Money9: તમારી સેલેરીમાંથી ટેક્સ ન કપાય એટલા માટે નાણાકીય વર્ષની શરુઆતમાં જ નોકરીયાત લોકોએ આખા વર્ષનું પ્લાનિંગ કરીને ડિક્લેરેશન આપવાનું હોય છે. એટલે કે તેમણે જણાવવાનું હોય છે કે કયા રોકાણ વિકલ્પોમાં રોકાણ કરીને તે ટેક્સ બચાવશે. તમારા ડિક્લેરેશનના હિસાબે જ એચઆર ટેક્સનું કેલ્ક્યુલેશન કરે છે અને તમારી સેલેરીમાંથી કોઇ ટેક્સ નથી કપાતો. આ ક્રમ ડિસેમ્બર સુધી આમ જ ચાલ્યા કરે છે. પછી આવે છે જાન્યુઆરી અને એચઆર ડિપાર્ટમેન્ટનો મેઇલ આવે છે જેમાં કહેવામાં આવે છે કે ડિક્લેરેશનના હિસાબે પ્રૂફ જમા કરી દો. જો તમે પ્રૂફ જમા નથી કરતા તો માની લેવામાં આવે છે કે તમે રોકાણ નથી કર્યું અને બાકીના 3 મહિનાના પગારમાંથી આખા વર્ષનો ટેક્સ કાપી લેવામાં આવે છે.
સાહિલ પરેશાન છે કે તેણે વર્ષની શરુઆતમાં અતિ ઉત્સાહમાં ડિક્લેરેશનમાં લખી નાંખ્યુ હતું કે તે 1.5 લાખનું રોકાણ કરશે પરંતુ અત્યાર સુધી રોકાણનું આ કમિટમેન્ટ પૂર્ણ નથી કર્યું…હવે સાહિલની સામે છે 3 સવાલ. પહેલો..શું સાહિલ હજુ પણ ટેક્સ કપાવાથી બચાવી શકશે. બીજું બાકીના મહિનામાં સાહિલે રોકાણ ક્યાં કરવું જોઇએ? અને ત્રીજું જો સેલેરીમાંથી ટેક્સ કપાઇ ગયો હોય તો શું કરવું? આ સવાલોના એક-એક કરીને જવાબ જાણીએ
સાહિલ હવે ટેક્સ કેવી રીતે બચાવી શકે છે?
ટેક્સ કપાતો બચાવવા માટે સાહિલને રોકાણનું કમિટમેન્ટ પુરુ કરવું પડશે. એચઆરમાં ટેક્સના પ્રૂફ જમા કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી સુધી છે. જો સાહિલની પાસે 1.5 લાખ રૂપિયાની વ્યવસ્થા છે તો રોકાણ કરીને પ્રૂફ જમા કરી શકે છે. બીજો સવાલ એ કે આખુ વર્ષ જો રોકાણ નથી કર્યું તો છેવટે ટેક્સ બચાવવા માટે સાહિલ ક્યાં રોકાણ કરે? સાહિલ ટેક્સ બચાવવા માટે આવકવેરાની કલમ 80સી અને 80ડી હેઠળ રોકાણ કરી શકે છે.
આવકવેરાની કલમ 80સી હેઠળ જે ચીજો પર 1.50 લાખ રૂપિયાની છૂટ મળે છે તેમાં બે બાળકોની ટ્યૂશન ફી, પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ, જીવન વીમા પ્રીમિયમ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ અને હોમલોનની EMIમાં મુદ્દલ રકમનો હિસ્સો વગેરે સામેલ છે.
આ ઉપરાંત કલમ 80 ડીમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીના 25,000 રૂપિયા અને માતા-પિતાના હેલ્થ ઇન્સ્યોરન્સની ખરીદી પર 25,000 રૂપિયા સુધીના પ્રીમિયમ પર કુલ મળીને 50 હજારનું એકસ્ટ્રા ટેક્સ સેવિંગ કરી શકે છે. જો સાહિલની પાસે એકસાથે રોકાણ કરવા માટે 1.5 લાખની રકમની વ્યવસ્થા ન થઇ શકે તો આખા વર્ષનો જે ટેક્સ હશે તે ફક્ત છેલ્લા 3 મહિનામાં કપાઇ જશે.
હવે સાહિલની સામે છે ત્રીજો સવાલ- HRએ ટેક્સ કાપીને ઓછી સેલેરી આપી તો તેને પાછી લેવાની કોઇ રીત છે? રોકાણના પ્રૂફમાં કમીમાં સાહિલનો એમ્પ્લોયર તો ટેક્સ કાપશે પરંતુ ટેક્સ કપાયા બાદ પણ જો સાહિલ 31 માર્ચ 2023 સુધી રોકાણ પૂરુ કરી દે તો ઇનકમ ટેક્સ રિટર્ન ભરીને ટેક્સનું રિફંડ પાછુ લઇ શકે છે.
ચાલો આ વર્ષે તો ટેક્સ જેમતેમ કરીને બચી જશે પરંતુ દર વર્ષે આવુ ન થાય તે માટે જરુરી છે કે તમે નાણાકીય વર્ષના પહેલા મહિનામાં ટેક્સ પ્લાનિંગ શરુ કરી દો. રોકાણ માટે અંતિમ સમયની રાહ ન જુઓ. ધીમે ધીમે રોકાણ કરવાથી તમારી પર એક સાથે બોજ નહીં પડે અને રોકાણમાં સારુ રિટર્ન પણ તમે સુનિશ્ચિત કરી શકશો. તો ટેક્સ પ્લાનિંગને લઇને જાગતા રહો..જો જાગતા રહેશો તો ટેક્સ બચાવી શકશો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો