MONEY9 GUJARATI: ડિજિટલ યુગમાં છેતરપિંડી પણ ડિઝિટલી થઈ રહી છે. અજાણ્યા નંબર પરથી આવેલો એક કૉલ કે મેસેજ તમને મુશ્કેલીમાં મુુકી શકે છે. નોકરીની લાલચ કે અન્ય બાબતોનો ડર બતાવી ક્રિમિનલ માઈન્ડેડ લોકો તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે અને તેની સામે એલર્ટ રહેવાની ખુબ જ જરૂર છે.
ફ્રોડ કૉલ કે મેસેજ તમને ડરાવી-ધમકાવી તમારા ખિસ્સા ખાલી કરવા માટે કરવામાં આવે છે. પૈસા ના આપો તો પોલીસની ધમકી આપવામાં આવે છે.. આવા કીમિયાથી અજાણ લોકો ડર અને બદનામીથી બચવા પૈસા આપી દે છે. ત્યારે અમે આપને બતાવીએ કે દેશમાં સાઈબર ક્રાઈમની શું છે સ્થિતિ.
દેશ જેમ જેમ ડિજિટલ બની રહ્યો છે, છેતરપિંડીની નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. દેશમાં વર્ષ 2020થી અત્યારસુધી એટલે કે 3 વર્ષમાં સાઈબર ક્રાઈમના 16 લાખ બનાવો સામે આવી ચુક્યા છે. જેમાં 32 હજારથી વધુ FIR દાખલ કરાવાઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ડિસેમ્બર 2022માં સંસદમાં આ જાણકારી આપી હતી. અત્યાર સુધી 180 કરોડ રુપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલી લેવડદેવડને રોકવામાં આવી છે. સાઈબર ક્રાઈમમાં એ તમામ ગુનાહીત ગતિવિધિઓનો સમાવેશ થાય છે જેમાં કોમ્પ્યૂટર અને કોમ્પ્યૂટર નેટવર્કનો ઉપયોગ થતો હોય..
ફ્રોડ મેસેજ કે કૉલ દ્વારા લોકોને મોટા પ્રમાણમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ક્રિમિનલ માઇન્ડેડ લોકો તમારા મનમાં ડર ઉભો કરે છે. તે તમને કહેશે કે કૉર્ટમાં તમારો મેમો પેન્ડીંગ છે. વૉરંટ બહાર પડ્યું છે. પોલીસ તમારા ઘરે આવશે. લકી ડ્રો લાગ્યો છે. ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપશે. વિજળી બિલ નથી ભર્યું. નોકરી લગાવવા જેવા તમામ કીમિયા અપનાવશે. જેથી તમારા મનમાં ડર ઉભો થાય અથવા પૈસા કમાવવાની લાલચ. અને તે તમારી વિચારવા-સમજવાની ક્ષમતા પર અસર પાડશે. અને તમે તરત પૈસા ટ્રાન્સફર કરી દેશો.
ઠગાઈની કોઈ ચોક્કસ પેટર્ન નથી હોતી. પરંતુ હાં,, જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો અને થોડા એલર્ટ રહો તો ઠગાઈથી બચી શકો છો. જો તમને અજાણ્યા નંબરથી કૉલ કે મેસેજ આવે છે અને મેમો, FIRની વાત કરે છે. તો તેને ઘણાબધા પ્રશ્નો કરો. કૉલ પર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, તો મગજમાં જે બેઝિક સવાલ થાય તે પુછવાનું ચાલુ કરી દો.. સાચો કૉલ હશે તો તમારા તમામ સવાલોના જવાબ મળી જશે. પરંતુ ફ્રોડ કૉલર તમારા સવાલના જવાબમાં બીજા સવાલ કરવા લાગશે. અને આ એક રેડ એલર્ટ છે..
જો તમને Naukri.com કે પછી બીજી કોઈ જાણીતી કંપનીના નામે ફેક કૉલ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા તો કંપનીના ટૉલ ફ્રી નંબર કે પછી ઈ-મેલ આઈડી પર સંપર્ક કરો. તેઓ આ વિશે યોગ્ય જાણકારી આપી શકે છે. આ ઉપરાંત પોલિસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવો..
એટલું જ નહીં તમે આ પ્રકારના ફેક કૉલ કે પછી સાઈબર છેતરપિંડીની ફરિયાદ ઑનલાઈન પણ કરી શકો છો. તમે National cybercrime reporting portal – cybercrime.gov.in પર અથવા તો toll-free national helpline number 1930 પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ સોશિયલ મીડિયા પર સંબંધિત ઑથોરિટીને ફૉલો કરી શકો છો. તેમના પેજ પર જઈ સીધી કંપ્લેઈન કરી શકો છો, અને સલાહ પણ માંગી શકો છો.
તમને પણ કોઈ ફેક કૉલ કે મેસેજ આવે તો સૌથી પહેલા તો બિલકુલ ડરતા નહીં. બીજું પૈસા ટ્રાન્સફર ના કરતા. અને ત્રીજુ સંબંધિત ઑથોરિટીને તેની જાણ કરો. કોઈ પણ અજાણ્યા શખ્સ સાથે તમારી પર્સનલ કે નાણાકીય બાબતો શેર ના કરો. નહીંતર ઠગ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. નોકરી અપાવવાના નામે જો પૈસા માંગવામાં આવે છે. તો ધ્યાન રાખો કે કોઈ પણ જાણીતી કંપની જૉબ ઑફર માટે પૈસા નથી માંગતી.તો જાગતા રહો, સલામત રહો…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો