Money9: કોવિડ દરમિયાન, તમે જે આર્થિક પડકારનો સામનો કર્યો, તેની વાત કરીશું. કેવી રીતે ભારતનાં લોકોએ સંઘર્ષ કરીને આ સ્થિતિનો સામનો કર્યો અને કોવિડને હરાવવામાં તેમના ખિસ્સાં કેટલાં ખાલી થયા… તે જાણવા મળશે અમારા આ ખાસ સરવેમાં.
કોવિડનું નામ આવે એટલે આપણા દિમાગમાં ઓક્સિનના સિલિન્ડર, દર્દીઓથી ભરેલી હોસ્પિટલ, માસ્ક પહેરેલાં ચહેરા અને લોકડાઉનના દ્રશ્યો દેખાવા લાગે છે… પણ એક ચિત્ર જે સૌને વ્યથિત કરનારું છે તે છે માઈગ્રન્ટ લેબરનું. જો તમે સુરત, અમદાવાદ કે મુંબઈ જેવા ઔદ્યોગિક શહેરમાં રહેતા હશો, તો તમે માદરે વતન જઈ રહેલાં પ્રવાસી મજૂરોનાં ટોળાં જોયા હશે… ફેક્ટરીઓ, દુકાનો, ઑફિસો બંધ થઈ ગઈ એટલે આ મજૂરોને માદરે વતન ભાગવાનો વારો આવ્યો… તો આ મજૂરો શા માટે શહેર છોડીને ગામડે ભાગ્યા હશે… શું તેમની પાસે એકાદ મહિનો ચાલે એટલી બચત પણ નહીં હોય…?
કોવિડે તમારા પર કેવી અસર કરી
કોવિડે તમારા ખિસ્સા પર અને તમારી જિંદગી પર કેવી અસર પાડી અને આ અસર કેટલી ધારદાર રહી. પહેલાં તો એ સમજીએ કે, કોવિડ દરમિયાન લોકોની આવક વધી કે ઘટી.. અને તેને સમજવા માટે આપણે છેલ્લાં 3 વર્ષનો સમયગાળો ગણતરીમાં લઈશું. સરવે દર્શાવે છે કે, 44 ટકા પરિવારની આવક ઘટી છે અને તમે કદાચ એમ કહેશો કે, આ તો સારું કહેવાય કે, દેશનાં 50 ટકા કરતાં પણ ઓછા લોકોની આવક ઘટી… સરવેમાં જાણવા મળે છે કે, 7 ટકા પરિવારની આવક વધી છે જ્યારે બાકીના 49 ટકા પરિવારની આવકમાં કોઈ ફેરફાર થયો નથી.
પરંતુ ચિંતાની વાત એ છે કે, જે 44 ટકા લોકોની આવક ઘટી હતી, તે એવા લોકો હતા, જેમની માસિક કમાણી 15,000 રૂપિયાથી પણ ઓછી છે…. મહિને 15 હજારથી પણ ઓછું કમાતા આવા પરિવારમાંથી 54 ટકા પરિવારની આવક ઘટી છે… એટલે કે, જેમનો આખો પરિવાર મહિને 15 હજારથી ઓછી કમાણી કરે છે, તેવા અડધોઅડધ પરિવારોની આવકમાં ઘટાડો થયો હતો… જે લોકો 35 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે, તેવા 38 ટકા લોકોની આવક ઘટી હતી…. જો તમે 15,000થી ઓછી આવક ધરાવતા પરિવારની કેટેગરીમાં જોશો, તો આવા 3 ટકા પરિવારે અમને જણાવ્યું કે, તેમની આવક વધી હતી.
90 ટકા લોકોની આવક સ્થિર
દેશમાં 90 ટકાથી વધુ પરિવાર એવા છે, જેમની આવકમાં કોઈ ફેરફાર થયો નથી. હવે, તમે આ આંકડાને પ્રવાસી મજૂરો સાથે જોડીને સમજશો, તો માલૂમ પડશે કે, આ લોકો પાસે એક મહિનો ચાલે તેટલી બચત પણ નહોતી. એટલે જ તો, પ્રવાસી મજૂરોના ધાડેધાડા ઔદ્યોગિક શહેર છોડીને ગામડે ભાગી રહ્યાં હતાં… આથી જ, તો રિઝર્વ બેન્કને લોન રિસ્ટ્રક્ચરિંગનું પગલું ભરવાનો વારો આવ્યો હતો… કારણ કે, ડિફોલ્ટની બીક વધી હતી. હવે લોકો પાસે એક મહિનાની બચત પણ ના હોય તો, પછી લોનના હપ્તા ભરવાની વાત તો દૂર રહી… આવા લોકો ડિફોલ્ટ ના થાય તે માટે લોન રિસ્ટ્રક્ચરિંગ જેવા પગલાં ભરવામાં આવ્યા હતા. આટલી બચત પણ ના ધરાવતા લોકો એવા ક્લાસમાં હતા જેમની માસિક આવક 35,000 રૂપિયાથી પણ ઓછી હતી, અને એટલે જ આવક બંધ થતાંની સાથે જ આવા લોકોએ પોતપોતાના વતન જવા માટે હજારો અને લાખોની સંખ્યામાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને જમાવડો કર્યો હતો… અરે, હજારો લોકોએ તો પગપાળા યાત્રા કરી હતી…
છેલ્લા પાંચ વર્ષની બચત
આ તો થઈ કોવિડની વાત… કોવિડને કારણે લોકોની આવક ઘટી એ તો સમજાયું. પણ શું કોવિડની પહેલાં પણ લોકોની સ્થિતિ આવી જ હતી… શું છેલ્લાં 5 વર્ષમાં લોકોએ તેમની બચતનાં પૈસા ખાલી કર્યાં હતા….? અને બચત તોડવાનો વારો શા માટે આવ્યો હતો…? આ સૌથી મોટો સવાલ છે. અમે સરવેમાં આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો…., તો જાણવા મળ્યું કે, ભારતનાં 47 ટકા લોકોએ છેલ્લાં 5 વર્ષમાં તેમની બચતને હાથ પણ લગાડ્યો નથી. પરંતુ, જે લોકોએ બચતના પૈસા વાપરી નાખ્યા છે, તેમની મજબૂરીનું કારણ પણ સમજીએ..આ કારણ છે હેલ્થકેર… એટલે કે, કોવિડ જેવી મહામારીનો સામનો કરવામાં અને દવાદારૂ કરવા માટે લોકોને તેમની બચતના પૈસા વાપરવાનો વારો આવ્યો હતો. દેશનાં 18 ટકા લોકોએ હેલ્થકેર માટે બચત ખાલી કરી હોવાનું સ્વીકાર્યું છે.
19 ટકા પરિવારે નોકરી ગુમાવવાથી અને આવક બંધ થવાથી બચત કરેલા પૈસા વાપર્યાં હતા. 7 ટકા લોકોએ બાળકોના શિક્ષણ માટે જ્યારે 4 ટકા લોકોએ લગ્ન માટે તેમની સેવિંગનો ઉપયોગ કર્યો હોવાનું અને લોનનું રિપેમેન્ટ કરવા માટે 3 ટકા લોકોએ બચત વાપરી હોવાનું સરવેમાં જાણવા મળે છે..આ તો વાત થઈ કોવિડની….પણ હવે સવાલ એ થાય કે, ભારતનો સરેરાશ પરિવાર કેટલી કમાણી કરે છે અને કેટલો ખર્ચ કરે છે….? જીવન જીવવા માટે લોકો કેટલી સંપત્તિ ખરીદવા માંગે છે…? જેમ-જેમ લોકોની આવક વધે છે, તેમ-તેમ કઈ સંપત્તિનું આકર્ષણ વધે છે…? કઈ એસેટમાં રોકાણ વધે છે અથવા તો કઈ એસેટ ખરીદવા માટે લોકો પૈસા ખર્ચે છે…?
તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો…, કદાચ તમે તેના સમાચાર વાંચ્યા કે સાંભળ્યા હશે. વર્લ્ડ બેન્કે જાહેર કરેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતનાં 5.6 કરોડ પરિવાર ગરીબીરેખાની નીચે જીવી રહ્યાં છે… તો કોણ છે આ લોકો…? આ એવા લોકો છે, જેમની માસિક કમાણી 15,000 રૂપિયાથી પણ ઓછી છે…
કોવિડમાં જ્યારે તેમની કમાણી બંધ થઈ ગઈ…. એટલે, નાછૂટકે આ લોકો ગરીબીરેખાની નીચે પહોંચી ગયા….
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો