MONEY9: છેલ્લા એક વર્ષમાં દેશમાં ખેતરોમાં જોવા મળેલી હરિયાળીની અસર ફર્ટિલાઇઝર શેર પર પણ જોવા મળી છે. ઘણાં ટોચના શેરમાં તો 70થી લઇને 170 ટકા સુધીનું રિટર્ન મળતું દેખાઇ રહ્યું છે. પરંતુ શું હજુ પણ આ શેરમાં રોકાણની તક છે?
આ વર્ષે તો ચોમાસામાં વરસાદ પણ ઓછો થયો છે તો શું થશે આ શેરનું? શું તેમાં નવું રોકાણ કરવું જોઇએ? આવો આ સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરીએ…
ફર્ટિલાઇઝર કે ખાતર ભારતના હરિત ક્રાંતિના મુખ્ય ચાલક રહ્યા છે. જેના કારણે જ ભારત અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર થયું છે. ફર્ટિલાઇઝરના ઉત્પાદનમાં શાનદાર વધારાએ ભારતમાં અનાજની ટકાઉ ઉપજને જાળવી રાખી છે. હાલના વર્ષોમાં ભારતમાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘણો વધ્યો છે. જો કે સત્ય તો એ છે કે ભારતમાં પ્રતિ એકર ફર્ટિલાઇઝરનો વપરાશ હજુ પણ મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોની સરખામણીએ ઓછો છે. એટલે કુલ મળીને વાત એમ છે કે હજુ દેશમાં ફર્ટિલાઇઝરની ડિમાંડ ઘણી રહેવાની છે.
માર્કેટ રિસર્ચ કંપની IMARC ના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતીય ફર્ટિલાઇઝર બજાર 85,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. IMARCને આશા છે કે વર્ષ 2027 સુધી ફર્ટિલાઇઝર માર્કેટ વધીને 1,13,100 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. વર્ષ 2022 થી 2027ની વચ્ચે તે વાર્ષિક 4.8% ના દરે વધવાનું અનુમાન છે.
હવે કેટલીક ફર્ટિલાઇઝર કંપનીઓના પ્રદર્શન પર પણ નજર નાંખી લઇએ. તો આ વર્ષે જૂન ક્વાર્ટરમાં ભારત એગ્રી ફર્ટિલાઇઝર એન્ડ રિયલ્ટીનો નેટ પ્રોફિટ એક વર્ષ પહેલાના સમાન ગાળાની સરખામણીમાં 93 ટકા ઘટી ગયો છે. જો કે આ શેરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે અંદાજે 150 ટકાનું જબરજસ્ત રિટર્ન આપ્યું છે.
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ એટલે કે GNFCનો જૂન ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 136 ટકા વધ્યો છે. આ શેરે એક વર્ષમાં અંદાજે 121 ટકાનું રિટર્ન આપ્યું છે. આ જ રીતે વસંત એગ્રો ટેક ઇન્ડિયાનો નેટ પ્રોફિટ 12 ટકા વધ્યો છે. આ શેરે એક વર્ષમાં અંદાજે 111 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.
બજારના જાણકારોનું કહેવું છે કે ફર્ટિલાઇઝર શેર સારુ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ વરસાદની અનિશ્ચિતતા એટલે કે આ વર્ષે ઘણાં વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થવાના કારણે તેમના માટે આગળનો રસ્તો મુશ્કેલ બની શકે છે.
પશ્ચિમી ભારતમાં ઘણી જગ્યાએ ઉભો પાક બરબાદ થઇ ચૂક્યો છે. બીજી તરફ, પૂર્વોત્તર ભારતમાં ઘણી જગ્યાએ આ વખતે દુષ્કાળની સ્થિતિ છે. એટલે દેશમાં ફર્ટિલાઇઝરની માંગમાં ઘણી અસમાનતા જોવા મળી રહી છે. તો હવે તમારા મનમાં સવાલે એ આવે કે શું ફર્ટિલાઇઝર શેરમાં રોકાણ કરવું જોઇએ?
તો વાત એમ છે કે હાલ ફર્ટિલાઇઝરની માંગમાં ઘણી અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
બોનાન્ઝા પોર્ટફોલિયોના રિસર્ચ હેડ અને ટેક્નિકલ એનાલિસ્ટ વિશાલ વાઘ કહે છે કે ઘણાં વૈશ્વિક કારણોના લીધે ફર્ટિલાઇઝરના ભાવ વધ્યા છે. ઉંચી માંગની આશાએ ફર્ટિલાઇઝર સ્ટોક પહેલેથી જ તેજીમાં આવી ચૂક્યા છે. તો આશાને અનુરૂપ આ શેરના ભાવ પર ખરાબ અસર થઇ ચુકી છે. એટલે એ સારુ રહેશે કે હવે તેમાં અત્યારના ભાવે ખરીદીની જગ્યાએ થોડાક ઘટાડાની રાહ જોવામાં આવે.
હવે એ પણ જોઇ લઇએ કે ફર્ટિલાઇઝર શેર અંગે બ્રોકર્સનો મત શું છે..તો ઇક્વિનોમિક્સે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ એટલે કે GNFCના શેરને ખરીદવાની સલાહ આપી છે અને તેના માટે ટાર્ગેટ પ્રાઇસ 1,000 રૂપિયા નક્કી કરી છે.
ICICI ડાયરેક્ટે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સના શેરને ખરીદવાની સલાહ આપી છે અને આવતા ત્રણ મહિના માટે તેની ટાર્ગેટ પ્રાઇસ 117 રૂપિયા રાખી છે.
તો કુલ મળીને કહાની એ છે કે મોનસૂન મોડુ આવવાના કારણે આ સીઝનમાં દેશમાં ફર્ટિલાઇઝરની માંગ અપેક્ષા કરતાં ઓછી રહેશે. ફર્ટિલાઇઝર શેરમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. પરંતુ ઘણાં શેર સારું રિટર્ન આપી શકે છે. એટલે રોકાણકારોએ ઘટાડાની તકોની રાહ જોવી જોઇએ અને યોગ્ય રેટ પર મળી રહેલા શેરને ખરીદવા જોઇએ.
એ પણ ધ્યાન રાખો કે ફર્ટિલાઇઝર સ્ટોક એક જેવા નથી હોતા, બધાના ધંધાકીય જોખમ અને ફાયદા અલગ-અલગ હોય છે. એટલે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા રોકાણના ગોલ અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર કયો શેર ખરીદવો તમારા માટે સારો રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો