Money9: ઇનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવાની અંતિમ તારીખ નજીક આવી ચુકી છે. જો તમે અત્યાર સુધી ITR ફાઇલ નથી કર્યું તો સહેજ પણ મોડું ન કરતાં. ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. રિટર્ન ભરતી વખતે લોકો ઘણીવાર ભૂલો કરતાં હોય છે. જેનાથી ભવિષ્યમાં મોટું નુકસાન ચુકવવું પડી શકે છે. અમે તમને બતાવીશું ITR ભરતી વખતે થતી ભૂલો અંગે..જેથી તમે આવી ભૂલ ન કરો.
ITR ફૉર્મની પસંદગી મહત્વની
યોગ્ય ITR ફૉર્મની પસંદગી સૌથી મહત્વનું છે. તમારે કયું ITR ફોર્મ ભરવાનું છે તે ઘણીબધી બાબતો પર આધાર રાખે છે. જેમકે આવકના સ્ત્રોત શું છે, શું કોઇ રહેણાંક સંપત્તિ છે, શું વિદેશમા કોઇ સંપત્તિ છે કે કોઇ કંપનીમાં પાર્ટનર છો. ઉદાહરણ તરીકે ITR-1 સેલેરીડ માટે છે, જો તમે કોઇ બિઝનેસમાંથી પ્રોફિટ કે કેપિટલ ગેઇન કરો છો તો ITR-2 ફાઇલ કરવાનું હોય છે.
ITR ભરતી સમયે પર્સનલ જાણકારી યોગ્ય રીતે ભરવી જરૂરી છે. ખોટી જાણકારી આપવા પર રિટર્ન ફૉર્મ રિજેક્ટ થઇ શકે છે. રિફંડનો દાવો કરનારા ટેક્સપેયર્સે બેંક ખાતાની યોગ્ય ડિટેલ્સ આપવી જોઇએ. સાથે જ, બેંક એકાઉન્ટ પ્રી-વેલિડેટ હોવું જોઇએ. IFSC કોડ કે બેંક ખાતા સાથે જોડાયેલી જાણકારી યોગ્ય ન હોવા પર રિફંડ ફસાઇ શકે છે.
ઘણાં ટેક્સપેયર્સ ટેક્સમાંથી છૂટ પ્રાપ્ત આવકને ITRમાં નથી બતાવતા. જેમકે PPF થી વ્યાજની આવક, સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ, સગાસંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ, ટેક્સથી છૂટ પ્રાપ્ત આવક ન દેખાડવા પર આવકવેરા વિભાગ પૂછપરછ કરી શકે છે.
ડેડલાઇન બાદ ભરવો પડશે દંડ
ડેડલાઇન બાદ ITR ફાઇલ કરવા પર દંડ ભરવો પડી શકે છે. જો તમે 31 જુલાઇ 2022 પહેલાં રિટર્ન ફાઇલ કરો છો તો ભૂલ થાય તો ITRમાં સંશોધન કરી શકાય છે. નિર્ધારિત તારીખ બાદ રિટર્ન ફાઇલ કરવા પર રિવાઇઝની મંજૂરી નહીં મળે. તો ડેડલાઇન બાદ રિટર્ન ફાઇલ કરવા પર 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી ટેક્સેબલ ઇનકમ હશે તો 1,000 રૂપિયા લેટ ફી લાગશે. 5 લાખ રૂપિયાથી વધુની આવક પર લેટ ફી 5,000 રૂપિયા હશે, જો તમે 31 ડિસેમ્બર, 2022 પહેલા રિટર્ન ફાઇલ કરશો તો જાન્યુઆરી-માર્ચ ITR ફાઇલિંગ વખતે આ રકમ વધીને 10,000 રૂપિયા થઇ જશે.
ITR ભરવું જેટલી જરૂરી છે એટલું જ મહત્વનું તેને વેરિફાઇ કરવાનું છે. ઘણાં લોકો ITR ભરી દે છે, પરંતુ તેને વેરિફાઇ નથી કરતા. ITR વેરિફાઇ માટે 120 દિવસનો સમય હોય છે. આધાર OTP દ્વારા આ કામ કરી શકાય છે. ઑનલાઇન વેરિફિકેશન ન થાય તો ITRની કૉપી સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ એટલે કે સીપીયૂને મોકલવાની હોય છે. જ્યાં સુધી ITR વેરિફાઇ ન થાય ત્યાં સુધી તમારુ રિટર્ન પ્રોસેસ નહીં થાય.
ITR ફાઇલ ન કરવું પડી શકે ભારે
સેબી રજિસ્ટર્ડ ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી જણાવે છે કે કેટલાક લોકો ITR ફાઇલ નથી કરતા. આ એક મોટી ભૂલ છે. જો તમારી આવક ટેક્સેબલ છે અને તમે ટેક્સ નથી ભરી રહ્યાં કે પછી તમે ઇનકમને લઇને મિસ-રિપોર્ટિંગ કર્યું છે તો એમ માનવામાં આવે છે કે તમારો હેતુ ટેક્સ ચોરીનો છે. આવા સંજોગોમાં આવકવેરા અધિકારીઓની પાસે પેનલ્ટી લગાવવાની સાથે જ કેસ ચલાવવાનો અધિકાર પણ છે. જેમાં દંડની સાથે સજા પણ થઇ શકે છે.
આ ભૂલ ઉપરાંત બીજી પણ ઘણી ચીજો છે જેનો ઉલ્લેખ ટેક્સપેયર્સ ઇનકમ ટેક્સ રિટર્નમાં નથી કરતાં. તેમાં પ્રોપર્ટી કે અન્ય કોઇ રોકાણથી કેપિટલ ગેઇનની જાણકારી ન આપવી, ફૉર્મ 26AS અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISની ફોર્મ-16 સાથે મેળવણી ન કરવી, બધા ઇનકમ સોર્સની જાણકારી ન આપવી, બેંકથી પ્રાપ્ત વ્યાજનો રિપોર્ટ ન કરવો અને પ્રી-ફિલ્ડ ડિટેલ્સ ધ્યાનથી ચેક ન કરવા જેવી બાબતો સામેલ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો