MONEY9 GUJARATI: જે કર્મચારીઓ EPFO એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (Employees Provident Fund Organization)ના સભ્ય છે… તેઓને અનેક પ્રકારની સામાજિક સુરક્ષા મળે છે… તેમના પગારમાંથી દર મહિને જે PF કાપવામાં આવે છે, તેનાથી રિટાયરમેન્ટ (Retirement) માટે પૈસા તો ભેગા થાય જ છે..ઉપરાંત પરિવારને નાણાકીય સુરક્ષા પણ મળે છે.
આમાંની જ એક સુવિધા છે પેન્શન…આ સુવિધા એમ્પ્લોયી પેન્શન સ્કીમ એટલે કે EPS-95… હેઠળ મળે છે. હકીકતમાં, કંપની દર મહિને સેલેરીના બેઝિક અને ડીએના 12 ટકા હિસ્સો કાપે છે જે પૂરી રકમ કર્મચારીના પીએફ ખાતામાં જમા થાય છે… કંપની પોતાની તરફથી પણ 12 ટકા ફાળો આપે છે… તેમાંથી 8.33 ટકા હિસ્સો EPSમાં જમા થાય છે… જ્યારે બાકીની રકમ PF ખાતામાં જાય છે. જો કે, પેન્શનની રકમ માટે 15,000 રૂપિયાની બેઝિક સેલેરી પર ગણતરી કરવામાં આવે છે… આ રીતે, દર મહિને કર્મચારીના પેન્શન ખાતામાં 1,250 રૂપિયા જમા થાય છે… જો કે, EPFO એ સંપૂર્ણ પગાર પર પેન્શનની રકમ કાપવાનો વિકલ્પ પણ આપ્યો હતો… કોસ્ટ-ટુ-કંપની એટલે કે CTC પર કામ કરતા કર્મચારીઓનો બંને તરફનો હિસ્સો તેમના પગારમાંથી જ કાપવામાં આવે છે.
જો તમારા પેન્શન ખાતામાં 10 વર્ષ સુધી કોન્ટ્રીબ્યૂશન જમા થયું છે… તો તમને નિવૃત્તિ પછી જીવનભર પેન્શનની સુવિધા મળશે… સપ્ટેમ્બર 2014 બાદ 15,000 રૂપિયાથી વધુની બેઝિક સેલેરી ધરાવતા કર્મચારી EPS-95ના કાર્યક્ષેત્ર હેઠળ નથી આવતા… કર્મચારીને ક્યારે અને કેટલું પેન્શન મળે? જો નોકરી કરતી વખતે તેનું મૃત્યુ થાય તો કોને, ક્યારે અને કેટલું પેન્શન મળે? આવો સમજીએ…
EPFO દ્વારા સામાન્ય સંજોગોમાં રિટાયરમેન્ટ પેન્શન આપવામાં આવે છે.. આ પેન્શન 58 વર્ષની ઉંમર બાદ લાગુ થાય છે. પેન્શન કેટલું મળશે તે કર્મચારીની નોકરીની અવધિ અને બેઝિક સેલેરી પર આધાર રાખે છે, જો કે, લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયા પ્રતિ માસ છે. EPFOનો કોઇ સભ્ય 10 વર્ષની સેવા પૂરી કર્યા બાદ નોકરી છોડી દે કે પછી એવી કોઇ કંપનીમાં કામ નથી કરતો જ્યાં EPF લાગુ છે..તો 50 વર્ષની ઉંમર પૂરી થવા પર પૂર્વ પેન્શન એટલે કે ઘટેલા દરો પર પેન્શન લઇ શકે છે કે પછી 58 વર્ષની ઉંમર સુધી રાહ જોઇને સંપૂર્ણ પેન્શન લઇ શકે છે.
જો કોઈ સભ્ય પ્રી-પેન્શનનો લાભ લે છે, તો પૂર્ણ પેન્શનની રકમમાંથી દર વર્ષે 4 ટકાના દરે કાપવામાં આવશે. ઉદાહરણ તરીકે… જો કોઈ સભ્યને 58 વર્ષની ઉંમરે 5000 રૂપિયાનું પેન્શન મળવાનું હોય અને તે 57 વર્ષની ઉંમરે આ સુવિધા લેવા માગે છે… તો તેને 4 ટકા ઓછું એટલે કે દર મહિને 4800 રૂપિયા પેન્શન મળશે… આ રીતે, તે જેટલા વર્ષો સુધી એડવાન્સ પેન્શન લેશે, દર વર્ષે તેમાં 200 રૂપિયાનો ઘટાડો થશે. જો કોઈ સભ્ય નોકરી દરમિયાન સંપૂર્ણ અથવા કાયમી ધોરણે વિકલાંગ થવાને કારણે નોકરી છોડી દે છે, તો તેને વિકલાંગતા પેન્શન મળશે. આના માટે ન્યૂનતમ સભ્યપદની કોઈ શરત નથી… જો કોઈ કર્મચારી એક મહિનો ફાળો આપે તો પણ તેને આખી જિંદગી પેન્શન મળશે…
જો કોઈ વ્યક્તિ નોકરી કરતી વખતે મૃત્યુ પામે છે, તો તેની વિધવાને પેન્શન મળશે. આ પેન્શન કર્મચારીની તુલનામાં 50 ટકા એટલે કે અડધું હશે, જો કે, તેની લઘુત્તમ રકમ 1000 રૂપિયા છે. જો કર્મચારીના બાળકો નાના હોય તો બે બાળકોને 25 વર્ષ સુધી પેન્શન મળશે… બાળકોને પેન્શનની રકમ વિધવા પેન્શનના 25-25 ટકા મળશે.. વિધવાને આ સુવિધા જીવનભર મળશે… જ્યારે બાળકોને 25 વર્ષ સુધી પેન્શનનો લાભ મળશે. જો કોઇ બાળક વિકલાંગ છે તો તેને આખી જિંદગી પેન્શન મળશે.
જો કોઈ સભ્યનું મૃત્યુ થઇ ચૂક્યું છે… અને તેની પત્ની પણ હયાત નથી… તો તેના બે બાળકોને અનાથ પેન્શન મળશે… આ યોજનામાં વિધવા પેન્શનની 75 ટકા રકમ મળે છે… આ સુવિધા બે બાળકો સુધી ઉપલબ્ધ છે… બાળક દીઠ પેન્શનની લઘુત્તમ રકમ રૂ. 750 છે… બે બાળકોને આ સુવિધા 25 વર્ષ સુધીની ઉંમર સુધી મળશે… જો બાળક વિકલાંગ છે તો તેને આ પેન્શન આજીવન મળશે… જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને પેન્શન મળશે. નોમિનીની સુવિધા ત્યારે જ મળશે જ્યારે તેના પરિવારમાં કોઇ જીવિત ન હોય… અહીં પરિવારનો અર્થ પતિ, પત્ની અને બાળકો છે…
જો કોઈ સભ્યના લગ્ન નથી થયા અને તેણે કોઈને નોમિની નથી બનાવ્યો તો આ સ્થિતિમાં, સભ્યના મૃત્યુ પર, તેના પિતાને આશ્રિત પેન્શનનો લાભ મળશે… પિતાની ગેરહાજરીમાં, આ સુવિધા સભ્યની માતાને મળશે, જે આજીવન મળતી રહેશે. પેન્શનની સુવિધા મેળવવા માટે, ફોર્મ-10D ભરવાનું રહેશે… પતિ, પત્ની અને બાળકો આપોઆપ પેન્શનના લાભાર્થી ગણાશે…
EPS એ રિટાયરમેન્ટ સંબંધિત એક મહત્વપૂર્ણ યોજના છે… આ સુવિધાનો લાભ લેવા માટે, તમારે પીએફમાં નિયમિત યોગદાન આપવું પડશે… EPS ની વ્યાખ્યા મુજબ પરિવારમાં માતા-પિતા, પતિ, પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય જો તમે EPSમાં અન્ય કોઈને નોમિની બનાવો છો તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો