MONEY9 GUJARATI: હવે ડેબિટ (Debit card) અને ક્રેડિટ કાર્ડ (credit card)નો ઓનલાઈન ઉપયોગ વધુ સુરક્ષિત અને સરળ બનશે.. કારણ કે RBIએ હવે બેંકોને તમારા કાર્ડ્સ માટે ટોકન જનરેટ કરવાની મંજૂરી આપી દીધી છે. હાલમાં, કાર્ડ ટોકનાઇઝેશન (Card tokenization) ફક્ત ઇ-કોમર્સ સાઇટ્સ (E-commerce sites) પર જ થઈ શકે છે. જ્યારે તમે ઈ-શોપિંગ (E-shopping) સાથે કાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ (Online payment) કરો છો, ત્યારે તમે તમારા કાર્ડ માટે ટોકન જનરેટ કરી શકો છો.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સની સુરક્ષા વધારવા માટે કાર્ડ ટોકનાઈઝેશન એ એક મોટો સુધારો છે. જ્યારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન માટે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે ટ્રાન્ઝેક્શન,, 16-આંકડાનો કાર્ડ નંબર, કાર્ડની એક્સપાયરી ડેટ, CVVની સાથે-સાથે વન-ટાઇમ પાસવર્ડ અથવા ટ્રાન્ઝેક્શન પિન જેવી ડિટેલ્સ પર આધારિત છે. જ્યારે બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરવામાં આવે ત્યારે જ વ્યવહાર પૂર્ણ થાય છે. એટલે કે, ટોકનાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં કાર્ડ સંબંધિત વિગતોને “ટોકન” નામના વિશિષ્ટ વૈકલ્પિક કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટોકન કાર્ડ, ટોકન માટે રિક્વેસ્ટ કરનાર વ્યક્તિ અને ડિવાઈસના આધારે યૂનિક હશે..
દેશભરમાં વધી રહેલા સાયબર છેતરપિંડીના કેસો પર સકંજો કસવા માટે 1 ઓક્ટોબર, 2022થી ટોકનાઈઝેશન લાગુ કરવામાં આવ્યું હતું. ટોકનાઇઝેશનની સાથે, કાર્ડની ડિટેલ્સને એન્ક્રિપ્ટેડ રીતે સ્ટોર કરીને છેતરપિંડીનું જોખમ ઓછું થાય છે. સાદી ભાષામાં, ડેબિટ/ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ ટોકન્સના રૂપમાં શેર કરવાથી છેતરપિંડીનું જોખમ ઓછું થઈ જાય છે.
હાલમાં, મર્ચન્ટ વેબસાઈટ પર જ ટોકન્સ ક્રિએટ કરી શકાય છે.. જ્યારે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મર્ચન્ટ વેબસાઇટ્સ પર પ્રથમ વખત ટ્રાન્ઝેક્શન કરો છો, ત્યારે તમને ચેકઆઉટ સમયે ‘secure your card as per RBI guidelines’ એટલે કે RBIના દિશાનિર્દેશો અંતર્ગત કાર્ડ સિક્યોર કરવાનો વિકલ્પ દેખાશે. જ્યારે તમે આને પસંદ કરો છો, ત્યારે એક સુરક્ષિત ટોકન જનરેટ થશે અને સાથે જ તમારા કાર્ડની સંપૂર્ણ ડિટેલ્સના બદલે મર્ચન્ટ સાઇટના ડેટાબેઝમાં માત્ર આ ટોકન જ સ્ટોર થશે. હવે RBIએ કાર્ડ જારી કરતી બેંકના સ્તરે કાર્ડ-ઓન-ફાઈલ ટોકન ક્રિએશનની સુવિધાઓ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આનાથી ઓનલાઈન પેમેન્ટ કરવા પર, કાર્ડ માટે ટોકનના રિક્વેસ્ટ ઈશ્યુઅર બેંકને મોકલવામાં આવશે અને વિશ્વસનીયતા તેમજ સુરક્ષાના હેતુથી તેને વેલિડેટ એટલે કે માન્ય કરશે. એકવાર ટોકન રિક્વેસ્ટ મંજૂર થઈ જાય, ઈશ્યૂઅર બેંક યૂઝર દ્વારા શેર કરાયેલી કાર્ડ ડિટેલ્સ સાથે જોડી એક ખાસ ટોકન બનાવશે. ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા શરૂ કરવા માટે મર્ચન્ટ ટોકનનો ઉપયોગ કરીને ઇશ્યુઅર બેંક પાસેથી પેમેન્ટ ઑથોરાઈઝેશનની રિક્વેસ્ટ કરશે. ટોકનાઇઝ્ડ પેમેન્ટની રિક્વેસ્ટ મેળવ્યા પછી, ઈશ્યૂઅર બેંક ટોકનનો ઉપયોગ કરી પોતાના ડેટાબેઝમાં સ્ટોર કરાયેલી યૂઝરની કાર્ડ ડિટેલ્સને રેફર કરશે.. ત્યારપછી બેંક ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા શરુ કરશે,,જેવી રીતે કાર્ડની સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ કરે છે..
આ નવા પગલાના ફાયદા વિશે વાત કરીએ તો, કાર્ડની યોગ્ય સુરક્ષા ઉપરાંત, ટ્રાન્ઝેક્શનમાં વધુ ઝડપ આવશે. એકવાર બેંક સ્તરે ટોકન ક્રિએટ થઈ ગયા પછી, દરેક એપ કે સાઇટ પર ટોકનાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. કાર્ડ ડિટેલ્સ કોઈપણ નવા ઓનલાઈન મર્ચન્ટ પર દાખલ કરવાની જરૂર રહેશે નહીં. આનાથી કાર્ડની ડિટેલ્સ ચોરાઈ જવાનું જોખમ વધુ ઘટી જશે.. તમે બેંકની સાઇટ અથવા એપ પર સરળતાથી ટોકન એડ કરી શકો છો. જેમ તમે બેંકની એપ પર જેવી રીતે તમે તમારા કાર્ડની લિમિટ સેટ કરો છો, તેમ તમે સરળતાથી કાર્ડ માટે ટોકન પણ જનરેટ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો