MONEY9: સરકારે તેલ અને તેલીબિયાં પર સ્ટોક લિમિટ હટાવીને ઉતાવળ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સ્ટોક લિમિટ દૂર કરવાને લઇને સરકારે જે તર્ક આપ્યો છે તે હકીકતથી કઇંક અલગ જ છે. સરકારે કહ્યું છે કે સ્થાનિક માર્કેટમાં ખાદ્યતેલ સસ્તું થઇ રહ્યું છે. અને સાથે જ આંતર રાષ્ટ્રીય બજારમાં પણ કિંમતો ઘટી છે. પરંતુ સરકારના આ તર્કને તેના ગ્રાહક બાબતોના મંત્રાલય વિભાગના આંકડાનું સમર્થન નથી મળી રહ્યું.
આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઓક્ટોબરના અંતિમ 20 થી 22 દિવસોમાં મોટાભાગનું ખાદ્યતેલ મોંઘું થઇ ગયું છે. પામ અને સોયા તેલની કિંમતોમાં 10 થી 11 ટકાનો ઉછાળો આવ્યો છે. 9 ઓક્ટોબરે દિલ્હીમાં પામ તેલનો ભાવ 110 રૂપિયા હતો. જે ઓક્ટોબરના અંતમાં 121 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન સોયા તેલનો ભાવ 17 રૂપિયા અને સરસવના તેલનો ભાવ 5 રૂપિયા વધ્યો છે.
વિદેશી બજારમાં પણ ખાદ્યતેલ મોંઘું થયું છે. મલેશિયામાં પામ તેલનો ભાવ 4,500 રિંગિંટ પ્રતિ ટન સુધી પહોંચી ગયો છે જે અંદાજે 2 મહિનામાં સૌથી વધુ ભાવ છે. એટલે કે વિદેશી બજારમાં સસ્તા ખાદ્યતેલનો તર્ક પણ બંધબેસતો નથી.
ભારત પોતાની જરૂરિયાતના 60 ટકા ખાદ્યતેલ આયાત કરે છે. તથા આયાત થતા ખાદ્યતેલના 60 ટકા પામ તેલ હોય છે. અને જેટલું પામ તેલ આયાત થાય છે તેનો લગભગ અડધો હિસ્સો મલેશિયાથી આવે છે. ઉપરથી આ વર્ષે ખરીફ તેલીબિયાંનું ઉત્પાદન પણ ગયા વર્ષથી ઓછું છે. કૃષિ મંત્રાલયના આંકડા સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યા છે કે આ વર્ષે ખરીફ સીઝન દરમિયાન દેશમાં 235 લાખ ટન તેલીબિયાંનું ઉત્પાદન થવાનું અનુમાન છે. જ્યારે ગયા વર્ષે 238 લાખ ટનથી વધુ ઉત્પાદન થયું હતું.
તેલીબિયાંનું ઉત્પાદન ઘટવાના કારણે ખાદ્યતેલ ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે. તેલીબિયાં ઉત્પાદનમાં ઘટાડા અને ખાદ્યતેલની કિંમતોમાં થયેલા વધારાના આંકડા પહેલેથી સરકારની પાસે છે. પરંતુ તેમછતાં સરકારે જથ્થાબંધ તેલ-તેલીબિયાં કારોબારીઓ માટે સ્ટોક લિમિટે હટાવી દીધી છે. સ્ટોક લિમિટ હટવાથી તેલ અને તેલીબિયાંની કાળાબજારીને પ્રોત્સાહન મળી શકે છે. અને તેનાથી ખાદ્યતેલની મોંઘવારીમાં વધુ વૃદ્ધિ થઇ શકે છે. આ જ કારણ છે કે સ્ટોક લિમિટ હટવાથી સરકારના નિર્ણયને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો