Money9 Gujarati:
સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ (નાની બચત યોજનાઓ)ના નિયમોમાં ફેરફાર કર્યાં છે. પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ (Public Provident Fund) અને સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme) સહિતની કેટલીક નાની બચત યોજનાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ બાદ આ યોજનાઓ અગાઉ કરતાં વધારે ફાયદાકારક થઈ ગઈ છે. જોકે, અમુક સ્કીમ્સમાં રોકાણકારની મુશ્કેલી વધી શકે છે. સરકારે 9 નવેમ્બરે એક નોટિફિકેશન જાહેર કરીને નિયમોમાં ફેરફારની માહિતી આપી હતી. સ્મોલ સેવિંગ્સ સ્કીમ મધ્યમ વર્ગ માટે તથા નિમ્ન મધ્યમ વર્ગ માટે બચત કરવા માટેનો સારો વિકલ્પ છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ મળે છે.
સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમમાં ફેરફાર
સરકારે સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમમાં કુલ 7 ફેરફાર કર્યાં છે. Senior Citizen Savings Scheme એટલે કે SCSSમાં ખાતુ ખોલાવવા માટે ગ્રાહકને 3 મહિના મશશે. અગાઉ 1 મહિનાનો સમય મળતો હતો. રિટાયરમેન્ટની તારીખથી 3 મહિના બાદ પણ આ સ્કીમમાં રોકાણ કરી શકશો, અગાઉ તેના માટે 1 મહિનાનો સમય મળતો હતો.
રિટાયરમેન્ટ બાદ ખર્ચા જાળવવા માટે કોઈ પણ રિટાયરમેન્ટ વખતે મળનારા પૈસાને 3 મહિનાની અંદર સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમમાં રોકી શકો છો. રિટાયરમેન્ટના પૈસા તમારા ખાતામાં કઈ તારીખે જમા થયા તેની વિગતો આપ્યા બાદ તેમાં રોકાણ કરી શકાશે. સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, આ સ્કીમની પાકતી મુદત જે તારીખે પૂરી થતી હશે તે તીરેખે જેટલો વ્યાજ દર હશે તે મુજબ સ્કીમમાં જમા થયેલી રકમ પર વ્યાજ મળશે. આ યોજનાને હવે એક વાર નહીં, પરંતુ ઘણી વાર લંબાવી શકાશે.
PPFના નિયમમાં ફેરફાર
PPFમાં પ્રિમેચ્યોર વિથ્ડ્રોઅલ (પાકતી મુદત પહેલાં ઉપાડ) પર ચૂકવવામાં આવતા વ્યાજની ગણતરીની ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવેથી પાકતી મુદત પહેલાં પૈસા ઉપાડશો તો, 1 ટકા ઓછું વ્યાજ મળશે.
સરકારે નક્કી થયેલા સમય કરતાં વહેલું PPF એકાઉન્ટ બંધ કરાવવા સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો છે. નોટિફિકેશનમાં આ ફેરફારને પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ (અમેન્ડમેન્ટ) સ્કીમ, 2023 નામ આપવામાં આવ્યું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 2019માં, બીજી જોગવાઈના ફકરા નં-13માં, “અથવા એકાઉન્ટના વિસ્તરણની તારીખ”, શબ્દો માટે “અથવા વર્તમાન બ્લોક અવધિની શરૂઆતની તારીખથી પાંચ વર્ષ” બદલાશે. આનો અર્થ એ છે કે ખાતામાં એવા દરે વ્યાજની મંજૂરી આપવામાં આવશે જે પાંચ વર્ષના વર્તમાન બ્લોક સમયગાળાની શરૂઆતની તારીખથી ખાતામાં સમયાંતરે જમા કરવામાં આવેલા વ્યાજ કરતાં 1 ટકા ઓછા હશે.
5 year FD સ્કીમ
પોસ્ટ ઓફિસ FDમાં મૂકેલા પૈસા 5 વર્ષની મુદત પહેલાં ઉપાડશો તો વ્યાજ દરની ગણતરીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો 4 વર્ષમાં પૈસા ઉપાડી લેશો તો માત્ર 4 ટકા રિટર્ન મળશે.
નોટિફિકેશનમાં નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં નક્કી થયેલી મુદત પહેલાં પૈસા ઉપાડવા પર ખાસ એડ્જસ્ટમેન્ટની માહિતી પણ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો પાંચ વર્ષના એકાઉન્ટમાંથી એકાઉન્ટ ખોલાવ્યું હોય તે તારીખથી 4 વર્ષની અંદર પૈસા ઉપાડવામાં આવે તો તેના પર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો ઈન્ટરેસ્ટ રેટ લાગુ થશે.
કઈ સ્કીમમાં કેટલું મળે છે વ્યાજ?
અત્યારે સરકાર 9 પ્રકારની સ્મોલ સેવિંગ્સ સ્કીમ ચલાવે છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવતું વ્યાજ અલગ-અલગ હોય છે. સૌથી વધુ વ્યાજ દર સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમનો છે જ્યારે બીજા ક્રમે સુકન્યા સમૃદ્ધિ યોજના છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 ત્રિમાસિક ગાળા માટે સરકારે નક્કી કરેલા ઈન્ટરેસ્ટ રેટ નીચે મુજબ છેઃ
PPF – 7.1%
Senior Citizens Savings Scheme – 8.2%
Sukanya Yojana – 8.0%
NSC – 7.7%
PO-Monthly Income Scheme – 7.4%
Kisan Vikas Patra – 7.5%
1-Year Deposit – 6.9%
2-Year Deposit – 7.0%
3-Year Deposit – 7.0%
5-Year Deposit – 7.5%
5-Year RD – 6.7%
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો