MONEY9: આજે આપણે જાણીશું કે, બેંકિંગ સેક્ટરમાં માર્ક ટૂ માર્કેટ લૉસ શું હોય છે? હકીકતમાં બેંકિંગ સેક્ટરમાં પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં તમને બેંકોનો નફો ભલે વધેલો જોવા મળ્યો હોય પરંતુ મોટાભાગની બેંકોના માર્ક ટૂ માર્કેટ લૉસિસ વધ્યા છે.
SBIએ પહેલા ક્વાર્ટરમાં 6,549 કરોડ રૂપિયાનો તો PNB ને 1,409 કરોડનો M2M લોસ થયો છે. રેટિંગ એજન્સી ICRA (ઇકરા)ના જણાવ્યા અનુસાર વધતા વ્યાજ દરોના કારણે પ્રથમ ક્વાર્ટરમાં બેંકિંગ સેક્ટરનો કુલ માર્ક ટૂ માર્કેટ લોસ 10-13 હજાર કરોડ રૂપિયા રહી શકે છે. જેમાં 8 થી 10 હજાર કરોડ રૂપિયાનો M2M લોસ PSU બેંકોનો અને 2,400-3,000 કરોડ રૂપિયાનો M2M લોસ પ્રાઇવેટ બેંકોનો હોઇ શકે છે.
માર્ક ટૂ માર્કેટ લૉસ શું હોય હકીકતમાં માર્ક ટૂ માર્કેટ લોસ એક પ્રકારની એકાઉન્ટિંગ એન્ટ્રી છે. જેને બેંક દ્વારા ખરીદવામાં આવેલી સરકારી સિક્યોરિટીને તેના હાલના ભાવ સાથે સરખામણી કરીને શોધી શકાય છે. બેંક કોઇ સરકારી સિક્યોરિટીને કોઇ નિશ્ચિત ભાવે ખરીદે છે. અને માની લો કે તેની હાલની વેલ્યૂ ઘટી ગઇ છે તો આ અનરિઅલાઇઝ્ડ નુકસાન માર્ક ટૂ માર્કેટ લોસ કહે છે.
મે મહિનાથી અત્યાર સુધી RBI એ 3 વાર રેપો રેટમાં 140 બેઝિસ પોઇન્ટનો વધારો કરી દીધો છે. જ્યારે-જ્યારે વ્યાજ દર વધે છે તો બોન્ડની કિંમતો ઘટવા લાગે છે. બૉન્ડની ઘટેલી કિંમતોના કારણે બેંકોના બોન્ડ માર્કેટ પોર્ટફોલિયોમાં કરવામાં આવેલું રોકાણ ઘટવા લાગે છે. અને આ જ ખોટને M2M લોસ કહે છે.
ડિસેમ્બર 2017માં RBI એ બેંકોને એ વાતની મંજૂરી આપી હતી કે તે પોતાનો માર્ક ટૂ માર્કેટ લૉસ 4 ત્રિમાસિક સુધી આગળ વધારી શકે છે. એટલે જો ભવિષ્યમા વ્યાજ દરો ઘટે અને બોન્ડની કિંમતો વધે તો બેંકોનો માર્ક ટૂ માર્કેટ લૉસ ઘટી શકે છે કે ભવિષ્યમાં સમાપ્ત થઇ શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે. ઉલટું વ્યાજ દરોમાં હજુ પણ વધારો થઇ શકે છે. જો આમ થશે તો બેંકોનો માર્ક ટૂ માર્કેટ લોસ બીજા ક્વાર્ટરમાં વધી શકે છે. બની શકે કે ત્રીજા ક્વાર્ટરમાં બેંકોના નફા પર પણ આની અસર જોવા મળે. એટલે કે બેંકિંગ શેરોમાં રોકાણ પહેલા વ્યાજ દરોના સાઇકલ પર નજર રાખો. સાથે જ એ પણ જુઓ કે બેંકનો માર્ક ટૂ માર્કેટ લૉસ કેટલો છે. કારણકે આજે નહીં તો કાલે આ બેંકોના નફા પર અસર પડશે અને જેની અસર તમારા રોકાણ પર પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો