Money9: શું તમને ખબર છે કે, ભારતમાં કેટલા પરિવાર પાસે જીવન વીમો છે? કયા રાજ્યમાં સૌથી વધુ પરિવારો પાસે લાઈફ ઈન્સ્યૉરન્સ છે? અને કેટલા ટકા લોકો એવું માને છે કે, લાઈફ ઈન્સ્યોરન્સ તેમની નિવૃત્તિ માટે બચતનો શ્રેષ્ઠ વિકલ્પ છે? કદાચ, આ સવાલોના જવાબ તમારી પાસે નહીં હોય. એટલા માટે જ, આ સવાલોના જવાબ આપવા માટે મની નાઈન લઈને આવ્યું છે, એક ખાસ સરવે. દેશનો પ્રથમ અને એક માત્ર સ્વતંત્ર પર્સનલ ફાયનાન્સ સરવે….
સર્વેની ખાસ વાત
મની નાઈને ભારતનાં 20 રાજ્યોનાં 100 જિલ્લામાં 31,510 પરિવારોનો સરવે કર્યો અને આ સેમ્પલ સરવેના તારણ અનુસાર, દેશમાં દર 100માંથી માત્ર 19 પરિવાર પાસે લાઈફ ઈન્સ્યૉરન્સ છે…, એટલે કે, 100માંથી 81 પરિવારો પાસે લાઈફ ઈન્સ્યૉરન્સ કવરેજ નથી. હવે આપણે રાજ્યોની સ્થિતિ જાણીએ. તો કર્ણાટકમાં સૌથી વધુ લોકોએ એટલે કે, દર 100માંથી 38 પરિવારે લાઈફ ઈન્સ્યૉરન્સ લીધો છે. ત્યારબાદ, દિલ્હી-NCRમાં 100માંથી 27 પરિવારે જીવન વીમો ઉતરાવેલો છે.
દેશનાં મોટા રાજ્યોની વાત કરીએ તો, બિહારમાં સૌથી ઓછા, 100માંથી માત્ર 7 પરિવાર પાસે જ જીવન વીમાનું કવર છે. રાજ્યો બાદ જિલ્લા પર નજર નાખીએ તો, કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં સૌથી વધુ, 100માંથી 53 પરિવારે લાઈફ ઈન્સ્યૉરન્સમાં ઈન્વેસ્ટ કરેલું છે.
સર્વેમાં રસપ્રદ માહિતી
આ સરવેમાં અન્ય કેટલીક રસપ્રદ માહિતી પણ જાણવા મળી છે…, જેમકે, 58 ટકા લોકો માને છે કે, લાઈફ ઈન્સ્યૉરન્સ તેમની રિટાયરમેન્ટ લાઈફ માટે સેવિંગનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે… જીવન વીમા પોલીસી ખરીદવાની વાત આવે તો, લોકો હજુ પણ સૌથી વધુ ભરોસો LIC પર કરે છે.
દર 100માંથી 84 પરિવાર પાસે LICની લાઈફ ઈન્સ્યૉરન્સ પૉલિસી છે. અમારા સરવેમાં પર્સનલ ફાયનાન્સ સાથે જોડાયેલી અન્ય વિગતો પણ છે.
આ જાણકારી ખૂબ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે…, આ જાણકારી તમને ખૂબ કામમાં આવે તેવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો