અદાણી-હિંડનબર્ગ કેસમાં આવી ગયો સુપ્રીમ નિર્ણય, સેબીની તપાસમાં દખલનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં બુધવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીના તપાસ રિપોર્ટમાં દખલ દેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. 3 જજોની બેંચે કહ્યું કે સેબીની તપાસ યોગ્ય છે અને તે આ કેસમાં તપાસ માટે સક્ષમ એજન્સી છે.
Money9: સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસમાં બુધવારે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીના તપાસ રિપોર્ટમાં દખલ દેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. 3 જજોની બેંચે કહ્યું કે સેબીની તપાસ યોગ્ય છે અને તે આ કેસમાં તપાસ માટે સક્ષમ એજન્સી છે. માર્કેટ રેગ્યુલેટરે અદાણી હિંડનબર્ગ કેસમાં 24માંથી 22 કેસમાં તપાસ પૂરી કરી લીધી છે અને હજુ પણ 2 કેસની તપાસ બચી છે. સુપ્રીમ કોર્ટે બાકીના બે કેસોની તપાસ પણ 3 મહિનામાં પૂરી કરવા સેબીને જણાવ્યું છે. અગાઉ 24 નવેમ્બરે આ કેસની સુનાવણી કરતા કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ અને એક્સપર્ટ્સ કમિટી પર ઉઠાવવામાં આવેલા સવાલોને નકારતા તેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મહત્વનું છે કે અમેરિકી શોર્ટ સેલર ફર્મે 2023માં જાન્યુઆરીમાં અદાણી ગ્રુપને લઇને એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં અદાણીની કંપનીના શેર ઓવરવેલ્યૂડ હોવા અને કિંમતોમાં હેરફેર સહિત ગ્રુપ પર દેવાંને લઇને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
The Hon’ble Supreme Court’s judgement shows that:
Truth has prevailed.
Satyameva Jayate.
I am grateful to those who stood by us.
Our humble contribution to India’s growth story will continue.