Money9: વીમાની સાથે એક લોભામણી ઓફરને જોડીને જ્યારે તેને ઓવર-સેલ કરવામાં આવે તો મોહિતની જેમ તમે પણ બે-ચાર સવાલ જરૂર પૂછો. તમારા સવાલ પૂછતા જ એજન્ટની વાતો પોલિસી વેચવા પરથી શિફ્ટ થઇને ક્યાંક બીજે ફંટાઇ જશે એટલે કે કોઇને કોઇ રીતે તે વાતોને ગોળગોળ ફેરવી દેશે. ખોટા ફિચર કે ઓફરના બહાને અનફેરલી વીમો વેચવાને મિસ-સેલિંગ કહેવામાં આવે છે. જે દિનેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મીઠી મીઠી વાતો કરીને વીમા પોલિસીનું મોટા પાયે આવું મિસ સેલિંગ થઈ રહ્યું છે. વીમા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓના પ્રવેશ પછી સ્પર્ધા વધી છે અને તેની સાથે વધ્યું છે વીમાનું મિસ સેલિંગ.
વીમા નિયમનકાર IRDAIના 2022-23ના વાર્ષિક રિપોર્ટ મુજબ, વીમા કંપનીઓ સામે 1,27,378 ફરિયાદો મળી. જેમાં અનફેર બિઝનેસ પ્રેક્ટિસિસ એટલે કે ખોટી રીતે પોલિસી વેચવા સાથે સંબંધિત 26,107 ફરિયાદો હતી જે કુલ ફરિયાદોના 20 ટકા છે. અનફેર બિઝનેસ પ્રેક્ટિસિસમાં જૂઠ્ઠું બોલીને પોલિસી વેચવાનો સમાવેશ થાય છે… ઉદાહરણ તરીકે, વીમા એજન્ટો પોલિસીની સાથે કેશબેક, બોનસ અથવા લોન જેવી ઓફર જોડી દે છે. વીમાના ફિચર્સને યોગ્ય રીતે ન બતાવવા જેમ કે વીમો શું નથી કવર કરતો, પ્લાન સાથે સંકળાયેલા જોખમોને છુપાવવા અને અધકચરી માહિતી આપવી આપવી. આને કહેવાય છે મિસ-સેલિંગ.
વર્ષ 2022-23 માં, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ સામે કુલ 81,494 ફરિયાદો કરવામાં આવી… તેમાં 3.65 ટકા ફરિયાદો એટલે કે 2978 ફરિયાદો અનફેર બિઝનેસ પ્રેક્ટિસિસ હતી. જ્યારે ખાનગી વીમા કંપનીઓ સામે કરવામાં આવેલી 45,884 ફરિયાદોમાંથી 50.41 ટકા એટલે કે 23,129 ફરિયાદો અનફેર બિઝનેસ પ્રેક્ટિસિસ સાથે જોડાયેલી હતી. એટલે કે ખોટી રીતે પોલિસી વેચવાના કિસ્સામાં ખાનગી વીમા કંપનીઓ સરકારી કંપનીઓ કરતાં આગળ છે.
કોઈપણ વીમા કંપની ક્યારેય પણ વીમાના મિસ સેલિંગની વાત નહીં માને. વીમા કંપનીના એજન્ટ અને બ્રોકર ત્યાં સુધી કે તેમના કર્મચારીઓ પણ પોતાના સેલ્સ ટાર્ગેટને પૂરા કરવા અને કમિશનની લાલચમાં ખોટી રીતે વીમો વેચી રહ્યા છે. ત્યાં સુધી કે બેંક જેવા કોર્પોરેટ એજન્ટ પણ તેમા સામેલ છે. બેંક તેમના બ્રાન્ચ મેનેજર અને કર્મચારીઓ પર શક્ય તેટલી વધુ પોલિસી વેચવા દબાણ કરે છે.
વીમાના નામે ઘણા જુઠ્ઠાણા વેચવામાં આવી રહ્યાં છે. આમાં, હાઇ રિટર્નનો વાયદો કરનારા વીમા પ્લાન મોટા પાયે વેચાય છે. દરેક તેમના રોકાણ પર રિટર્ન જોઈએ… આવી સ્થિતિમાં, વીમાની સાથે રિટર્નનો વાયદો ગ્રાહકને મિસ-સેલિંગની જાળમાં સરળતાથી ફસાવે છે. પછી તે ગેરંટેડ રિટર્ન હોય કે એન્યુઇટી પ્લાન કોઇપણ ઇન્સ્યોરન્સ પ્લાનમાં 4 થી 5 ટકાથી વધુનું રિટર્ન નથી મળતું. પરંતુ આ રિટર્નને એટલું અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે કે તમને લાગશે કે આનાથી વધુ સારું રિટર્ન તો મળી નહીં શકે.
મિસ-સેલિંગની એક બીજી રીત છે વીમા પ્લાન પર સસ્તી લોનનું વચન… ઘણીવાર એજન્ટ પોલિસી વેચતી વખતે કહે છે કે તમે વીમો લઇ લો, અમે તમને બેંક કરતા ઓછા વ્યાજ દરે પર્સનલ લોન અપાવી દઇશું… અહીં એ સમજવું જરૂરી છે કે લોન આપવાનું કામ બેંકનું.
બેંકોમાં પણ, ઇન્શ્યોરન્સ મિસ-સેલિંગની ઘણી રીતો છે. ક્યારેક બેંક લોકરની સાથે તો ક્યારેક હોમ લોનની સાથે, વીમો ફરજિયાત ગણીને વેચવામાં આવે છે… એટલું જ નહીં, તમારી FD મેચ્યોર થાય ત્યારે પણ તમને ફોન કરવામાં આવે છે અને સારા રિટર્નના બહાને ULIP વેચી નાંખવામાં આવે છે.
આવી ફરિયાદોનો સામનો કરવા માટે, ગ્રાહક બાબતોના મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો કે જ્યારે પણ વીમાનું વેચાણ કરવામાં આવે ત્યારે એજન્ટ અને ગ્રાહક વચ્ચેની વાતચીતનું ઑડિયો-વિડિયો રેકોર્ડિંગ હોવું જોઈએ. આનાથી ગ્રાહકની પાસે એક પુરાવો રહેશે કે તેને શું કહીને પૉલિસી વેચવામાં આવી હતી.
વીમાના વેચાણનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ હજુ તો માત્ર એક પ્રસ્તાવ છે અને જ્યાં સુધી તે અમલમાં ન આવે ત્યાં સુધી પોલિસીધારકે જાતે પોતાનો બચાવ કરવો પડશે. જો તમે ઇન્શ્યોરન્સ મિસ-સેલિંગનો શિકાર બન્યા છો, તો તેની ફરિયાદ આ રીતે કરો સૌ પ્રથમ, તમારી પાસે જે કંપનીનો વીમો છે તેને લેખિતમાં બધી વિગતો સાથે ફરિયાદ કરો. કંપનીના ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસરનો સંપર્ક કરો. જો કંપની 15 દિવસની અંદર રિસ્પોન્સ એટલે કે જવાબ ન આપે અથવા તો જે સમાધાન કંપની આપી રહી છે તેનાથી તમે સંતુષ્ટ ન હોવ, તો તમે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDA ના ઓનલાઈન ગ્રીવન્સ સેલ વીમા ભરોસા પર જઇને ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે ઈચ્છો તો Complaints@irdai.gov.in પર પણ ઈમેલ કરી શકો છો… અથવા ઇરડાના ટોલ ફ્રી નંબર 155255 અથવા 1800 4254 732 પર પણ સંપર્ક કરી શકો છો.
વીમો ખરીદવો જેટલો જરૂરી છે તેટલું જ જરૂરી છે તેનો સમજવો…સમજ્યા વગર જ્યારે તમે વીમો ખરીદો છો તો મિસ-સેલિંગનું સરળ ટાર્ગેટ બની જાઓ છો. તેથી, વીમાના બધા ફિચર્સને સમજ્યા પછી જ અંતિમ નિર્ણય લો… વીમાના મિસ-સેલિંગથી જો તમારે બચવું છે તો એજન્ટ અથવા બ્રોકરની મીઠી મીઠી વાતો પર બિલકુલ વિશ્વાસ ન કરો…તેમની પાસેથી બધી વાતો લેખિતમાં માંગો કે પછી તેઓ જે દાવા કરી રહ્યાં છે તેને પોલિસી ડોક્યુમેન્ટ્સમાં હાઇલાઇટ કરીને બતાવવા માટે કહો. મોટા રિટર્ન આપનારી સ્કીમ પર ભરોસો ન કરો. વીમો રિટર્ન માટે નહીં જીવન સુરક્ષા માટે ખરીદવામાં આવે છે અને તેમાં જો રિટર્નની લાલચ ઉમેરવામાં આવે તો બાળપણમાં શિખવાડેલો પાઠ યાદ કરી લો કે લાલચ ખરાબ વસ્તુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો