાન્સફર એટલે કે વેચાણની તારીખ, વેચવાથી થયેલી કમાણી અને આ કમાણી કેવા પ્રકારની છે..વગેરે જેવી બારીક ડિટેલ આપવી પડશે.
કરદાતાઓએ તેમનું ફોર્મ 26AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS તપાસવું જોઈએ..જેથી વર્ચુઅલ ડિજિટલ એસેટના કિસ્સામાં ટીડીએસને ઇનકમ ટેક્સ રિટર્નમાં સામેલ કરી શકાય. જો તમને તમારા પગારની સાથે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાંથી પણ આવક થતી હોય, તો તમે ITR-1 ફાઇલ નહીં કરી શકો. તેના બદલે તમારે ITR-2 ભરવું પડશે. Crypto, Non-Fungible Token (નોન ફંજીબલ ટોકન) એટલે કે NFT જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના વેચાણથી થતી આવક પર 30% ટેક્સ લાગે છે.
બીજો ફેરફાર ડોનેશન એટલે કે દાન સાથે સંબંધિત છે..જો તમે એવું દાન આપ્યું હોય કે જેના પર સેક્શન 80G હેઠળ કરમુક્તિ લઈ શકાય તેમછે તો માત્ર રસીદ કામ નહીં ચાલે…આવક વેરા ફોર્મમાં એક નવી કોલમ ઉમેરવામાં આવી છે…આ કોલમમાં , સંસ્થાને આપેલા દાન માટે ડોનેશન રેફરન્સ નંબર આપવો પડશે જ્યાં લાયકાત મર્યાદાને આધીન 50% કપાતની મંજૂરી છે. દાન પ્રાપ્ત કરતી સંસ્થા દ્વારા જારી કરાયેલું ફોર્મ 10BE અથવા રસીદમાં ડોનેશન રેફરન્સ નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
બીજો ફેરફાર શેરબજારવાળા માટે છે. ITR ફોર્મમાં ‘ટ્રેડિંગ એકાઉન્ટ’ નામની એક અલગ કૉલમ ઉમેરવામાં આવી છે. જેમાં લોકોએ તેમની ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ પ્રવૃત્તિઓ વિશે અલગથી માહિતી આપવાની રહેશે… તેમાં તમારે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગના ટર્નઓવર અને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાંથી થયેલી કમાણીનો રિપોર્ટ કરવો પડશે. ITR-3 ફોર્મમાં આ કોલમ ઉમેરવામાં આવી છે.
ITR-3 અને ITR-4 ની અંદર એક નવી પ્રશ્નાવલી ઉમેરવામાં આવી છે… જે બિઝનેસ ઇનકમવાળા માટે છે… આ પ્રશ્નાવલીમાં, કરદાતાએ જણાવવાનું રહેશે કે તેણે પાછલા વર્ષોમાં સેક્શન 115BAC હેઠળ નવી કર વ્યવસ્થા પસંદ કરી છે કે પછી આ વ્યવસ્થાથી બહાર નીકળી ગયા છે. આનાથી કર અધિકારીઓને એ જાણવામાં મદદ મળશે કે ભૂતકાળમાં કોઈએ નવી કર વ્યવસ્થાનો ઉપયોગ કર્યો છે કે કેમ.
બિઝનેસ ઇનકમ ધરાવતા લોકો માત્ર એક જ વાર ટેક્સ રિજિમ વચ્ચે સ્વિચ કરી શકે છે. એટલે કે જો તેઓ જૂની ટેક્સ સિસ્ટમમાંથી નવી ટેક્સ સિસ્ટમમાં આવે છે તો તેમને માત્ર એક જ વાર જૂની ટેક્સ સિસ્ટમમાં પાછા જવાની તક મળશે. જ્યારે પગારદાર વ્યક્તિઓ દર વર્ષે ટેક્સ રિજિમ પસંદ કરી શકે છે.
જો તમે પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જઈ રહ્યા છો, તો આદિત્યની જેમ આ ફેરફારો તમારા માટે ઉપયોગી થઈ શકે છે… રિટર્ન ફાઈલ કરતી વખતે તમારે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારી આવકના આધારે યોગ્ય ITR ફોર્મની પસંદગી કરો. આવકને યોગ્ય હેટ એટલે કે મથાળે દર્શાવો. ITR ફાઈલ કર્યા પછી તેની ખરાઈ કરવાનું ભૂલશો નહીં. જો પગાર સિવાય બીજી કોઈ આવક હોય, તો ચોક્કસ રિટર્નમાં તેની જાણ કરો. અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો