Money9 Gujarati:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 5 માર્ચે JM Financial Products Ltd.ને શેર અને ડિબેન્ચર્સ સામે કોઈપણ પ્રકારનું ધિરાણ આપવાનું કરવાથી તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. RBIના આદેશમાં IPO સામે લોનની મંજૂરી અને વિતરણ પણ સામેલ છે. જોકે, કંપની તેના વર્તમાન લોન ખાતાઓને સામાન્ય કલેક્શન અને રિકવરી પ્રક્રિયા દ્વારા સેવા આપવાનું ચાલુ રાખી શકશે.
ઉલ્લેખનીય છે કે, RBIએ એક દિવસ અગાઉ IIFL Finance પર ગોલ્ડ લોનનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ Paytm Payments Bank સામે પણ RBIએ આકરાં પગલાં ભર્યાં હતા.
RBIએ IPO ફાઇનાન્સિંગ તેમજ NCD સબસ્ક્રિપ્શન માટે કંપની દ્વારા મંજૂર કરાયેલ લોનના સંદર્ભમાં કેટલીક ગંભીર ખામીઓ શોધી કાઢ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. RBIએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે કંપનીના એકાઉન્ટ્સની મર્યાદિત સમીક્ષા હાથ ધરી હતી.
મર્યાદિત સમીક્ષા દરમિયાન, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે કંપનીએ તેના ગ્રાહકોના જૂથને લોન આપેલા ભંડોળનો ઉપયોગ કરીને વિવિધ IPO અને NCD ઓફરિંગ માટે બિડ કરવામાં વારંવાર મદદ કરી હતી. ક્રેડિટ અન્ડરરાઇટિંગ અવ્યવસ્થિત હોવાનું જણાયું હતું, અને ધિરાણ નજીવા માર્જિન સામે કરવામાં આવ્યું હતું. સબસ્ક્રિપ્શન માટેની અરજી, ડીમેટ એકાઉન્ટ્સ અને બેંક એકાઉન્ટ્સ, આ બધું કંપની દ્વારા પાવર ઓફ એટર્ની (POA) અને આ ગ્રાહકો પાસેથી મેળવેલ માસ્ટર એગ્રીમેન્ટનો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવ્યું હતું, એમ RBIએ જણાવ્યું હતું.
“જેએમ ફાઇનાન્શિયલ ધિરાણકર્તા અને ઉધાર લેનાર બંને તરીકે અસરકારક રીતે કાર્ય કરવામાં સક્ષમ હતું, કંપનીએ POAનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા કરનાર તેમજ ઉક્ત બેંક ખાતાઓના ઓપરેટર તરીકે પણ કામ કર્યું હતું. નિયમનકારી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, કંપનીમાં ગવર્નન્સના મુદ્દાઓ પર ગંભીર ચિંતાઓ છે, જે અમારા મૂલ્યાંકનમાં છે. આ બાબત ગ્રાહકોના હિત માટે હાનિકારક છે,” એમ RBIએ જણાવ્યું છે.
RBIએ 4 માર્ચે IIFL ફાઇનાન્સને ગોલ્ડ લોન મંજૂર કરવા અથવા વિતરિત કરવાથી રોકી દીધી હતી. નિયમનકારે જણાવ્યું હતું કે કંપનીના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં કેટલીક ચિંતાઓ જોવા મળી હતી, જેમાં લોન મંજૂર કરતી વખતે અને ડિફોલ્ટ પર હરાજીના સમયે સોનાની શુદ્ધતા અને ચોખ્ખું વજન મૂલ્યાંકન અને પ્રમાણિત કરવામાં ગંભીર વિચલનોનો સમાવેશ થાય છે.
જોકે, IIFL ફાયનાન્સના MD નિર્મલ જૈને જણાવ્યું હતું કે કંપનીના ગોલ્ડ લોન બિઝનેસ પર RBIની કાર્યવાહી ‘ઓપરેશનલ ઈસ્યુ’ને કારણે હતી, અને ગવર્નન્સ અથવા નૈતિક સમસ્યાઓને કારણે નથી. “જ્યારે RBIનો નિર્દેશ થોડો કઠોર લાગે છે, ત્યારે હું નિયમનકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરવા માંગુ છું.” RBIના પગલાં બાદ, 5 માર્ચે IIFL ફાયનાન્સના શેરમાં 20 ટકા લોઅર સર્કિટ વાગી હતી અને શેરની કિંમત 478.50 રૂપિયા પહોંચી ગઈ હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો