Money9: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા આર્થિક રીતે મજબૂત રહે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. લોકોએ વીમા પોલિસીની જેમ જ ટર્મ પ્લાન અથવા ટર્મ ઈન્સ્યોરન્સ લેવાનું શરૂ કર્યું છે. વાસ્તવમાં, આ યોજના કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરે છે. થોડા વર્ષો પહેલા સુધી તેનું મહત્વ ઓછું આંકવામાં આવતું હતું. પરંતુ આજે વીમો સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
પરંતુ ટર્મ ઈન્સ્યોરન્સ લેનારા લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ચાલતા રહે છે. આમાંથી એક એ છે કે જો ટર્મ પ્લાન લીધાના બીજા જ દિવસે પોલિસીધારકનું મર્ડર થઇ જાય અથવા અન્ય કોઈ રીતે મૃત્યુ થાય તો શું નોમિનીને પૈસા મળશે?
કટોકટીની સ્થિતિમાં આર્થિક મદદ
ટર્મ ઈન્સ્યોરન્સ (Term Insurance) તમારા પરિવારને તમારી સાથે કોઈ પણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં, ટર્મ પ્લાનના પૈસા નોમિનીને મળતા નથી. તમને જણાવી દઈએ કે અલગ-અલગ વીમા કંપનીઓના ડેથ ક્લોઝ અલગ-અલગ હોય છે. ટર્મ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં કોઈ વેઇટિંગ પિરિયડ નથી હોતો.
ટર્મ ઈન્સ્યોરન્સ પર વેઇટિંગ પીરિયડ નહીં
ટર્મ ઈન્સ્યોરન્સ કોઈપણ સબસ્ક્રાઈબરના મૃત્યુ પછી જ તેના નોમિનીને વીમાની રકમ પ્રદાન કરે છે. સામાન્ય રીતે આ વીમાની રકમ મોટી હોય છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં કુદરતી, રોગો કે અકસ્માતને કારણે થતા મૃત્યુને આવરી લેવામાં આવે છે. આ વીમા પર કોઈ વેઇટિંગ પીરિયડ નથી હોતો. આનો અર્થ એ છે કે તમને વીમો ખરીદવાના બીજા જ દિવસથી કવર મળવાનું શરૂ થાય છે. પરંતુ જો કેસ આત્મહત્યાનો છે, તો લગભગ એક વર્ષ વેઇટિંગ પીરિયડ હોઇ શકે છે.
હત્યાના કેસમાં ક્યારે નહીં મળે ક્લેમ
હવે ધારો કે વીમા ધારકની હત્યા થઈ અને તેણે એક દિવસ અગાઉ ટર્મ ઈન્સ્યોરન્સ લીધો હતો. આવી સ્થિતિમાં નોમિનીને વીમાની સંપૂર્ણ રકમ મળશે. પરંતુ જો વીમાધારકની હત્યામાં નોમિનીની ભૂમિકા સામે આવે અથવા તેના પર હત્યાનો આરોપ હોય, તો વીમા કંપની ટર્મ ઈન્સ્યોરન્સના નાણાં ચૂકવવાનો ઈન્કાર કરી શકે છે. જ્યાં સુધી નોમિની નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી કંપની દાવો રોકી શકે છે. બીજી બાજુ, જો વીમો લેનાર વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હોય અને તે દરમિયાન તેનું મૃત્યુ થાય તો વીમા કંપની વીમાની રકમ ચૂકવવાનો ઈન્કાર કરશે.
આ સ્થિતિમાં પણ ફગાવી શકાય છે ક્લેમ
એવી સ્થિતિ પણ બની શકે છે કે ધારો કે વીમો લેનાર વ્યક્તિએ પોલિસી લેતી વખતે કોઈ ગંભીર બીમારી વિશે માહિતી આપી ન હતી. પરંતુ તે જ ગંભીર બીમારીથી મૃત્યુ પામે છે. આ સ્થિતિમાં વીમા કંપની દાવો નકારી કાઢશે. તેથી, ટર્મ પ્લાન લેતી વખતે કોઈપણ પ્રકારની માહિતી છુપાવશો નહીં. એચ.આઈ.વી./એઈડ્સના કારણે મૃત્યુ ટર્મ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવતું નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો