Money9: તમે વસિયત એક સાદા કાગળ પર લખી શકો છો… આના માટે સ્ટેમ્પ પેપર જરૂરી નથી…તેમ છતાં, ઘણી વખત તમે નાની ભૂલ કરી બેસો છો… જેના કારણે વિલ ઇનવેલિડ થઈ શકે છે. દયાલ બાબુનો જ કેસ જોઇ લો… તેમણે ગયા વર્ષે એક વસિયતનામું કર્યું… તેમના અવસાન વખતે તેમની તમામ જમીન અને મિલકત તેમના સંતાનોને આપી દીધી…દયાલ બાબુએ વસિયતનામું બનાવ્યું પણ સાક્ષીઓની સહી કરાવવાનું ભુલી ગયા.
તેમને લાગ્યું કે પોતાની ઇચ્છા કાગળ પર લખવા માત્રથી કામ થઈ ગયું…તેમના પરિવારને હવે કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે… પરંતુ તેઓ ખોટા હતા..તેમના મૃત્યુ બાદ પરિવારમાં મિલકતને લઈને ઝઘડા થવા લાગ્યા… વાત કોર્ટ સુધી પહોંચી ગઇ.
દયાલ બાબુની જેમ બીજા લોકો પણ છે, જેઓ વસિયતમાં ભૂલો કરે છે. તેથી જ આપણે એવી ભૂલોની વાત કરીશું જેને તમારે વસિયત લખતી વખતે ટાળવી પડશે.
વિલ એ એક દસ્તાવેજ છે જે જણાવે છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તેની ઇચ્છા મુજબ મિલકતની કેવી રીતે વહેંચણી કરવામાં આવશે. જે વ્યક્તિ વસિયતનામું કરે છે અથવા લખે છે તેને વસિયતકર્તા કહેવામાં આવે છે. વસિયતકર્તા વસિયતમાં જે વ્યક્તિના નામે જે મિલકત લખે છે, તેને તે પ્રોપર્ટી મળે છે.
વિલ સાદા કાગળ પર તૈયાર કરી શકાય છે પરંતુ તેના પર વસિયતનામું કરનારની સહી હોવી આવશ્યક છે. ઘણા લોકો સાક્ષીઓની હાજરીમાં સહી નથી કરતા અથવા સાક્ષીઓની સહી કરાવ્યા બાદ તેઓ પોતાની અનુકૂળતા મુજબ સહી કરે છે. આ પ્રકારની ભૂલો સમસ્યાઓ ઊભી કરી શકે છે… વસિયતકર્તાએ સાક્ષીઓની હાજરીમાં સહી કરવી જોઈએ…
વસિયતકર્તાએ પોતે સહી કર્યા બાદ ઓછામાં ઓછા બે સાક્ષીઓની વિલ પર સહી કરાવવી જોઇએ. આનાથી એ સાબિત થાય છે કે વ્યક્તિએ સાક્ષીઓની હાજરીમાં સહી કરી છે અને સાક્ષીઓએ આ વાતની પુષ્ટિ કરતા સહી કરી છે. જ્યારે વસિયતનામું કરવામાં આવ્યું હતું ત્યારે વસિયતકર્તાની માનસિક સ્થિતિ યોગ્ય ન હતી એવો વિવાદ ભવિષ્યમાં ઉભો ન થાય એટલા માટે જો શક્ય હોય તો, બેમાંથી એક સાક્ષી ડૉક્ટર હોવો જોઈએ.
વસિયત એટલે કે વિલની નોંધણી જરૂરી નથી પરંતુ ઓથેન્ટિસિટી એટલે કે મજબૂતાઈ માટે વિલની નોંધણી જરૂરી છે. ઘણા લોકો વિલને ફક્ત નોટરાઇઝ કરાવે છે, જે પૂરતું નથી…રજિસ્ટ્રેશન વિલને વધુ નક્કર બનાવે છે અને પ્રોપર્ટી અંગે કાનૂની વિવાદો ઉભા થાય તો મદદ કરે છે.
વસિયતનામાની નોંધણી કરવા માટે વસિયતકર્તાએ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને તેના પર સહી કરવાની હોય છે. આનાથી એ કન્ફર્મ થઇ જાય છે કે વિલ નકલી નથી.
વસિયતનામા માટે એક્ઝિક્યૂટરની પસંદગી કરવી જરૂરી છે..એક્ઝિક્યૂટરનું કામ વ્યક્તિ જીવતો ન હોય ત્યારે તેની ઈચ્છા અનુસાર મિલકતની વહેંચણી કરવાનું છે.
તમે કોઇ નજીકના મિત્ર અથવા સંબંધીને એક્ઝિક્યૂટર બનાવી કરી શકો છો. સલાહ એવી આપવામાં આવે છે કે એક્ઝિક્યૂટર એવો વ્યક્તિ હોવો જોઈએ જેને વિલમાંથી કોઈ લાભ ન મળી રહ્યો હોય એટલે કે એક્ઝિક્યૂટર વિલનો લાભાર્થી એટલેકે બેનિફિસિયરી ન હોય તો સારુ રહેશે.
સૌથી જરૂરી અને અગત્યની વાત… વસિયતમાં તમામ મિલકતનું વિગતવાર વર્ણન આપવું જોઈએ… જેથી કાયદેસરના વારસદારોમાં કોઈપણ પ્રકારનું કન્ફ્યૂઝન ન થાય. આ ઉપરાંત તમે જેમને વસિયતમાં વારસદાર બનાવી રહ્યા છો તેની સંપૂર્ણ વિગતો આપો. કઈ મિલકત કઈ વ્યક્તિને આપવામાં આવશે અને કયા ગુણોત્તરમાં જશે તેનો ઉલ્લેખ કરો.
જો તમે આજે વસિયતનામું બનાવી રહ્યા છો… તો શક્ય છે કે અત્યારથી લઇને જીવતા રહેવા સુધી તમારી પ્રોપર્ટીમાં વધારો થાય. આવી સ્થિતિમાં, એક ક્લોઝ એવી પણ હોવી જોઈએ કે આ સમયગાળા દરમિયાન તમે જે પ્રોપર્ટી ઉભી કરશો તે કોને અને કેટલી મળવી જોઇએ.
દયાલ બાબુવાળી ભૂલ તમે ન કરતાં… વસિયત લખતી વખતે તમારી સહી, સાક્ષીઓની સહી જેવી જેટલી વસ્તુઓ બતાવવામાં આવી છે તેનું ધ્યાન રાખજો.
વસિયતકર્તા પોતાના જીવન દરમિયાન કોઈપણ સમયે વિલ રદ અથવા તેમાં ફેરફાર કરાવી શકે છે. માત્ર છેલ્લી વસિયત જ માન્ય રહેશે… જો તમે ઈચ્છો તો વસિયતનામું બનાવવામાં વકીલની મદદ લઈ શકો છો… વસિયતનામું કોર્ટમાં પડકારી શકાય છે.. આ પડકારોને ઘટાડવા માટે, વિલ બનાવતી વખતે તેની વિડિયોગ્રાફી કરાવો… જો તમે કોઈ વ્યક્તિને મિલકતમાં હિસ્સો આપવા ન માંગતા હોવ તો તેનો ઉલ્લેખ પણ વિલમાં કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો