Money9: હૈદરાબાદની ફાર્મા કંપનીમાં કામ કરતા 40 વર્ષના નરેન્દ્રે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સમાં પર્યાપ્ત કવર લઇને રાખ્યું છે. પરંતુ બાળકોના અભ્યાસના ખર્ચના કારણે રિટાયરમેન્ટ પ્લાનિંગ ન કરી શક્યા. નરેન્દ્રના મોટા પુત્રનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે. ત્યારે તે હવે 15,000 રૂપિયા પ્રતિ માસ બચાવીને રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે. નરેન્દ્ર પોતાના આ રોકાણ પર કોઇપણ જાતનું જોખમ નથી લેવા માંગતા. તે આ પૈસાને એવી જગ્યાએ લગાવવા માંગે છે જ્યાં સુરક્ષિત રોકાણની સાથે નિશ્ચિત રિટર્ન પણ મળે. નરેન્દ્રની જેમ જો તમે પણ નોકરિયાત છો અને રોકાણ કરીને સારુ રિટર્ન મેળવવા માંગો છો તો તમારે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઇપીએફમાં વોલ્યુન્ટરી રોકાણ કરવું જોઇએ. વોલ્યુન્ટરી પ્રોવિડન્ટ ફંડ એટલે કે VPF, નોકરિયાત લોકો માટે રોકાણનો એક શાનદાર વિકલ્પ છે. આ રોકાણનો એવો વિકલ્પ છે જેમાં ટેક્સના મોરચે ઘણો ફાયદો લઇ શકાય છે.
નરેન્દ્રની માસિક બેઝિક સેલેરી 30,000 રૂપિયા છે. હાલ તેમાંથી 12 ટકા રકમ પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFમાં જાય છે. આટલી જ રકમ કંપની તરફથી જમા કરવામાં આવે છે. જો નરેન્દ્ર ઇચ્છે તો પોતાના તરફથી 12 ટકાથી વધુ રકમ પીએફ ખાતામાં જમા કરાવી શકે છે. આ 12 ટકાથી ઉપરના કોન્ટ્રીબ્યૂશનને જ વોલ્યુન્ટરી પ્રોવિડંટ ફંડ એટલે કે VPF કહેવાય છે. VPFમાં કોન્ટ્રીબ્યૂશનની કોઇ મર્યાદા નથી. જો કોઇ કર્મચારી ઇચ્છે તો તે પોતાની બેઝિક સેલેરી VPFમાં જમા કરાવી શકે છે. PF સામાજીક સુરક્ષા સાથે જોડાયેલી યોજના છે. આ યોજનામાં રોકાણ પર સરકાર બધી લઘુ બચત યોજનાઓની તુલનામાં સૌથી વધુ વ્યાજ આપે છે. VPF પર પણ PF ખાતાની જેમ જ વ્યાજ મળે છે.
સરકાર PF પર વ્યાજની જાહેરાત વાર્ષિક આધારે કરે છે. વર્ષ 2022-23 માટે PF પર 8.15 ટકા વ્યાજ જાહેર કરવામાં આવ્યું છે. આ વ્યાજ PPF, NSC, KVP, RD અને FD જેવી નાની બચત યોજનાઓની તુલનામાં ઘણું સારુ છે. ત્યારે નરેન્દ્ર આ યોજનાઓના બદલે VPFમાં દર મહિને 15 હજાર રૂપિયાનું રોકાણ કરે તો વાર્ષિક રોકાણ 1.8 લાખ રૂપિયા થશે. આ જ રીતે 20 વર્ષમાં કુલ 36 લાખ રૂપિયા જમા થશે. જો પીએફના ગયા વર્ષના 8.15 ટકાના વ્યાજ દરને સ્થિર ગણી લેવામાં આવે તો આની પર 54.62 લાખ રૂપિયા વ્યાજ ઉમેરાશે. આ રીતે રિટાયરમેન્ટ સમયે તેમને 90.62 લાખ રૂપિયા મળશે. જે PF ખાતાથી અલગ હશે.
EPFમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળે છે. VPFમાં રોકાણ પણ આ જ કેટેગરીમાં આવશે.. EPF અને VPFમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર મળવા પાત્ર વ્યાજ ટેક્સ ફ્રી હશે. જો વાર્ષિક રોકાણ 2.5 લાખ રૂપિયાથી વધુ છે તો એડિશનલ રકમ પર મળતું વ્યાજ રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરાશે..જેની પર સ્લેબના આધારે ટેક્સની ચુકવણી કરવી પડશે. VPFમાં રોકાણની પ્રક્રિયા એકદમ સરળ છે. જેની શરૂઆત કરવા માટે તમારે તમારી કંપનીના HR વિભાગને જણાવવું પડશે. HR તરફથી એક ફોર્મ મળશે, જેમાં તમારે જણાવવું પડશે કે પ્રતિમાસ કેટલું રોકાણ કરવા માંગો છો.
ત્યારબાદ તમારુ VPF ખાતુ ખુલી જશે. સેલેરી વધે ત્યારે તમે તમારી રોકાણની રકમમાં વૃદ્ધિ કરી શકો છો. ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે જો તમે ખાનગી સેકટરમાં નોકરી કરો છો. અને પૈસા બચાવી શકો છો. તો તમારે VPFમાં રોકાણ કરવું જોઇએ. જેનાથી તમને ઘણાં ફાયદા થશે. શ્રેષ્ઠ રિટર્નની સાથે ટેક્સ સેવિંગના ફ્રન્ટ પર મોટી બચત કરી શકો છો. રોકાણ પોર્ટફોલિયોમાં સંતુલન જાળવી રાખવા માટે ડેટ ઇન્સ્ટુમેન્ટમાં પણ રોકાણ કરવું જોઇએ. VPFમાં રોકાણ ડેટની ભરપાઇ કરી દેશે. VPFનું રોકાણ તમારે રિટાયરમેન્ટ માટે ઇન્સ્યોરન્સનું કામ કરશે.
વૃદ્ધાવસ્થામાં તમારુ જીવન આત્મ સન્માન અને આનંદથી પસાર થશે. આના માટે રિટાયરમેન્ટ પછીના સમય માટે પર્યાપ્ત પૈસાની વ્યવસ્થા કરો. આ કામ તમે જેટલું જલદી શરૂ કરશો..રિટાયરમેન્ટ માટે એટલું જ કોર્પસ તૈયાર કરી શકશો. જે વૃદ્ધાવસ્થામાં ઘણું મદદરૂપ સાબિત થઇ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો