Money9: અંકિતાના ટ્વિટ પર વીમા કંપનીના જવાબને જોઇને તેની ખુશીનો પાર ન રહ્યો. કંપનીનો સંદેશ હતો કે તેઓ દિલગીર છે કે તેમનો અનુભવ ખરાબ રહ્યો. અને તેઓ તેના જલદી રિઝોલ્યૂશન પર કામ કરી રહ્યા છે. અંકિતા મનમાંને મનમાં ખુશ થઇ કે જોયું એક ટ્વિટનો કમાલ..કંપનીએ ઝુકવું પડ્યું..પપ્પાને સિંગલ પ્રીમિયમ પોલિસી બતાવીને 8 પોલિસી વેચવાના મામલે હવે આ પોલિસીઝથી પીછો છૂટી જશે. પરંતુ તેની ખુશી લાંબો સમય ન ટકી. જવાબ મળ્યો પરંતુ કંપનીએ કોઇ પગલા ન ભર્યા. શું તમે કે કોઇ બીજા ચેક કરી શકે છે કે સોશિયલ મીડિયા પર આવા જવાબ કંપની આપી રહી છે કે કંપનીના BOT, એટલે કે કોમ્પ્યુટર્સ.
ઇરડાનો રિપોર્ટ
વીમા રેગ્યુલેટર ઇરડાનો એન્યુઅલ રિપોર્ટ જણાવે છે કે 2020-21માં વેચવામાં આવેલી દરેક 1000માંથી 36 પોલિસીમાં પોલિસીધારકની સાથે મિસસેલિંગ થયું. મિસસેલિંગનો અર્થ એ કે પોલિસીધારકને ખોટી પ્રોડક્ટ વેચવામાં આવી. વીમા એજન્ટ કે વીમા કંપનીના સેલ્સ એક્ઝિક્યૂટિવે કહ્યું કંઇક બીજુ અને વેચ્યું કંઇક બીજુ જ. ઘણીવાર તો એવું પણ જોવા મળ્યું કે જે વીમાની જરૂર નહોતી તે જ પોલિસી થોપી દેવામાં આવી.
જ્યારે પોલિસીધારક સમજે કે પોલિસી ખોટી છે અને પ્રીમિયમનો બોજ ઉઠાવવો ન જોઇએ..તો શું કરી શકાય? સોશિયલ મીડિયાના આ જમાનામાં ઘણાં લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરે છે. વીમા કંપનીને ટેગ કરીને ટ્વિટર પર ગુસ્સાથી ભરેલું ટ્વિટ લખે છે. કે ફેસબુક પર પોસ્ટ નાંખે છે. કંપનીઓ પોતાની પબ્લિક ઇમેજને લઇને સંવેદનશીલ રહે છે. એટલે તે ત્યાં રિએક્ટ કરે છે પરંતુ સોશિયલ મીડિયાનું આ રિએક્શન સમાધાન નથી આપતું. પોલિસીહોલ્ડરે સૌથી પહેલા વીમા કંપનીના કોલ સેન્ટર પર સંપર્ક કરવો જોઇએ.
મિસસેલિંગ થાય તો શું કરવું
કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ જ્યારે સંતોષજનક જવાબ નથી આપતા. તો ગ્રાહક સોશિયલ મીડિયા પર જઇને પોતાનું દુઃખ અને ગુસ્સો જાહેર કરે છે. અને પછી ચુપ થઇને બેસી જાય છે. પરંતુ સુનાવણી અને સામાધાન માટે જરૂરી છે કે તમે કંપનીને સીધી ફરિયાદ રજિસ્ટર કરો. કસ્ટમર કેર, ફરિયાદ નોંધવાનું પહેલું પગથિયું હોય છે. ત્યારબાદ તમારે ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસર એટલે કે GRO સુધી પોતાની ફરિયાદ પહોચાડવી પડશે. બધી વીમા કંપનીઓની GRO ની ઇમેલ આઇડી policyholder.gov.in પર મળી જશે. જો ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસર તમને સોલ્યૂશન નથી આપી શકતા. તો તમે કંપનીના નોડલ ઓફિસર સુધી પોતાના કેસને એસ્કેલેટ કરી શકો છો.
વીમા કંપનીની જવાબદારી
વીમા કંપનીએ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો હોય છે. જો પોલિસીધારકને કંપની રિસ્પોન્સ ન આપે કે તેમના રિઝોલ્યૂશનથી તે સંતુષ્ટ ન થાય. તો નેકસ્ટ પગલું છે વીમા લોકપાલ એટલે કે ઓમ્બડ્સમેન સમક્ષ પોતાની ફરિયાદ કરવી. લોકપાલમાં કેસની સુનાવણી મફતમાં થાય છે. લોકપાલની સુનાવણીમાં ઇન્શ્યોરન્સ કંપની કે પોલિસીધારક વકીલ લઇને ન જઇ શકે પરંતુ જાતે જ પોતાનો કેસ પ્રેઝન્ટ કરે છે. શિકાયત મળ્યાના 3 મહિનાની અંદર લોકપાલને કેસનો નિકાલ કરવાનો હોય છે. એકવાર લોકપાલનો આદેશ આવી જાય તેના 15 દિવસની અંદર કંપનીઓએ પગલા ભરવાના હોય છે. અને તેની લેખિત જાણકારી લોકપાલને આપવાની હોય છે. દેશમાં 17 લોકપાલ ક્ષેત્રના હિસાબે વહેંચાયેલા છે. અને તમે જે ક્ષેત્રમાં રહો છો ત્યાં ફરિયાદ કરી શકો છો. જો તમે બેંગલુરુમાં વીમો ખરીદ્યો પરંતુ હવે નોઇડામાં રહો છો તો પોતાના ક્ષેત્રમાં જ તેની ફરિયાદ કરી શકો છો.
પોતાના વિસ્તારના ઓમ્બડ્સમેન તમને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIની વેબસાઇટ કે પછી કાઉન્સિલ ફોર ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેનની વેબસાઇટ પર મળી જશે. તેની રચના જ એટલા માટે થઇ હતી કે કંપની અને કન્ઝ્યુમરની વચ્ચે ફરિયાદોનું નિવારણ કોઇ લાંબી પ્રક્રિયા વગર પૂર્ણ કરી શકાય. તમારે લેખિતમાં પોતાની ફરિયાદ રજિસ્ટર કરાવવી પડશે. સાથે જ પોતાની વાતને સપોર્ટ કરતાં દસ્તાવેજ પણ જમા કરાવવા પડશે. લોકપાલ ઉપરાંત, સીધા રેગ્યુલેટરના Integrated Grievance Management System (ઇન્ટીગ્રેટડ ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ) સુધી bimabharosa.irdai.gov.inની વેબસાઇટ દ્વારા પહોંચી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો