Money9: જ્યારે તમે તમારી મહેનતથી કમાયેલા પૈસાનું રોકાણ કરો છો તો તમારા મનમાં ઘણા સવાલો ઉભા થાય છે. જેમ કે ક્યાં રોકાણ કરવું. શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કે પોતાના પૈસાને ફિકસ્ડ ડિપોઝિટમાં નાંખવા. ક્યાં સારુ રિટર્ન મળશે..ક્યાં પૈસા વધારે સેફ રહેશે..પરંતુ શું ક્યારેય એવો સવાલ પૂછો છો કે ફાઇનાન્સિયલ કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કેવી રીતે પસંદ કરવા જોઇએ. અમારી સાથે સમજો કે ફાઇનાન્સિયલ પ્લાનર કેમ છે જરૂરી અને તેને પસંદ કરતી વખતે શું સાવધાની રાખવી જોઇએ.
ફાઇનાન્સિયલ કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું કામ તમારી ફાઇનાન્સિયલ લાઇફને સરળ બનાવવાનું છે. તે તમારી કમાણી, ખર્ચ અને ફાઇનાન્સિયલ ગોલને સમજીને તમારું ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરે છે. તમારુ ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરે છે જેથી તમે આ ઝંઝટથી બચી શકો. ફાઇનાન્સિયલ પ્લાનર તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતાને પારખે છે. તે હિસાબે રોકાણ પસંદ કરે છે અને નજર રાખે છે કે જલદી તમે તમારા ફાઇનાન્સિયલ ગોલ પ્રાપ્ત કરી શકો. હકીકતમાં ફાઇનાન્સિયલ પ્લાનર તમારી ફાઇનાન્સિયલ લાઇફમાં ગાઇડ કે કોચની ભૂમિકા નિભાવતો હોય છે.
તમારુ મની પ્લાનિંગ કેટલું સરળ કે જટીલ છે તે નક્કી કરે છે કે તમારે ફાઇનાન્સિય પ્લાનર પસંદ કરવો કે નહીં. જો તમે રોકાણ નાના-નાના પાયાના સિદ્ધાંતો પર કામ કરો છો જેમ કે કમ્પાઉન્ડિંગની તાકાત, ટેક્સ-એફિશિયન્સી જેવી ચીજોને સમજો છો અને સેવિંગ્સ વધુ નથી કરતા કે પછી હજુ હમણાં જ કરિયર શરૂ કર્યું છે. તો હાલપૂરતું તમે જાતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકો છો. જો કે, તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો મોટો હોય, સેવિંગ્સ વધુ છે, ઉંમર વધારે હોય અને બાળકના ભવિષ્યનું પ્લાનિંગ કરવું છે તો આવા સંજોગોમાં ફાઇનાન્સિયલ પ્લાનર કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની જરૂર પડશે. જે સંપૂર્ણ રીતે તમારા ઇન્વેસ્ટમેન્ટનું ધ્યાન રાખશે.
આપણા દેશમાં એક જ જાતના ફાઇનાન્સિયલ એડવાઇઝર છે. જેને સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, શોર્ટ ફોર્મમાં SEBI-RIA કે RIA કહે છે. નિયમો અનુસાર સેબી RIAને જ લોકોના ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત જે કોઇ પણ રોકાણની સલાહ આપે છે તે પ્રોડક્ટ સેલર છે. અને તે ગ્રાહક પાસેથી પૈસા ન લઇ શકે. જો કોઇ વ્યક્તિ પોતે ફાઇનાન્સિયલ એડવાઇઝર હોવાનો દાવો કરે છે તો તેનો સેબી રજિસ્ટ્રેશન નંબર માંગો અને સેબીની વેબસાઇટ પર જઇને ચેક કરો. હાલના સમયમાં 1307 ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સેબીમાં રજિસ્ટર્ડ છે.
આજકાલ ઘણી બધી એપ અને વેબસાઇટ છે જે લોકોને રોકાણ સાથે સંકળાયેલી સલાહ આપે છે. રોકાણ કરવામાં મદદ પણ કરે છે. તેને કઇ કેટેગરીમાં રાખવામાં આવે છે. તે RIA થી કેવી રીતે અલગ છે. કેવા લોકો આ એપ દ્વારા રોકાણ કરી શકે છે? તે જાણીએ અમારા એક્સપર્ટ પાસેથી
ફાઇનાન્સિયલ એડવાઇઝર પસંદ કરવાનો પ્રથમ પડાવ 4 થી 5 એડવાઇઝરને મળવાનો અને તેનો RIA રજિસ્ટ્રેશન નંબર ચેક કરવાનો છે. તેમનો અનુભવ જેટલો વધારે હોય તેટલું સારુ..ફાઇનાન્સિયલ એડવાઇઝરની પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઇએ. તે સીધા ક્લાયન્ટને ફી ચાર્જ કરતો હોવો જોઇએ..ન કે પ્રોડક્ટના કમિશનથી કમાણી કરે. જો તે ક્લાયન્ટ પાસેથી પૈસા ન લઇને પ્રોડક્ટ મેન્યુફેક્ચરર પાસેથી પૈસા લે છે તો તેનું ધ્યાન કમિશન વધારવા પર હશે. ફાઇનાન્સિયલ એડવાઇઝરની વિશ્વસનિયતા જાણવા માટે હાલના ક્લાયન્ટ્સ સાથે વાત કરો. જો તે ટીવી, ડિજિટલ કે પ્રિન્ટ મીડિયામાં દેખાય છે તો તેની વિઝિબિલિટી વધે છે. એ પણ જુઓ કે તે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ સંભાળશે કે ફક્ત ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરશે કે ફક્ત ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરશે. ફાઇનાન્સિયલ એડવાઇઝરની સર્વિસ અને તમારી જરૂરિયાત વચ્ચે તાલમેલ હોવો જોઇએ.
ખોટો ફાઇનાન્સિયલ એડવાઇઝર પસંદ કરવાનો અર્થ તમારી મહેનતની કમાણી ખોટા હાથમાં સોંપવી. આનાથી તમારે સારા રિટર્નમાંથી હાથ ધોવા પડી શકે છે. ફાઇનાન્સિયલ ગોલ પૂરા ન થવાનું જોખમ પણ રહે છે. કારણ કે એડવાઇઝર તમારા બદલે પોતાના ફાયદા અંગે વિચારી શકે છે.
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ફિનફ્લૂઅન્સર્સ જોવા મળે છે. જે લોકોને શેર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની ટિપ્સ આપી રહ્યા છે. આવા નોન-રજિસ્ટર્ડ સલાહકારો પર સેબીએ સખત વલણ અપનાવ્યું છે. સેબીએ બાપ ઓફ ચાર્ટ નામની ચેનલ ચલાવનારા નસીરુદ્દીન અંસારીને સ્ટોક માર્કેટમાં બેન કરી દીધો છે. અને ફોલોઅર્સ પાસેથી વસૂલવામાં આવેલા 17 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ કર્યો છે. રોકાણકારોને આવા નોન-રજિસ્ટર્ડ સલાહકારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આની પહેલા એક બીજા ફિનફ્લૂઅન્સર્સ પીઆર સુંદર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે તમે સાવધાન રહો. તમે જ્યારે તમારા પૈસાનો નિર્ણય લઇ રહ્યા છો તો આ રીતે કોઇની પણ વાત પર ભરોસો ન મૂકો. અને જોતા રહો મની9..જેથી યોગ્ય નિર્ણય લેવામાં અમે આ રીતે તમારી મદદ કરતા રહીએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો