Money9: શેરબજારમાં અથવા કોઈપણ એસેટ ક્લાસમાં રોકાણ કરવું ત્યારે જ સારું માનવામાં આવે છે જો તે ફુગાવા કરતાં વધુ રિટર્ન આપે. નહિંતર, તમારે માની લેવું જોઈએ કે તમારા તરફથી એકત્રિત કરવામાં આવેલી મૂડી દર વર્ષે પડી પડી ઘટી રહી છે…જી હાં.. કારણ કે મોંઘવારી દર વર્ષે તેમાં પંક્ચર પાડી રહી છે…
યુક્રેન પર રશિયાના હુમલાથી સમગ્ર વિશ્વમાં પુરવઠામાં સમસ્યા સર્જાઈ, જેના કારણે કોમોડિટીના ભાવમાં ઉછાળો આવ્યો…ફુગાવાને અંકુશમાં લેવા માટે દુનિયાની બાકી કેન્દ્રીય બેંકો સહિત આરબીઆઇએ પણ વ્યાજ દરોમાં વધારો કર્યો… મે 2022 થી ફેબ્રુઆરી 2023 દરમિયાન રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો.
જોકે છેલ્લી બે પોલિસી બેઠકોમાં દરો સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન સ્થિતિને જોતા આગામી 1 વર્ષ માટે રેટ કટની કોઈ શક્યતા નથી દેખાઇ રહી. કારણ કે જુલાઈમાં છૂટક મોંઘવારીનો દર 7.4 ટકા પર રહ્યો, જે 15 મહિનામાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં જો ફુગાવો ચાલુ રહે તો શેરબજારમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, કયા સેક્ટરમાં કે શેર્સમાં પૈસા લગાવવા જોઈએ? ચાલો સમજીએ-
જો કે, મોંઘવારી હંમેશા ભારતીયો માટે ચિંતાનો વિષય રહી છે… પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ ચિંતા વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. જેમ જેમ કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે..તેનાથી સ્થાનિક કંપનીઓ પર હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસરો જોવા મળી છે. મેટલ અને ક્રૂડના ભાવમાં થયેલા વધારાથી આ બંને સેક્ટરની કંપનીઓને ફાયદો થયો જેનો લાભ આ કંપનીઓએ તેમના રોકાણકારોને પણ આપ્યો છે.
જો કે મોંઘવારીથી ગ્રાહકોની ખર્ચ શક્તિ પર અસર પડી છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે, વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ દર વધારવાનું શરૂ કર્યું. સેન્ટ્રલ બેંકો ફુગાવાને અંકુશમાં રાખવા માંગે છે પરંતુ આર્થિક વૃદ્ધિને બલિદાન આપીને નહીં.
દરમિયાન, છેલ્લી MPC મીટિંગમાં, RBIએ FY24 માટે ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.4 ટકા કર્યો છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે મેટલ અને ઓઇલ-ગેસ ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ, પરંતુ તે એટલું સરળ નથી. તમારે કંપનીઓનું બિઝનેસ મોડલ પણ જોવું પડશે… જેથી ફુગાવા પર તેમની અસરને સમજી શકાય.
મોતીલાલ ઓસ્વાલના હેડ રિટેલ રિસર્ચ, સિદ્ધાર્થ ખેમકાના જણાવ્યા અનુસાર, ફુગાવાના સમયમાં કાચો માલ પૂરો પાડતી કંપનીઓને ફાયદો થાય છે અને ગ્રાહકોને નુકસાન થાય છે.
જો કોમોડિટીની કિંમતો વધી રહી હોય તો તમારે કંપનીઓના માર્જિન પર તેની અસર જોવી જોઈએ…તે બે બાબતો પર આધાર રાખે છે…એક પ્રાઇસિંગ પાવર અને બીજું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ….સિદ્ધાર્થ ખેમકા જણાવે છે કે FMCG કંપનીઓએ ફેબ્રુઆરી 2022 પછી કિંમતોમાં વધારો કરીને અથવા ગ્રામેજમાં ઘટાડો કરીને પ્રાઇસિંગ પાવરનું ઉદાહરણ આપ્યું છે…તેમ છતાં, છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના માર્જિનમાં ઘટાડો થયો છે.
જ્યાં સુધી સપ્લાય ચેઈન મેનેજમેન્ટનો સવાલ છે, એવી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે કાચા માલ માટે 1 કે 2 સપ્લાયર પર નિર્ભર નથી. આ રીતે કંપનીઓને તેમના માર્જિન જાળવવામાં મદદ મળે છે. એટલે કે, એવી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે ફુગાવાના સમયમાં તેમનું માર્જિન જાળવવામાં સક્ષમ હોય. બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉચ્ચ ફુગાવાના સમયમાં ગ્રાહકો પ્રાઇસ સેન્સિટિવ બની જાય છે. તેથી એવી કંપનીઓને એવોઇડ કરવી જોઈએ જે મોંઘી અને બિન-જરૂરી પ્રોડક્ટ બનાવતી હોય.
તો પછી ફુગાવાના સમયમાં કયા શેરોમાં રોકાણ કરવું જોઈએ?
સિદ્ધાર્થ ખેમકાના જણાવ્યા અનુસાર,” આવા સંજોગોમાં ITC, RIL, ONGC, NMDC, NALCO, Tata Steel, JSW Steel, Coal Indiaમાં રોકાણ કરી શકાય છે.
તો કુલ મળીને મોંઘવારીના સમયમાં 1 કે 2 સપ્લાયર્સ પર આધાર રાખતી અને વધુ મોંઘી પ્રોડક્ટ બનાવનારી કંપનીઓને avoid કરવી જોઇએ. અને એવી કંપનીઓમાં પૈસા લગાવવા જોઇએ જે પોતાના માર્જિનને જાળવી રાખવામાં સક્ષમ હોય.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો