MONEY9: તાજેતરમાં જ્યારે બજાજ ફિનસર્વનો શેર એક ટ્રેડિંગ સેશન બાદ 17,138 રૂપિયાથી સીધો 1,784 રૂપિયા પર આવી ગયો તો લોકો ચોંકી ગયા. એક દિવસમાં આટલો મોટો કડાકો થયો કેવી રીતે? હકીકતમાં આની પાછળનું કારણ હતું સ્ટોક સ્પ્લિટનું. કંપનીએ 1:5ના રેશિયોમાં શેરને સ્પ્લિટ કર્યા હતા. આ ઉપરાંત, કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાનો પણ નિર્ણય કર્યો હતો. બજાજ ફિનસર્વ ઉપરાંત, હાલમાં જ ટાટા સ્ટીલ, રામા સ્ટીલે પણ પોતાના Stock Split કર્યા હતા. સાથે જ આ મહિને ઘણી કંપનીઓએ પોતાના રોકાણકારોને બોનસ શેર ઇશ્યૂ કર્યા છે.
હવે તમારા મનમાં ઘણાં સવાલ થશે….
જેમ કે સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર શું હોય છે? કંપનીઓ કેમ કરે છે આવું? તેનાથી રોકાણકારોને શું ફાયદો થાય છે? અને શું રોકાણકારોએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર ઇશ્યૂ કરનારી કંપનીઓમાં રોકાણ કરવું જોઇએ?
તો આવો આ બધા સવાલોનો જવાબ મેળવીએ..
સૌથી પહેલા એ જાણો કે સ્ટૉક સ્પ્લિટ હોય છે શું?
જ્યારે કોઇ કંપનીને એમ લાગે કે તેના શેરની કિંમત ખુબ વધી ગઇ છે તો તે સ્ટોક સ્પ્લિટ કરે છે એટલે કે શેરનું વિભાજન કરે છે. કોઇ શેરની કિંમત ખુબ વધી જાય તો તેમાં ટ્રેડિંગ વોલ્યૂમ્સ ઘટવા લાગે છે. કારણ કે ભાવ વધારે હોવાના કારણે તેમાં મોટી સંખ્યામાં રોકાણકારો કારોબાર નથી કરી શકતા. આ જ કારણે કંપનીઓ Stock split કરે છે.
જો કે આનાથી કંપનીઓના શેરના વેલ્યૂએશનમાં ઘટાડો કે વધારો નથી થતો. તેનું કારણ એ છે કે શેરની સંખ્યા ભલે વધી જાય પરંતુ તે જ રેશિયોમાં એક શેરનું મૂલ્ય ઘટી જાય છે. તેનાથી ફાયદો એ થાય છે કે શેરમાં લિક્વિડિટી એટલે કે ખરીદ-વેચાણની સાથે સાથે એફોર્ડેબિલિટી વધી જાય છે.
આ પ્રક્રિયાથી કંપનીના હાલના રોકાણકારોને કોઇ ખાસ ફાયદો કે નુકસાન નથી થતું. એક ફાયદો એ થઇ શકે કે શેરમાં લિક્વિડિટી અને સંભવિત રોકાણકારોની માંગ વધવાથી તેની કિંમતમાં મજબૂતી આવી જાય છે, જેવું કે આપણે ટાટા સ્ટીલના કિસ્સામાં જોયું.
હવે તમને જણાવીએ કે બોનસ શેર શું હોય છે…
જ્યારે હાલના શેરધારકોને કોઇ એક રેશિયોમાં વધારાના શેર મળે છે તો તેને બોનસ શેર કહેવામાં આવે છે. જ્યારે કોઇ કંપની પોતાના શેર ધારકો માટે બોનસ શેર જાહેર કરે છે તો તેનાથી કંપનીના વેલ્યૂએશન એટલે કે મૂલ્યાંકનમાં કોઇ ફરક નથી પડતો. માત્ર શેરના ભાવમાં ઘટાડો થાય છે.
ઉદાહરણ તરીકે જો કોઇ કંપની 2:1 ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરે છે તો શેરધારકોને 1 શેરની સામે 2 વધારાના શેર મળશે. એટલે કે જો કોઇ શેરધારકની પાસે 1 શેર છે તો બોનસ મળ્યા બાદ તેના કુલ શેરની સંખ્યા વધીને 3 થઇ જશે. હવે સૌથી મહત્વનો સવાલ. શું રોકાણકારોએ સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર જાહેર કરનારી કંપનીમાં રોકાણ કરવું જોઇએ?
આ અંગે માર્કેટ એક્સપર્ટ અંબરીશ બાલિગા કહે છે કે split કે bonusથી શેર સસ્તો દેખાવા લાગે છે પરંતુ કંપનીની માર્કેટ કેપ પર તેની કોઇ અસર નથી દેખાતી. જો કે તેનાથી નાના રોકાણકારોના સેન્ટિમેન્ટ અને માંગમાં સુધારો થાય છે અને તેથી મોટાભાગે કોઇ શેરમાં split કે bonus બાદ તેજી જોવા મળતી હોય છે.
શોર્ટ ટર્મની રીતે જોઇએ તો આ પ્રકારના શેરમાં તમે રોકાણ કરી શકો છો પરંતુ મીડિયમથી લોંગ ટર્મની રીતે જોઇએ તો જો કંપનીના ફંડામેન્ટલ, સેક્ટરનો આઉટલુક પોઝિટિવ છે તો તમે શેરમાં પૈસા લગાવી શકો છો.
તો કુલ મળીને આખી વાત તમને ક્લિયર થઇ ગઇ હશે. જો કોઇ કંપનીના શેરનું વિભાજન થાય છે કે કંપની બોનસ શેર જાહેર કરે છે તો તેમાં રોકાણ કરતા પહેલા એ જરૂર જુઓ કે કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત હોય અને સેક્ટરનો આઉટલુક સારો હોય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો