MONEY9: રણજીત ભાઇ શેર બજારમાં ઘણા લાંબા સમયથી રોકાણ કરી રહ્યા છે. તેમના દૂરંદેશી અભિગમને કારણે તેઓ શેરબજારમાંથી ખુબ કમાયા અને તેનામાંથી તેમની દીકરીના લગ્ન કર્યા, નવી કાર ખરીદી અને દીકરાને વિદેશ ભણવા મોકલ્યો. જોકે, તેમને એક વસ્તુની ચીડ હતી. તેમના પ્રોફિટનું તુરંત સેટલમેન્ટ થતું ન હતું. પરંતુ સેબીના ચેરપરસન માધવી પુરી બુચની જાહેરાત બાદ રણજીતભાઇ રાજીના રેડ થઇ ગયા છે. આ જાહેરાત શું હતી, આવો જોઇએ આ વીડિયોમાં.
બુચે જાહેરાત કરી છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી રિયલ-ટાઇમ સેટલમેન્ટ પર અત્યારે કામ કરી રહી છે. સેબીએ જણાવ્યું હતું કે, તેઓ સેમ ડે સેટલમેન્ટ વિચારી રહી છે અને ટૂંક સમયમાં તેનો અમલ થશે.
ચાલો હવે આપણે સમજીએ કે આ સેટલમેન્ટનો અર્થ શું છે. આ એક બે દિવસની પ્રોસેસ છે, જેમાં ટ્રેડ ડેટના દિવસે વાસ્તવિક ટ્રાન્ઝેક્શન થાય છે પરંતુ ફંડ, શેર અને સિક્યોરિટીઝ સેટલમેન્ટ ડેટના દિવસે ટ્રાન્સફર થાય છે. અત્યારે ભારતમાં બંને ડેટમાં તફાવત છે. ટૂંકમાં કહીએ તો સેટલમેન્ટ ત્યારે થયું કહેવાય જ્યારે રોકાણકારને તેના શેર કે સિક્યોરિટીઝ ડિલિવર થાય અને વેચાણકર્તાને તેના નાણા મળે.
અત્યારે માર્કેટ ટ્રાન્ઝેકશનનું સેટલમેન્ટ પૂરું થવામાં 24 કલાકનો સમય લાગે છે કારણકે ભારતમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ અમલી છે. આ સિસ્ટમ 1 જાન્યુઆરી 2023થી અમલી બની છે. અત્યારે તે માત્ર કેટલીક સિક્યોરિટીઝ પર લાગુ છે. તમામ પ્રકારના શેર 1 ઓક્ટોબર 2023થી આ સિસ્ટમ હેઠળ આવશે. ફેબ્રુઆરી 2022થી સૌથી ઓછી માર્કેટ કેપવાળી 100 કંપનીઓએ આ સિસ્ટમ હેઠળ આવવાનું શરૂ કર્યું છે. માર્ચ મહિનાથી આ સિસ્ટમ હેઠળ દર મહિને 500 કંપનીઓ ઉમેરાઇ રહી છે.
ભારત વિશ્વમાં બીજો એવો દેશ જ્યાં T+1 સિસ્ટમ અમલી છે. અત્યારે આ સિસ્ટમ માત્ર ચીનમાં અમલી છે, અમેરિકાએ પણ હજુ આ સિસ્ટમ અમલમાં લાવી નથી. એપ્રિલ 2023માં સેબીએ સેટલમેન્ટ સાયકલ T+3થી ઘટાડીને T+2 કરી છે.
ચાલો હવે સમજીએ કે કેવી રીતે સેમ-ડે એટલે કે T+0 સેટલમેન્ટ સિસ્ટમ શક્ય બનશે. સેબી ચેરપરસન માધવી પુર બુચના કહેવા મુજબ, રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમને કારણે આ શક્ય બનશે જેમાં UPI, ઓનલાઇન ડિપોઝટરીઝ અને ટેક્નોલોજી સ્ટેકને ઇન્ટિગ્રેટ કરવામાં આવશે.
હવે સવાલ તે થાય છે કે શું આપણે T+0 સિસ્ટમ એટલે કે ટ્રાન્ઝેક્શનના દિવસે જ સેટલમેન્ટ માટે તૈયાર છીએ કે કેમ. સેબીના જણાવ્યા મુજબ આ સિસ્ટમ માટે રોકાણકારોએ થોડી રાહ જોવી પડશે. બુચના કહેવા મુજબ, ASBA સેકન્ડરી માર્કેટમાં અસરકારક રીતે કામ કરે છે, અને હવે આગામી પગલું તાત્કાલિક સેટલમેન્ટનું રહેશે. અત્યારે ASBA માત્ર પ્રાઇમરી માર્કેટ એટલે કે IPOને લાગુ પડે છે. અહીં પણ તમારું ફંડ ફ્રીઝ કરવામાં આવે છે અને ડિડક્ટ થતું નથી. જો ASBA સેકન્ડ્રી માર્કેટમાં અમલી બનાવવામાં આવશે તો તેનો અર્થ તે થશે કે, જો તમને શેર એલોટ થશે તો જ તમારા ખાતામાંથી પૈસા કપાશે.
આ વર્ષે માર્ચમાં સેબીએ સેકન્ડરી માર્કેટ ટ્રેડિંગ માટે ASBA ફ્રેમવર્કને મંજૂરી આપી છે. આ સામે સેબી બે વસ્તુઓ હાંસલ કરશેઃ પ્રથમ તો સ્ટોક બ્રોકરો સાથે રહેલા મોટા ઇન્વેસ્ટર્સનું ફંડ સુરક્ષિત રહેશે અને બીજું કે તેનાથી ટ્રાન્ઝેક્શનમાં ટ્રાન્સપરન્સી આવશે. જોકે, આ સિસ્ટમ FY24માં અમલી થશે કે નહીં તેની કોઇ ખાતરી નથી. સંભવતઃ તમારા, મારા અને રણજીતભાઇ જેવા નાના રોકાણકારોએ નવી સિસ્ટમ અમલી બને તે માટે થોડી વધુ રાહ જોવી પડશે.
પણ આ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ સિસ્ટમથી રણજીત જેવા રોકાણકારને શું ફાયદો થશે? અત્યારની સિસ્ટમમાં જો ઇન્વેસ્ટર આજે તેના શેર વેચે છે તો તેના પૈસા બીજા દિવસે તેમના એકાઉન્ટમાં આવે છે. T+0 સેટલમેન્ટ આવવાથી રોકાણકારને શેરના વેચાણની સાથે જ તેના ખાતામાં પૈસા મળી જશે. આ ઉપરાંત જે વ્યક્તિ શેર ખરીદે છે તેને પણ તેના ડિમેટ એકાઉન્ટમાં તાત્કાલિક શેરની ખરીદીની એન્ટ્રી જોવા મળશે.
આ નવી સિસ્ટમ આવ્યા પછી રોકાણકારના પૈસા સ્ટોક એક્સ્ચેન્જ કે બ્રોકર્સ પાસે ફસાયેલા નહીં રહે. તમે જે દિવસે તમારા શેર વેચશો, તે જ દિવસે તમને તમારા નાણા મળી જશે.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે, અત્યારે સેટલમેન્ટ T+2 સિસ્ટમથી થાય છે. તેનો અર્થ તે થયો કે, રોકાણકારને તેમના સેલ ટ્રાન્ઝેક્શનના બે દિવસ બાદમાં તેમનું ફંડ મળશે. આ એટલે થાય છે કારણકે સ્ટોક એક્સેન્જ ખાતે T+1 સેટલમેન્ટ સિસ્ટમ ચાલે છે. જો T+0 સિસ્ટમનો અમલ થશે તો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ હોલ્ડર્સને T+1 દિવસમાં તેમના રિડમ્પ્શનના પૈસા મળવાનું શરૂ થઇ જશે.
સેબી ચેરપરસનના કહેવા મુજબ સેટલમેન્ટનો ટાઇમ ઘટાડવાથી તેમજ મ્યુચ્યુઅલ ફંડને નવી સ્કીમ્સ લાવવાની મંજૂરી માટેનો સમય ઘટાડો કરવાથી રોકાણકારોને વાર્ષિક રૂ. 3,500 કરોડનો ફાયદો થશે.
ઇન્સ્ટન્ટ સેટલમેન્ટનો અર્થ છે ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના હાથમાં વધુ લિક્વિડિટી અને તેના કારણે ટ્રેડિંગ વોલ્યૂમમાં જોરદાર ઉછાળો આવશે. બીજું કે, તેનાથી બ્રોકર્સને પણ ફાયદો થશે કારણકે T+1 સેટલમેન્ટ અને ફંડમાં સુધારો કરશે. અને ત્રીજું કે, માર્કેટ એફિસિયન્સીમાં નોંધપાત્ર વધારો થશે. તો હવે તમે સમજી ગયા હશો કે રણજીતભાઇ કેમ ખુશ થઇ ગયા હતા?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો