નાણા મંત્રાલયે 22 કંપનીઓને ક્લાયન્ટની આધાર આધારિત ખરાઇ કરવાની મંજૂરી આપી
મંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું હતું કે, PMLA હેઠળ પહેલાથી જ રિપોર્ટિંગ એન્ટિટી રહેલી આ 22 કંપનીઓ ક્લાયન્ટ અને લાભાર્થી માલીકની તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને તેમની ઓળખની ખરાઇ કરી શકશે. નાણા મંત્રાલયે એમેઝોન પે (ઇન્ડિયા) અને હીરો ફિનકોર્પ સહિત 22 નાણાકીય કંપનીઓને ગ્રાહકોના આધાર-આધારિત પ્રમાણીકરણ હાથ ધરવા માટે મંજૂરી આપી છે.
MONEY9 GUJARATI: મંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું હતું કે, PMLA હેઠળ પહેલાથી જ રિપોર્ટિંગ એન્ટિટી રહેલી આ 22 કંપનીઓ ક્લાયન્ટ અને લાભાર્થી માલીકની તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને તેમની ઓળખની ખરાઇ કરી શકશે. નાણા મંત્રાલયે એમેઝોન પે (ઇન્ડિયા) અને હીરો ફિનકોર્પ સહિત 22 નાણાકીય કંપનીઓને ગ્રાહકોના આધાર-આધારિત પ્રમાણીકરણ હાથ ધરવા માટે મંજૂરી આપી છે.
મંત્રાલયે એક સૂચના દ્વારા જણાવ્યું હતું કે, આ 22 કંપનીઓ, જે પહેલાથી જ પીએમએલએ હેઠળ રિપોર્ટિંગ એન્ટિટી છે, તેઓ આધાર નંબરનો ઉપયોગ કરીને ગ્રાહકોની ઓળખ અને લાભાર્થી માલિકોની વિગતો ચકાસી શકશે. આ 22 નાણાકીય કંપનીઓમાં ગોદરેજ ફાઇનાન્સ, એમેઝોન પે (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ, ટાટા મોટર્સ ફાઇનાન્સ સોલ્યુશન, IIFL ફાઇનાન્સ અને મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, બેન્કિંગ કંપનીઓ માટે ક્લાયન્ટનું આધાર પ્રમાણિકરણ ખરાઇના એક સાધન તરીકે ઉપલબ્ધ કરાવાયું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કહે છે કે આધાર પ્રમાણિકરણ બેન્કિંગ કંપનીઓ ઉપરાંત કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ રિપોર્ટિંગ એન્ટિટી પણ અપનાવી શકે છે. જે મુજબ કેન્દ્ર સરકારે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે
Published - May 5, 2023, 05:32 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો