Money9: દેશના એક શહેરથી બીજા શહેરમાં અથવા એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે લોકો સામાન્ય રીતે ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરવી સામાન્ય રીતે સસ્તી પણ પડે છે. વાહનવ્યવહારના અન્ય માધ્યમોની તુલનામાં લોકો ખૂબ ઓછા પૈસામાં તેમના ગંતવ્ય સુધી પહોંચે છે. જો કે, ઘણા લોકો એવા છે જેઓ ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી.
2.7 કરોડથી વધુ મુસાફરો ન કરી શક્યા યાત્રા
રેલવે બોર્ડે એક RTIના જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં 2.7 કરોડથી વધુ મુસાફરો ટિકિટ ખરીદ્યા પછી પણ ટ્રેનમાં મુસાફરી કરી શક્યા નથી. રેલવેના જણાવ્યા અનુસાર આ તમામ મુસાફરોની ટિકિટ કન્ફર્મ થઈ શકી નથી. નોંધનીય છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન આ સંખ્યા 1.65 કરોડ હતી. રેલવે બોર્ડે માહિતી આપી હતી કે 2022-2023માં કુલ 1.76 કરોડ પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) નંબર હતા, જેમાં કુલ 2.72 કરોડ મુસાફરોએ મુસાફરી કરવાની હતી. જો કે, વેઇટિંગ લિસ્ટના કારણે આ લોકોએ તેમની યાત્રા કેન્સલ કરી હતી. વેઇટિંગ લિસ્ટમાં રહી ગયેલા પીએનઆરના કેન્સલ થયા બાદ યાત્રીઓની ટિકિટનું ભાડું રિફંડ કરી દેવામાં આવ્યું. યાત્રીઓની કન્ફર્મ ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં અસમર્થતા રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની સાથે વાંરવાર ઉભી થતી સમસ્યા છે.
વેઇટિંગ ટિકિટ દ્વારા લાખો લોકો નથી કરતી શકતા મુસાફરી
નોંધનીય છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન, કુલ 1.06 કરોડ PNR નંબર જનરેટ થયા હતા, જેમાં 1.65 કરોડ મુસાફરો મુસાફરી કરવાના હતા પરંતુ જાતે ટિકિટ કેન્સલ થવાને કારણે તેઓ મુસાફરી કરી શક્યા ન હતા. રેલ્વે બોર્ડના જણાવ્યા અનુસાર, 2014-15માં રદ કરાયેલા PNRની સંખ્યા 1.13 કરોડ અને 2015-2016માં 81.05 લાખ હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સંખ્યા 2016-2017માં 72.13 લાખ, 2017-18માં 73 લાખ અને 2018-2019માં 68.97 લાખ હતી.
ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે
વર્ષ 2020-21 વેઇટિંગ લિસ્ટમાં હોવાના કારણે રદ કરવામાં આવેલા પીએનઆર ઓટોની કુલ સંખ્યા 38.89 લાખ હતી અને આ પીએનઆર પર 61 લાખ યાત્રીઓની ટિકિટ બુક કરવામાં આવી હતી.રેલ્વેએ કહ્યું કે તે દેશમાં માંગ પ્રમાણે ટ્રેનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ટ્રેનોની ક્ષમતામાં સતત વધારો કરવાના પ્રયાસો કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વેઇટિંગ લિસ્ટમાં સામેલ થનારા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે કોરોના મહામારી પહેલા રેલવેએ દેશમાં 10,186 ટ્રેનો ચલાવી હતી, જે હવે વધીને 10,678 ટ્રેનો થઈ ગઈ છે. અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે નેટવર્ક સિગ્નલિંગ અને ટ્રેક પર કામ ચાલી રહ્યું છે જેથી ટ્રેનોને સર્વિસમાં લગાવી શકાય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો