Money9: બજેટની જાહોરાત બાદ મખ્ખન લાલનું માથુ ભમી રહ્યું છે. હવે રોકાણ ક્યાં કરીશું? મખ્ખન લાલ બચત માટે વીમો ખરીદે છે અને પોતાના દરેક દોસ્ત અને સંબંધીને પણ બચત માટે વીમો ખરીદવાની સલાહ આપે છે. પરંતુ બજેટ 2023માં વીમાની મેચ્યોરિટી પર ટેક્સની જોગવાઇ કરવામાં આવી છે. એન્ડોમેન્ટ અને મની બેક જેવા ટ્રેડિશનલ પ્લાનનું વાર્ષિક પ્રીમિયમ જો પાંચ લાખ રૂપિયાથી વધુ છે તો મેચ્યોરિટી પર ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમ 1 એપ્રિલ 2023 બાદ ખરીદવામાં આવેલા વીમા પર લાગશે તો મખ્ખને પોતાની જુની પોલિસીને લઇને ચિંતા ના કરવી જોઇએ.
વીમા કંપનીઓ ઉંચુ પ્રીમિયમ ચૂકવનારા માટે ઢગલો પ્રોડક્ટ લઇને આવે છે. કારણ કે તેનાથી સારી કમાણી થઇ જાય છે. જ્યારે નાના રોકાણકારો માટે નવી પ્રોડક્ટ લાવવાનો વિચાર જ નથી કરતી.
જીડીપીમાં વીમા પ્રીમિયમનું યોગદાન
એટલે દેશમાં વીમાની પહોંચ બહુ ધીમેથી વધી રહી છે. આર્થિક સર્વે 2022-23 અનુસાર 2000માં ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન 2.7 ટકા હતું જે 2021માં ફક્ત 4.2 પર પહોંચ્યું. ઇન્સ્યોરન્સ પેનેટ્રેશનનો અર્થ એ છે કે દેશની જીડીપીમાં વીમા પ્રીમિયમનું યોગદાન..વીમાની પહોંચ ન વધવી સરકારની ચિંતાનું કારણ છે. જો વીમાના વ્યાપમાં વધુ લોકો આવશે તો વીમાની પહોંચ વધશે અને એટલા માટે વીમાને સસ્તો એટલે કે એફોર્ડેબલ બનાવવો જરુરી છે.
જોકે સરકારના આ પગલાથી કંપનીઓનું ટેન્શન વધી ગયું છે. હવે કંપનીઓએ ઓછા પ્રીમિયમવાળી પ્રોડક્ટ પર ધ્યાન આપવું જ પડશે. તો હવે રહ્યો સવાલ કે કોણ ખરીદે છે મોંઘો ઇન્સ્યોરન્સ તો ઘણાં ઇન્સ્યોરન્સ બ્રોકર્સ સાથે ચર્ચા કરતાં ખબર પડી કે તેમના એવા ક્લાયન્ટ છે જેમના એવરેજ વાર્ષિક પ્રીમિયમની ટિકિટ સાઇઝ 70 લાખ રૂપિયાથી વધુ છે. અને સરકારનું લોજિક છે કે જે લાખોનો વીમો ખરીદી શકે છે તે તેની મેચ્યોરિટી પર ટેક્સ પણ ચૂકવી શકે છે. હવે મખ્ખનને વાત સમજમાં આવી ગઇ કે લાખોનું પ્રીમિયમ ચૂકવનારા માટે સરકાર આ નિયમ લઇને આવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો