Money9: રાકેશે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેને આવા દિવસો પણ જોવા પડશે… રાકેશ એકલો નથી… છેલ્લા એક-દોઢ વર્ષમાં તેમના જેવા હજારો લોકો, જેઓ IT, ટેક અને સ્ટાર્ટઅપ કંપનીઓમાં ઊંચા પગારે કામ કરતા હતા, તેમને છટણીનો સામનો કરવો પડ્યો..અચાનક નોકરી જતી રહે તો પગ નીચેથી જમીન સરકી જાય છે…બધી ચિંતા ઘર ખર્ચ, લોનની EMI, બાળકોની સ્કૂલ ફીસ, ઘરનું ભાડું. બસ તેની આસપાસ ફરે છે. આવી સ્થિતિનો સામનો કરવા માટે ઈમરજન્સી ફંડ તૈયાર કરવામાં આવે છે. જેમાં તમે તમારા ખર્ચાઓને પહોંચી વળવા માટે પૈસાની વ્યવસ્થા કરો છો.
ઈમરજન્સી ફંડની અસલ જરૂરિયાત કોવિડે સમજાવી. જેમની પાસે ઈમરજન્સી ફંડ હતું, તેઓની સ્થિતિ લોકડાઉન દરમિયાન અન્ય કરતા સારી હતી… નાણાકીય કટોકટી એટલે કે અચાનક પૈસાની જરૂરિયાત ગમે ત્યારે ઉભી થઈ શકે છે… તે ગાડી ખરાબ થવા જેવી નાની…કે બીમારી, અકસ્માત, ફેમિલીમાં કોઇનું મૃત્યુ, સેલેરી કટ, નોકરી છુટવી, ધંધામાં ખોટ જેવી મોટી ઇમરજન્સી હોઇ શકે છે. જે ઘણા મહિનાઓ સુધી ચાલી શકે છે…જો તમે તેનો સામનો કરવા માટે થોડા પૈસા અલગથી નથી બચાવ્યા એટલે કે ઈમરજન્સી ફંડ નથી બનાવ્યું તો તમારા ખિસ્સાનું બજેટ રોકાણનું ગણિત બગાડી શકે છે.
દરેક વ્યક્તિની જીવનશૈલી, કમાણી, તેના પર આશ્રિતોની સંખ્યા અને ખર્ચ અલગ-અલગ હોય છે…તેથી દરેક વ્યક્તિ માટે ઈમરજન્સી ફંડનું કદ પણ અલગ-અલગ હશે…ઈમરજન્સી ફંડમાં કેટલા પૈસા હોવા જોઈએ તે જાણવા માટે સૌથી પહેલા તમારે તમારા મહિનાના જરૂરી ખર્ચાઓ ઉમેરવા પડશે…તેમાં ઘર ચલાવવાનો ખર્ચ, ઘરનું ભાડું, લોનના હપ્તા, વીજળી-પાણીનું બિલ, બાળકોની સ્કૂલ અને ટ્યુશન ફીનો સમાવેશ થાય છે.
ઈમરજન્સી ફંડનું કદ તમારા માસિક ખર્ચ પર આધાર રાખે છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ માને છે કે વ્યક્તિના ઈમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 6 થી 9 મહિનાના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પૈસા હોવા જોઈએ. ધારો કે રાકેશનો ઇનહેન્ડ પગાર 70 હજાર રૂપિયા છે. તેનું રોકાણ 10,000 રૂપિયા અને માસિક ખર્ચ 50,000 રૂપિયા છે. આવી સ્થિતિમાં, તેની પાસે 10,000 રૂપિયા બચે છે. આ સ્થિતિમાં, ઈમરજન્સી ફંડ તરીકે રાકેશની પાસે 3 થી 4.5 લાખ રૂપિયા હોવા જોઇએ.
ઈમરજન્સી ફંડની રકમ જાણ્યા પછી, હવે વાત આવે છે તેને ભેગું કરવાની…6 મહિનાના ખર્ચ જેટલા પૈસા ભેગા કરવાનું જરાય સહેલું નથી… તેના માટે પ્લાનિંગની જરૂર પડે છે. રાકેશની પાસે ખર્ચ અને રોકાણ બાદ 10,000 રૂપિયા વધે છે. સરપ્લસ મનીનો એક હિસ્સો માની લો 50 ટકા એટલે કે 5,000 રૂપિયા દર મહિને બચાવવાનું તે શરૂ કરી શકે છે. આ પૈસાને તે સેવિંગ્સ એકાઉન્ટમાં રાખી શકે છે. તેમાં લિક્વિડિટી વધુ છે, એટલે કે જ્યારે ઇચ્છો ત્યારે પૈસા ઉપાડવાની સ્વતંત્રતા છે. પરંતુ વ્યાજ ઓછું છે. બચત ખાતા પર સામાન્ય રીતે 2.5 થી 3 ટકા વ્યાજ છે. આવી પરિસ્થિતિમાં, તમારે એક એવા રોકાણની જરૂરિયાત છે જ્યાં લિક્વિડિટી અને રિટર્ન બંને હોય…આવું રોકાણ કયું છે? આનો જવાબ જાણીએ એક્સપર્ટ પાસેથી.
જો રાકેશ માસિક 5000 રૂપિયાની SIP ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે… જેના પર તેને અંદાજિત 7 ટકા વાર્ષિક રિટર્ન મળે છે, તો 5 વર્ષમાં તે 3 લાખ રૂપિયા જમા કરશે જ્યારે તેના ઇમરજન્સી ફંડમાં અંદાજે 3 લાખ 58 હજાર રૂપિયા હશે. તે જ રીતે, જો 6000 રૂપિયા જમા કરે છે તો 5 વર્ષમાં 4 લાખ 30 હજાર રૂપિયા ભેગા થશે..રાકેશ આવકમાં વૃદ્ધિ સાથે દર વર્ષે SIPની રકમ વધારીને 5 વર્ષ પહેલાં ઇમરજન્સી ફંડનું ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ફિક્સ નથી…તેથી તેમાં વધઘટ શક્ય છે. તેમાં નાણા ઉપાડવામાં 2-3 દિવસ લાગી શકે છે.
ઈમરજન્સી ફંડ મુશ્કેલ સમયમાં માત્ર પૈસાથી જ મદદ નથી કરતું પરંતુ તેના બીજા ઘણા ફાયદા પણ છે. ઈમરજન્સી ફંડ હોવાથી પૈસાની જરૂર પડે તો લોન લેવાની જરૂરિયાત નથી પડતી. વર્તમાન રોકાણ તોડવાની જરૂર નથી પડતી. તેનાથી લાંબા ગાળે ચક્રવૃદ્ધિનો ભરપૂર લાભ મળે છે. ઇમરજન્સીમાં બચત અને રોકાણ તોડવું એ લોકોમાં સૌથી સામાન્ય વાત ગણાય છે. મની9ના પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં પણ આજ વાત સામે આવી કે છેલ્લા 5 વર્ષમાં 67 ટકા પરિવારોએ બચત તોડવી પડી કારણ કે નાણાકીય ઇમરજન્સીનો સામનો કરવા માટે તેમની પાસે અલગથી કોઇ બચત નહોતી.
રાકેશની જેમ તમે પણ જોયું કે ઈમરજન્સી ફંડ કેટલું જરૂરી છે. તેમ છતાં લોકો ઈમરજન્સી ફંડની અવગણના કરે છે. આવી સ્થિતિમાં તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ પ્રકારનું રોકાણ શરૂ કરતા પહેલા ઈમરજન્સી ફંડ બનાવો. ફાલતુ ખર્ચ પર બ્રેક લગાવો. ઈમરજન્સી ફંડને શેર કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખવાથી બચો કારણ કે અહીં રિટર્નની સાથે રિસ્ક પણ વધારે છે. 3-3 મહિને ઈમરજન્સી ફંડ ચેક કરતા રહો જેથી જો પૈસા નિર્ધારિત લેવલથી નીચે જાય તો રોકાણ વધારીને શોર્ટફોલને મેનેજ કરી શકાય.. નોકરી છુટવા, સારવારના ખર્ચ જેવી જેન્યુઇન ઇમરજન્સી માટે જ પૈસા ઉપાડો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો