MONEY9 GUJARATI: ટેક્સપેયર્સ (Taxpayers) મહેરબાની કરીને ધ્યાન આપો.. એસેસમેન્ટ યર 2024-25 (Assessment Year 2024-25) માટે ઈનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ના ફોર્મ જાહેર કરી દેવામાં આવ્યા છે…આ વખતે ફોર્મમાં કેટલાક ફેરફાર કરાયેલા છે…જેના વિશે તમારે જાણવું જરૂરી છે… ઈનકમ ટેક્સ ભરવાની નવી સીઝનની આ વખતે સમય પહેલા શરૂઆત થઈ ગઈ છે… ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-1 અને ITR-4 ફોર્મ જાહેર કર્યા છે… સામાન્ય રીતે ફોર્મ નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ફેબ્રુઆરી અથવા માર્ચમાં બહાર પાડવામાં આવે છે. જો કે.આ વખતે તે સમય કરતાં 2-3 મહિના પહેલા જાહાર કરવામાં આવ્યા છે… સરકાર ઈચ્છે છે કે નાણાકીય વર્ષ 2023-24 એટલે કે ફાઈનાન્શિયલ યર 2024-25 (Financial Year 2024-25) માટે ટેક્સપેયર્સ 31મી જુલાઈ સુધીમાં ITR ફાઇલ કરવાનું કામ પૂરું કરી લે. હવે ITR ફોર્મમાં કરવામાં આવેલા કેટલાક મોટા ફેરફારો વિશે વાત કરીએ…
સૌથી પહેલા ITR-1 વિશે વાત કરીએ…તો આ ફોર્મને સહજ પણ કહેવાય છે…આ ફોર્મ એવા ટેક્સપેયર્સ માટે છે જેમની વાર્ષિક આવક 50 લાખ રુપિયા સુધી છે અને તે સેલેરી, રહેણાંક મિલકત, 5000 રુપિયા સુધીની કૃષિ આવક અને અન્ય સ્ત્રોતોમાંથી થઈ રહી છે.
વર્તમાન નાણાકીય વર્ષથી ન્યૂ ટેક્સ રેજિમ ડિફોલ્ટ બની ગઈ છે…એટલે કે, જો તમે એગ્ઝમ્પશન અને ડિડક્શન વાળી એલ્ડ ટેક્સ રેજિમ સિલેક્ટ કરવા માગો છો તો તમારે ન્યૂ ટેક્સ રેજિમને ઑપ્ટ આઉટ એટલે કે છોડવાના ઑપ્શન પર yes સિલેક્ટ કરવું પડશે… ન્યૂ ટેક્સ રેજિમમાં 7 લાખ રૂપિયા સુધીની ઈનકમ પર કોઈ ટેક્સ નથી. તે જ સમયે, ફોર્મના પાર્ટ-Cમાં, જ્યાં ડિડક્શનની કૉલમ છે…તેમાં સશસ્ત્ર દળોમાં અગ્નિવીર તરીકે કામ કરતા યુવાનો માટે સેક્શન 80CCH હેઠળ કપાત માટે એક અલગ સેક્શન આપવામાં આવ્યો છે… અગ્નિવીર કોર્પસ ફંડમાં કરેલા કન્ટ્રીબ્યૂશન પર ટેક્સ છૂટ મળશે. ફોર્મમાં એક સેક્શન પાર્ટ-E હોય છે.., જેમાં તમારે સંબંધિત નાણાકીય વર્ષ દરમિયાન ઑપરેશનલ તમામ બેંક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે. જેમાં તમારે એકાઉન્ટ ટાઈપ જણાવવું પડશે એટલે કે તે સેવિંગ્સ એકાઉન્ટ છે કે કરન્ટ એકાઉન્ટ…
હવે ચાલો ITR-4 ફોર્મ વિશે વાત કરીએ,, જેને સુગમ પણ કહેવામાં આવે છે…આ ફોર્મ ઈન્ડિવિઝ્યુઅલ ટેક્સપેયર્સ, અવિભાજિત હિંદુ પરિવારો અને LLP સિવાયની તમામ ફર્મ ભરી શકે છે,, જેમની કુલ આવક 50 લાખ રુપિયા સુધી છે અને આવકનો સ્ત્રોત બિઝનેસ અથવા કોઈ પ્રોફેશન છે…
ITR-4 ફોર્મ ભરનારા કરદાતાઓએ ઓલ્ડ ટેક્સ રેજિમ પસંદ કરવા અને ન્યૂ ટેક્સ રેજિમ છોડવા માટે ફોર્મ 10-IEA ભરવાનું રહેશે… અહીં એક નોટ લખેલી હોય છે જેનો અર્થ એ છે કે જો તમે ઓલ્ડ ટેક્સ રેજિમ પર સ્વિચ કરવા માંગતા હોવ તો તમારે તમારું ITR,, ડ્યૂ ડેટ એટલે કે 31મી જુલાઈ સુધીમાં ફાઈલ કરવું પડશે… જો તમે 31મી જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરીને ઓલ્ડ ટેક્સ રેજિમ પસંદ નહીં કરો, તો તમને ફક્ત ન્યૂ ટેક્સ રેજિમમાં જવાનો ઑપ્શન મળશે.
ITR-4 માં કલમ 44ADમાં બિઝનેસ ટર્નઓવરની લિમિટ વધારીને 3 કરોડ રુપિયા કરવામાં આવી છે.. શરત એ છે કે રોકડ વ્યવહારો 5% અથવા તેનાથી ઓછા હોવા જોઈએ.. તેમજ, 44ADA માં પ્રોફેશનલ્સ માટે કુલ રસીદની લિમિટ 50 લાખથી વધારીને 75 લાખ કરવામાં આવી છે… જો કે રોકડ વ્યવહારોનો હિસ્સો 5% કે તેથી ઓછો હોવો જોઈએ… આ બંનેમાં ‘રિસીપ્ટ્સ ઇન કેશ’ની નવી કૉલમ ઉમેરવામાં આવી છે. …આમાં ટેક્સપેયર્સે જણાવવાનું રહેશે કે નાણાકીય વર્ષ દરમિયાન તેમને રોકડમાં કેટલા પૈસા,,ક્યાંથી મળ્યા છે? અગાઉ ફક્ત બે જ મોડ્સ હતા…કેશ વાળો મોડ આ વખતે ઉમેરવામાં આવ્યો છે. હવે ટર્નઓવરને ત્રણ ભાગમાં બતાવવું પડશે..
ITR ફોર્મ વહેલા આવવાથી કરદાતાઓને નવા ફેરફારો સમજવામાં, દસ્તાવેજો તૈયાર કરવામાં અને સમય પહેલાં રિટર્ન ફાઈલ કરવામાં મદદ મળશે… પેન કાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ વગેરે દ્વારા તમારા દરેક ટ્રાન્ઝેક્શનની માહિતી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મળી જાય છે. નાણાકીય વર્ષમાં તમે તમારા થયેલા લગભગ તમામ ટ્રાન્ઝેક્શન તમે એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISમાં ચેક કરી શકો છો.ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને તમારી આવક વિશે સાચી માહિતી આપવી જરૂરી છે નહીં તો તમને નોટિસનો સામનો કરવો પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો