સૉફ્ટવેર કંપનીઓનાં સંગઠન, નાસકોમના જણાવ્યા અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે, AIમાં સ્પેશ્યલાઈઝ્ડ હોય તેવા 2.13 લાખ એન્જિનિયર્સની જગ્યા ખાલી છે. AI એન્જિનિયર્સની ઊંચી માંગ હોવાથી, ટેકનોલોજી કંપનીઓ બમણો પગાર ચૂકવવા તૈયાર છે. તાજેતરમાં હેલ્થકેર, ફાયનાન્સ અને એન્ટરટેઈનમેન્ટ કંપનીઓએ AI એન્જિનિયર્સની મોટા પાયે ભરતી કરી હતી. AIમાં એક્સપર્ટ હોય તેવા લોકો 30 ટકાથી 50 ટકા પગારવધારો લઈને નોકરી બદલી રહ્યાં છે. નાસકોમના ડેટા અનુસાર, ભારતનાં આઈટી સેક્ટરમાં 4.16 લાખ AI એન્જિનિયર્સને નોકરી મળી ચૂકી છે. ચેટજીપીટીને સફળતા મળ્યા બાદ, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક્. કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સર્ચ એન્જિન માટે સક્રિયપણે કામ શરૂ કરી દીધું છે. આથી, આગામી સમયમાં આ ક્ષેત્રે વધુ જોબ્સ ઊભી થવાની શક્યતા છે.
Published - May 5, 2023, 06:41 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો