MONEY9: ભારતીય શેર બજારમાં કન્સિસ્ટન્ટ કમ્પાઉન્ડર એટલે કે સતત રિટર્ન આપનારા શેર પસંદ કરવા હોય કે કારોબારમાં મોનોપોલી ધરાવતી કંપનીઓનું લિસ્ટ બનાવવું હોય..નેસ્લે ઇન્ડિયાનું નામ દરેક યાદીમાં આગળ જ દેખાશે.
સેરેલેક, મેગી, કિટકેટ, નાસ્કેફે..તમે દેશના કોઇપણ ખૂણામાં રહેતા હોવ, કોઇપણ આવક વર્ગમાં આવતા હોવ, નેસ્લેના ઉત્પાદનો તમારા જીવનનો હિસ્સો ચોક્કસ હશે. બેબી મિલ્ક પાઉડરના બજારમાં નેસ્લેની બ્રાન્ડ સેરેલેકની હિસ્સેદારી 95 ટકા છે. કંપનીની આવકનો 42 ટકા હિસ્સો આમાંથી જ આવે છે. નૂડલ્સના બજારમાં પણ નેસ્લેનો દબદબો છે. 40 ટકા બજાર પર એકલા નેસ્લેનો કબજો છે. 2010થી નેસ્લેએ અત્યાર સુધી શેરધારકોને અંદાજે 670 ટકાનું રિટર્ન આપ્યું છે.
ડિવિડન્ડના કિસ્સામાં પણ કંપનીનો ટ્રેક રેકોર્ડ જબરજસ્ત છે. 2007થી અત્યાર સુધી કંપનીએ સતત ડિવિડન્ડ આપ્યું છે. 2001ની સરખામણીએ 2021 સુધી ડિવિડન્ડમાં અંદાજે 10 ગણાનો વધારો થઇ ચૂક્યો છે.
હવે મોટો સવાલ એ છે કે શું નેસ્લેનું પ્રદર્શન આગળ પણ આવું જ રહેશે? આ સવાલ એટલા માટે કારણ કે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિટેલ દ્ધારા FMCG બિઝનેસમાં એન્ટ્રી કરી રહી છે. હજુ તો કોરોના પછી થયેલી ઉથલપાથલથી FMCG સેક્ટર સંપૂર્ણ રીતે બહાર આવે તે પહેલાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ સેક્ટરમાં એન્ટ્રી કરીને ખળભળાટ મચાવી દીધો છે.
જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો.વી.કે.વિજયકુમાર કહે છે, ”RILની એન્ટ્રીથી મધ્યમથી લાંબાગાળામાં FMCG કારોબારમાં ઉથલ-પાથલની પુરી સંભાવના છે. પરંતુ ટુંકાગાળામાં અસર નહીંવત રહેશે. કંપનીની પાસે મોટી સંખ્યામાં રોકડ છે ત્યારે મોટા ડિસ્કાઉન્ટ અને સુપર ફાસ્ટ ડિલીવરી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સની તાકાત બનશે. જેનાથી ગ્રાહકોની ખરીદીની રીતભાત બદલાશે. જ્યાં સુધી નેસ્લેનો સવાલ છે ત્યાં સુધી ડો.કુમારનું કહેવું છે કે Nestle પર આની ઘણી ઓછી અસર રહેશે કારણ કે બેબી સેરેલ અને મિલ્ક પાઉડર સેગમેન્ટમાં લગભગ કંપનીનો એકાધિકાર છે. Noodles અને instant coffee સેગમેન્ટમાં પણ Nestle Indiaના દબદબાને પડકારો સરળ નહીં હોય. જો કે બજાર સંભવિત અસરને લઇને ચિંતિત રહેશે.
ચાલો તમને જણાવીએ કે શું છે નેસ્લેની યોજના? કંપની તેની પહોંચ વધારવાનું કામ કરી રહી છે. તે દેશના 1.2 લાખ ગામડાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત, ગોવામાં નવા પ્લાન્ટ શરૂ થવાથી વેચાણને સપોર્ટ મળશે. ખાદ્યતેલ, પેકેજિંગ, મટીરિયલની કિંમતોમાં ઘટાડાના સંકેત કંપની માટે સકારાત્મક છે. પરંતુ ફ્રેશ મિલ્ક, ફ્યૂઅલ, અનાજ અને ગ્રીન કૉફીની કિંમતો મજબૂત રહેવાની આશંકા છે. સપ્ટેમ્બર 2022માં સમાપ્ત થતા ક્વાર્ટરમાં ઓપરેટિંગ માર્જિનમાં સુધારો થવાની આશા છે.
મજબૂત આઉટલુક અને રિટર્ન આપવાના મજબૂત ટ્રેક રેકોર્ડના કારણે બ્રોકર્સ આ કંપનીને લઇને બુલિશ છે પરંતુ હાલના સ્તરેથી વધારે તેજીની સંભાવના નથી. પ્રભુદાસ લીલાધર 19,721ના ટાર્ગેટ સાથે નેસ્લેને હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. તો અશિકા બ્રોકરેજનું માનવું છે કે નેસ્લેને 22,200ના ટાર્ગેટ સાથે ખરીદી શકાય છે.
શેર 52 સપ્તાહની ઉંચાઇની નજીક છે અને વેલ્યૂએશન્સ પણ મોંઘા છે. આવા સંજોગોમાં રોકાણ કરતા પહેલા થોડી રાહ જુઓ. શેરમાં મોટો ઘટાડો થાય ત્યારબાદ જ રોકાણની રણનીતિ બનાવો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો