MONEY9 GUJARATI: રજત ચોખાનો વેપાર કરે છે. આ મહિનો તેના માટે સારો રહ્યો. આ મહિને તેને સારા ઓર્ડર આવ્યા અને સારી કમાણી પણ થઇ. રજત આ પૈસા આડાઅવળા ખર્ચાઇ ના જાય તે માટે તેમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા માગે છે પરંતુ દ્વિધામાં છે કે શું મોટી રકમનું એક સાથે રોકાણ કરી લેવું યોગ્ય રહેશે? કે પછી થોડા પૈસા અત્યારે રોકવા અને થોડા પૈસા થોડા સમય પછી. પણ તેને બીક છે કે ટુકડામાં રોકાણ કરવાથી કદાચ તેના પૈસા આડાઅવળા ખર્ચાઇ ના જાય.. સાથે જ બજારની ચાલ પણ નિશ્ચિત નથી હોતી. કોઇકવાર ઉપર.. કોઇક વાર નીચે… તો ચાલો આપણે રજતની દુવિધા દૂર કરીએ..
રજત જેવા લોકોએ લમસમ રોકાણ સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એટલે કે STP મારફતે કરવું જોઇએ. આમાં સીધા એક સાથે પૈસા ઇક્વિટી ફંડમાં ઇન્વેસ્ટ નથી થતા. પહેલાં, બધા પૈસા ડેટ ફંડ જેવા લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ થાય છે, ત્યાર પછી તે STP મારફતે ટુકડાઓમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ધીમે ધીમે ટ્રાન્સફર થાય છે.
લમસમ રકમ જે સ્કીમમાં જમા થાય છે તેને સોર્સ સ્કીમ કહેવામાં આવે છે. જે સ્કીમમાં રકમ ટ્રાન્સફર થાય છે તેને ટાર્ગેટ સ્કીમ કહેવામાં આવે છે. STP એક મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાં જમા પૈસા બીજી સ્કીમમાં શિસ્તબદ્ધ રીતે ટ્રાન્સફર કરે છે. મોટા ભાગના લોકો નિર્ધારીત સમય માટે પૈસા ડેટ સ્કીમમાંથી ઇક્વિટી સ્કીમમાં ટ્રાન્સફર કરાવે છે.
તેની સમય અવધિ સામાન્ય રીતે 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ હોય છે. રોકાણકાર પાસે દર સપ્તાહે, દર મહિને, ત્રિમાસિક કે અન્ય કોઇ પણ મુદતમાં તે કેટલી વખત પૈસા ટ્રાન્સફર કરવા માગે છે તેનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે.
STP સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP જેવા હોય છે. STPમાં ફરક માત્ર એટલો છે કે પૈસા એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર થાય છે જ્યારે SIPમાં પૈસા રોકાણકારના બેન્ક ખાતામાંથી ફંડ હાઉસમાં જમા થાય છે.
STP મારફતે રોકાણ કરવામાં આવે છે ત્યારે કોઇ એન્ટ્રી લોડ હોતો નથી. તેનો અર્થ તે થયો કે તમારે કોઇ પણ ઇન્વેસ્ટમેન્ટ ફી ચુકવવાની નથી. જોકે, તમે જ્યારે યુનિટ્સ સેલ કરો છો ત્યારે તમારે 2 ટકા સુધીનો એક્ઝિટ લોડ ચુકવવો પડે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારે ટ્રાગેટ સ્કીમમાં ઓછામાં ઓછી 6 વખત ફંડ ટ્રાન્સફર કરવું જરૂરી છે અને મહત્તમ કેટલી વખત ફંડ ટ્રાન્સફર કરવું તે માટે કોઇ મર્યાદા નથી.
STP હેઠળ, તમે જ્યારે ફંડ ટ્રાન્સફર કો છો ત્યારે તેને સોર્સ સ્કીમમાંથી એક્ઝિટ એટલે કે રિડમ્પ્શન અને ટાર્ગેટ સ્કીમમાં પરચેઝ ગણવામાં આવશે. માટે દર વખતે તમે જ્યારે ફંડ ટ્રાન્સફર કરો છો ત્યારે તમારે સોર્સ સ્કીમના યુનિટ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ અથવા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચુકવવો પડશે. તેનો આધાર તમારી સોર્સ સ્કીમના પ્રકાર પર રહે છે, જેમકે ઇક્વિટી-ઓરિએન્ટેડ કે ડેટ-ઓરિએન્ટેડ.
STP તમને એક સાથે મોટી રકમ રોકવાથી થતા જોખમ સામે રક્ષણ આપે છે અને તમને માર્કેટ ફ્લક્ચ્યુએશન સામે સુરક્ષા આપે છે. Moneyfrontના CEO મોહિત ગન્ગ જણાવે છે કે, જો તમારી પાસે રોકાણ કરવા મોટી રકમ હોય તો વોલાટાઇલ માર્કેટ માટે મ્યુચ્યુઅલ ફંડમાં STP સારો વિકલ્પ છે. રિટર્નની વાત કરીએ તો STP લમસમ રોકાણ કરતાં વધુ સારું છે. જ્યારે STP મારફતે રોકાણ કરવામાં આવે છે ત્યારે તમને સોર્સ સ્કીમમાંથી રિટર્ન મળે છે, એટલે કે જ્યા તમે લમસમ રોકાણ કરેલું છે અને જ્યારે પૈસા ટાર્ગેટ સ્કીમમાં જશે ત્યારે તમને ત્યાંથી રિટર્ન મળશે.
જો રાહુલ પાસે 2 લાખ રૂપિયા હોય અને એક સાથે ઈક્વિટી ફંડમાં રોકાણ કરે છે, તો 100 રૂપિયા પ્રતિ યુનિટના હિસાબે એક વર્ષમાં 2,000 યુનિટ ભેગા થશે. 113ની NAV પર તેના રોકાણનું મૂલ્ય 2 લાખ 26 હજાર રૂપિયા હશે.
હવે ચાલો જોઈએ કે જો રાહુલે STPમાં એટલી જ રકમનું રોકાણ કર્યું હોત તો તેને કેટલું વળતર મળત.
જો રાહુલ એક સાથે 2 લાખ રૂપિયાનું લિક્વિડ ફંડમાં રોકાણ કરે છે, તો દર મહિને 16,667 રૂપિયા ઈક્વિટી ફંડમાં ટ્રાન્સફર થશે. 12 મહિના માટે 16,667 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી, આપણે ધારીએ કે લિક્વિડ ફંડમાં બાકી રહેલી રકમ 8% નું વાર્ષિક રિટર્ન જનરેટ કરશે.
બીજી બાજુ જ્યારે 16,667 રૂપિયા ઇક્વિટી ફંડમાં રોકવામાં આવે છે. તેમના યુનિટ ઉમેરાતા રહેશે. જો 2055 યુનિટ એક વર્ષમાં ભેગા થાય તો વર્ષના અંતે તેના રોકાણનું મૂલ્ય થશે રૂ. 2,32,173. આ ઉપરાંત, લિક્વિડ ફંડમાં તેના રોકાણનું મૂલ્ય રૂ. 7718 થશે.
આ રીતે, વર્ષના અંતે તેના રોકાણનું કુલ મૂલ્ય 2,39,891 થશે. તો હવે સ્પષ્ટ છે કે, STPની મદદથી રાહુલ 13,891 વધુ કમાશે. આમ જે લોકો માર્કેટ ફ્લક્ચ્યુએશનમાં લમસમ એમાઉન્ટ રોકવા માગે છે તેમના માટે STP સ્ટ્રેટેજી યોગ્ય છે. જો તમે લમસમ રોકાણ નથી કરવા માગતા અને દર મહિને નાની રકમ રોકવા માગો છો તો તમારે માટે SIP સારો વિકલ્પ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો