Money9 Gujarati:
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફુગાવાને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. સેન્ટ્રલ બેંકે ફુગાવાનો દર 4 ટકાથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધઘટને કારણે તે મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં, સરહદ પાર થઈ રહેલા રાજકીય તણાવે પણ એક નવો પડકાર ઉભો કર્યો છે, એમ RBI ગવર્નર શક્તિકાંત દાસે 15 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 59th SEACEN Governors’ Conference દરમિયાન આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં છૂટક મોંઘવારીનો દર 5.1 ટકા રહ્યો હતો.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, અમે ફુગાવો ઘટાડવાના છેલ્લાં તબક્કાનો સામનો કરવા માટે સાવચેત છીએ કારણ કે મુસાફરીનો સૌથી મુશ્કેલ તબક્કો છેલ્લે જ આવે છે. તેમનું માનવું છે કે ટકાઉ આર્થિક વૃદ્ધિ માટે ફુગાવાના સ્થિર અને નીચા દર જરૂરી બની રહેશે. તેમણે એમ પણ કહ્યું કે મોંઘવારી દર 2022ના ઉનાળા વખતના તેના ઉચ્ચતમ સ્તરથી હવે નીચે આવી ગયો છે.
દાસે કહ્યું કે ભારતે સફળતાપૂર્વક ઘણા પડકારોનો સામનો કર્યો છે અને તે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. RBIનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થતંત્ર 7 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ સતત ચોથું વર્ષ હશે જ્યારે તેનો વિકાસ દર 7 ટકા કે તેથી વધુ હશે.
ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે ભારતનો સમન્વયિત નીતિગત પ્રતિસાદ (co-ordinated policy Response) ભવિષ્ય માટે સારો મોડલ બની શકે છે. ભવિષ્યની જરૂરિયાતો વિશે વાત કરતાં દાસે કહ્યું, “અમે અહીંથી જે માર્ગ અપનાવીએ છીએ તે આવનારા સમયમાં આપણું ભાગ્ય નક્કી કરશે. આવી સ્થિતિમાં આપણને એવી નીતિઓની જરૂર છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાની નવી વાસ્તવિકતાઓ અનુસાર હોય. અનિશ્ચિત વિશ્વમાં, કેન્દ્રીય બેંકોએ તેમના લક્ષ્યોને વધુ સારી રીતે પ્રાપ્ત કરવા માટે સક્રિય રહેવાની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો