MONEY9 GUJARATI: ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) એટલે કે ITR ફાઈલ કરવું એ સૌથી મહત્વપૂર્ણ ફાઈનાન્શિયલ ટાસ્કમાંથી એક છે… જે આપણે દર વર્ષે સમયસર પૂર્ણ કરવું પડે છે… રિટર્ન (Return) ફાઈલ કરતા પહેલા કેટલાક દસ્તાવેજો છે જે જોવા જરૂરી છે… આને ઈગ્નોર કરવાથી ITRમાં ભૂલની શક્યતાઓ વધી જાય છે.. અને આ ભૂલ ઈનકમ ટેક્સની નોટિસ પણ અપાવી શકે છે. આ ડૉક્યૂમેન્ટમાં એક છે એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (Annual Information Statement) એટલે કે AIS… AIS શું છે… ITR ફાઇલ કરવા માટે AIS કેમ જરૂરી છે…AIS માં કોઈપણ ભૂલ થાય તો તેને કેવી રીતે સુધારવી… આવો જાણીએ…
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવેમ્બર 2021માં એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISની શરૂઆત કરી હતી. AIS એ એક વ્યાપક અને મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે, જેમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની જાણકારી હોય છે.. તે ફોર્મ 26ASનું વિસ્તૃત સ્વરૂપ છે… ફોર્મ 26ASમાં નાણાકીય વર્ષ દરમિયાન ખરીદેલી પ્રૉપર્ટીની યાદી, હાઈ વેલ્યૂ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે જંગી રોકાણ અને Tax Deducted at Source એટલે કે TDS અને Tax Collected at Source એટલે કે TCSની વિગતો હોય છે.
જ્યારે AISમાં ફોર્મ-26ASમાં જણાવેલી વિગતો તો હોય જ છે. આ સિવાય એડવાન્સ ટેક્સ, સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ, સેવિંગ એકાઉન્ટ પરનું વ્યાજ, ડિવિડન્ડ, રેન્ટ, સિક્યોરિટીઝ અથવા સ્થાવર મિલકતની ખરીદી અને વેચાણ, વિદેશમાં મોકલવામાં આવેલા નાણાં , રિફંડ, FD જેવી ડિપોઝિટનું વ્યાજ, GST ટર્નઓવર જેવી માહિતી હોય છે.. AISમાં ટેક્સપેયર્સના લગભગ તમામ નાણાકીય વ્યવહારો નોંધાયેલા હોય છે… એટલું જ નહીં, જો તમને કોઈપણ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ભૂલ જણાય તો તમે ફીડબેક આપીને તેને સુધારી શકો છો.
તમે AIS ડાઉનલોડ કરી શકો છો અને તેને ચેક કરી શકો છો… આ માટે તમારે ઈન્કમ ટેક્સના ઈ-ફાઈલિંગ પોર્ટલ (https://eportal.incometax.gov.in/) પર જવું પડશે… પાન નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કરો. તમને મેનૂમાં AISનો વિકલ્પ દેખાશે… જેના પર ક્લિક કરવાથી કમ્પ્લાયન્સ પોર્ટલની એક અલગ વિન્ડો ખુલશે… પછી AIS વિકલ્પ પસંદ કરો… અને AIS ડાઉનલોડ થઈ જશે… જો તમે ઇચ્છો, તો તમે AIS એપ પણ ડાઉનલોડ કરી શકો છો…
ધારો કે, તમે આ વર્ષે ITR ફાઇલ કરતી વખતે AIS ડાઉનલોડ કરવાનું અને ચેક કરવાનું ભૂલી ગયા છો… AISમાં એક ભૂલ હતી, જે તમે સુધારી નથી… ધારો કે તમે બે વર્ષ પહેલાં બંધ થયેલા બેંક ખાતામાંથી કોઈ વ્યાજ મેળવ્યું છે… ખાતું બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કદાચ તમને વ્યાજ ન મળ્યું હોય… જો કે, AIS દર્શાવે છે કે તમે તે બેંક ખાતામાંથી વ્યાજ મેળવ્યું છે… જે તમે ITRમાં જાહેર કર્યું નથી… આવી સ્થિતિમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એડિશનલ ટેક્સ ડિમાન્ડ એટલે કે વધારાના ટેક્સની માંગ કરવા માટે નોટિસ આપી શકે છે… તેથી AIS તપાસવું અને જો કોઈ ભૂલ જણાય તો તેને સુધારવી જરૂરી છે..
જો તમને AIS માં કોઈ ભૂલ દેખાય છે, તો તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ફરી લોગ ઇન કરવું પડશે અને AIS વિકલ્પ પર જવું પડશે. AIS પર ક્લિક કરવાથી, તમને AIS અને TIS ((Taxpayer Information Summary) બે ઑપ્શન મળશે.Annual Information Statement પર ક્લિક કરવાથી,,પાર્ટ A અને પાર્ટ B દેખાશે… જ્યાં ખોટી માહિતી સિલેક્ટ કરવાનું છે… અને ફિડબેક સબમિટ કરવા માટે ‘Optional’ સિલેક્ટ કરવાનું રહેશે… ત્યારબાદ તમને કેટલાક વિકલ્પો મળશે. જે ઑપ્શન તમને લાગુ પડતો હોય તે પસંદ કરો.. આને લગતા દસ્તાવેજો પણ માંગવામાં આવી શકે છે…
રિટર્ન ફાઈલ કરતી વખતે દરેક ટેક્સપેટર્સે AIS એટલે કે Annual Information Statement તપાસવું જોઈએ… અને ખાતરી કરવી જોઈએ કે ITRમાં દર્શાવેલ આવક AIS સાથે મેળ ખાય છે… કોઈપણ પ્રકારની મિસમેચ ટેક્સ નોટિસ અપાવી શકે છે… મોટાભાગના માત્ર રિટર્ન ભરતી વખતે જ AIS તપાસે છે. આમ કરવાને બદલે, દર 3 મહિને AISની તપાસ કરવી જોઈએ… જો તમને કોઈ ભૂલ જણાય તો તરત જ રિપોર્ટ કરો..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો