Money9: દિવાળી નિમિત્તે બજારો ધમધમી રહ્યા છે. કંપનીઓએ પોતાનું વેચાણ વધારવા માટે આકાશ-પાતાળ એક કર્યા છે. કમલે થોડા મહિના પહેલા નવું ફ્રિજ ખરીદ્યું હતું. જે સ્ટોરમાંથી ફ્રિઝ લીધું, છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાંથી 2-3 વખત કોલ આવ્યો. કોલર કહેતો હતો કે દિવાળી પર કોઈપણ ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસનું શોપિંગ કરશો તો તમને 15 ટકા ડિસ્કાઉન્ટ અને ગિફ્ટ કૂપન વગેરે મળશે. જો કે કમલને આમ તો અત્યારે કોઇ ચીજની જરૂર જ નહોતી, તેમ છતાં તે વિચારમાં પડી ગયો કે શું નવું ટીવી લઇ લેવું. જૂનું ટીવી HD છે અને મન કરી રહ્યું હતું કે 4k ટીવી લઇ લઉં.
ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોરના માલિકોએ કમલને નવી પ્રોડક્ટ વેચવા માટે જે સેલિંગ વ્યૂહરચના અપનાવી છે તેને પુશ સેલિંગ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે કંપનીઓ જે રીતે ગ્રાહક પર દબાણ લાવે છે, એટલે કે તેને પુશ કરે છે, પોતાનું વેચાણ વધારવા માટે, તે સ્ટ્રેટેજીનું નામ છે પુશ સેલિંગ.
ફેસ્ટિવ સિઝનમાં, શક્ય છે કે તમારા પર પણ આ પ્રકારનું દબાણ નાંખવામાં આવે, દિવાળી પહેલા ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ ઉપરાંત લોન, ક્રેડિટ કાર્ડ, ટ્રાવેલ પેકેજ જેવી ઘણી વસ્તુઓ વેચવાના પ્રયાસો કરવામાં આવશે… તમને એક અથવા બીજી રીતે ખરીદી કરવા માટે લલચાવવામાં આવી શકે છે, આવા લાલચથી પ્રભાવિત થઇને ક્યાંક એવી વસ્તુઓ ન ખરીદી લો જેની તમને જરૂર નથી. તેથી, આગળ વધતા પહેલા, આવો સમજીએ કે આ પુશ સેલિંગ કેવી રીતે થાય છે?
પુશ સેલિંગમાં, ખરેખર તમને જે જોઈએ છે તે વેચવામાં નથી આવતું પરંતુ એ વેચવામાં આવે છે જે કંપની વેચવા માંગે છે. પ્રોડક્ટની વિશેષતાઓને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે અને પછી ઓફરને આકર્ષક બનાવવા માટે ડિસ્કાઉન્ટ, કૂપન કોડ, સસ્તી લોન, એડેડ સર્વિસ જેવી ઑફર્સ ઉમેરવામાં આવે છે. પુશ સેલિંગ અથવા પુશ માર્કેટિંગ એ પ્રમોશનલ સ્ટ્રેટેજી છે જેના માટે કંપનીઓ એજન્ટ, રિટેલરથી માંડીને ઇ-કોમર્સ પોર્ટલ સાથે ટાઇ-અપ કરે છે અને તેમને સામાન વેચવા પર ઇન્સેન્ટિવ આપે છે. કોઈપણ જાહેરાત વિના પ્રોડક્ટ વેચવામાં આવે છે અને ઘણી વખત તો એવી પ્રોડક્ટ વેચવામાં આવે છે જેના પ્રદર્શનનો કોઈ રેકોર્ડ નથી હોતો, ન તો તે કયા માપદંડ પર બનાવવામાં આવી છે તેની કોઈ ખાતરી નથી હોતી.
કન્ઝ્યુમર પોલિસી એક્સપર્ટ બેજોન મિશ્રા કહે છે કે પુશ સેલિંગ એક અનફેર ટ્રેડ પ્રેક્ટિસ છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019માં તેની સારી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. પુશ સેલિંગ લોકોને ગેરમાર્ગે દોરે છે. લોકોને ખરીદી કરવા માટે મજબૂર કરે છે. લોકોને લાગે છે કે તેમને સસ્તામાં સામાન વેચવામાં આવી રહ્યો છે પરંતુ સત્ય તો એ છે કે આવી પ્રોડક્ટની MRP જાણીજોઈને ઊંચી રાખવામાં આવે છે.
પુશ સેલિંગ એ જાણીતી સેલ્સ સ્ટ્રેટેજી છે. જો કે આમાં કંઇ ખોટુ નથી કારણ કે ઘણી કંપનીઓ તેમનો સામાન વેચવા માટે આનો ઉપયોગ કરે છે. પરંતુ આમાં ખોટું એ છે કે પૈસા કમાવવા માટે કંપનીઓ પુશ સેલિંગ દ્વારા ગ્રાહકો પર એવો સામાન ખરીદવાનું દબાણ કરે છે જેની તેમને જરૂર જ નથી હોતી. જો આ રીતે ખરીદવામાં આવેલો સામાન તમારા કામનો ન હોય કે દર્શાવ્યા મુજબનો ન નીકળે તો તમે વધારે કંઇ કરી પણ નથી શકતા. જો તમે સરકારી પોર્ટલ પર ફરિયાદ કરશો તો તેનું ફોલોઅપ કેટલું થશે..તેની કોઇ ગેરંટી નથી હોતી. કંપનીઓનું કામ છે વેચવાનું અને તમારું કામ છે સેલ્સ પિચથી દૂર રહેવાનું. ટેલિકોલરોના કોલ્સ, ઈ-કોમર્સ સાઇટ્સ પર ગેરમાર્ગે દોરતી જાહેરાતો, બાય વન ગેટ 2ની લાલચમાં આવીને શોપિંગ ન કરો. કોઈપણ વસ્તુ ખરીદવી કે ન ખરીદવી એ તમારી પસંદગી હોવી જોઈએ ન કે કોઇ બીજાની. તેથી જાગૃત બનો અને પછી ખરીદી કરો.
ક્યાં કરશો ફરિયાદ..એક્સપર્ટ્સ કહે છે કે લોકોએ પુશ સેલિંગના કેસોની વધુમાં વધુ ફરિયાદ કરવી જોઇએ. તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1800-11-4000 કે 1915 પર કોલ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો. તમે કંપનીની પ્રોડક્ટ, ડિસ્ક્રીપ્શન આપીને ફરિયાદ કરી શકો છો. જણાવી શકો છો કે કેવી રીતે તમને જબરજસ્તી કોઇ સામાન વેચવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે ખોટું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો