MONEY9: અંદાજે 8 વર્ષ સુધી તૈયારી કર્યા બાદ સરકારે છેવટે નવી લોજિસ્ટિક્સ પોલિસીની જાહેરાત કરી દીધી છે. સરકાર આ પોલિસી દ્વારા વ્યાપક અને ઝડપી ગ્રોથ માટે ટેકનિકલ રીતે સક્ષમ, ઇંટિગ્રેટેડ, વ્યાજબી, ફ્લેક્સિબલ, ટકાઉ અને ભરોસેમંદ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માંગે છે. આ મહત્વની પૉલિસીની લોજિસ્ટિક સેક્ટર અને ખાસ કરીને તેના શેરો પર શું થશે અસર? આવો આ વિશે વિસ્તારથી જાણીએ…
સરકારનું લક્ષ્ય મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ જેવા કે રોડ, રેલવે, શિપિંગ, એર વગેરેને પ્રોત્સાહન આપીને રોડ પર ભારણ ઘટાડવા અને રેલવે પર નિર્ભરતા વધારવાનું છે. ગ્લોબલ સ્તરે 25%ની સરખામણીએ ભારતમાં લોજિસ્ટિક્સ સેક્ટરની રોડ પર નિર્ભરતા 60%થી વધુ છે. ભારતમાં લોજિસ્ટિક્સ માટે રેલવે પર નિર્ભરતા માત્ર 30% છે, જ્યારે ગ્લોબલ સ્તરે તે 60% છે. તો વોટરવેઝનો ભારતના લોજિસ્ટિકસ સેક્ટરમાં માત્ર 5 ટકા હિસ્સો છે.
નવી લોજિસ્ટિક્સ પોલિસીની ખાસિયતો?
તો આ પોલિસીથી ઝડપી ડિલિવરી સુનિશ્ચિત થશે. જેનાથી ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા પડકારો સમાપ્ત થશે. ગતિશક્તિ, સાગરમાલા, ભારતમાલા અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ દ્વારા મોટી સંખ્યામાં ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ભાર મૂકાશે. ટેક્નોલોજીના ઉપયોગથી ખર્ચમાં ઘટાડા પર ભાર મૂકવામાં આવશે. હવે એ પણ જાણી લઇએ કે નવી લોજિસ્ટિકસ પોલિસીનું લક્ષ્ય શું છે. તો પહેલું લક્ષ્ય એ છે કે વર્ષ 2030 સુધી દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડીને 10 ટકાની નીચે લાવવામાં આવે. હાલ દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ GDPના 13 થી 14 ટકાની આસપાસ છે. વિકસિત દેશોમાં લોજિસ્ટિક્સ ખર્ચ GDPના 7 થી 8 ટકા બરાબર છે. તો વર્ષ 2030 સુધી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને ગ્લોબલ બેન્ચમાર્ક્સ બરાબર લાવવાની યોજના છે.
બીજુ લક્ષ્ય એ છે કે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને ભારતીય એક્સપોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવે. ઉંચા લોજિસ્ટિક્સ ખર્ચથી ભારતના એક્સપોર્ટ્સની સ્પર્ધાત્મકતા ઘટી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, હાલ દેશ માટે 180 અબજ ડોલરની કોમ્પિટિટિવનેસ ગેપ છે અને વર્ષ 2030 સુધી આ ગેપ વધીને 500 અબજ ડોલર થવાનું અનુમાન છે.
ત્રીજું લક્ષ્ય એ છે કે વર્ષ 2030 સુધી લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં ભારતને ટોપ 25 દેશોમાં સામેલ કરવામાં આવે. ભારત લોજિસ્ટિક્સ ખર્ચના હિસાબે વર્લ્ડ બેંક લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં 44માં નંબરે છે. ભારતનું સ્થાન ચીન અને વિયેતનામથી પણ નીચે છે. આ ઇન્ડેક્સમાં ચીન 26માં અને વિયેતનામ 39માં સ્થાને છે. ચોથું લક્ષ્ય છે એફિસિયન્ટ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ માટે ડેટા સંચાલિત ડિસિઝન સપોર્ટ મિકેનિઝમ બનાવવું. હવે એ જાણી લઇએ કે શું છે ઉંચા લોજિસ્ટિક્સ ખર્ચનું કારણ? તો આના માટે પ્રતિકૂળ પોલિસીથી લઇને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ભાર ન મૂકવા જેવા અનેક કારણો છે.
શું નવી પૉલિસી ગેમ ચેન્જર સાબિત થશે?
લોજિસ્ટિક્સ પોલિસી આવવામાં ભલે ઘણો સમય લાગી ગયો પરંતુ જાણકારોના મતે તેના લોન્ચનું ટાઇમિંગ ઘણું સારુ છે. આ પોલિસીના મહત્વાકાંક્ષી લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સિમલેસ કનેક્ટિવિટી, સુવિધાજનક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત એક્સપોર્ટની સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા જરૂરી છે. હવે એ જાણી લઇએ કે આ અંગે ઇન્ડસ્ટ્રી લીડર્સ શું કહે છે? ઇન્ડસ્ટ્રી આનાથી કેમ ઉત્સાહિત છે? ઇન્ડસ્ટ્રી લીડર્સના જણાવ્યા અનુસાર આ પોલિસીમાં ભારતના અસંગઠિત લોજિસ્ટિક્સ સેક્ટરને સંગઠિત બનાવવામાં મદદ મળશે. આ પોલિસીથી ફ્યુઅલ ખર્ચમાં ઘટાડો થશે અને જીડીપી ગ્રોથની સાથે-સાથે લોકલ મેન્યુક્ચરિંગને પ્રોત્સાહન મળશે.
મહિન્દ્રા લોજિસ્ટિક્સના MD અને CEO, રામપ્રવિણ સ્વામિનાથનનું કહેવું છે કે NLP થી આખા સેક્ટરને પ્રોત્સાહન મળશે. આ પોલિસીમાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો આવશે અને GDP ગ્રોથ પણ વધશે.
આ પૉલિસીના લાગુ થવામાં પડકારો શું છે?
સવાલ એ પણ છે કે આ પૉલિસીના લાગુ થવામાં પડકારો શું છે? તો અલગ-અલગ મંત્રાલયોની વચ્ચે તાલમેલ બેસાડવો એક મોટો પડકાર છે. આ ઉપરાંત મુખ્ય સ્ટેકહોલ્ડર્સનું એલાઇનમેન્ટ કરવું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સ્પીડ વધારવી પણ મોટો પડકાર છે. એક મોટી ચેલેન્જ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ગતિ સુસ્ત છે. વર્ષ 2015માં શરૂ થયેલા હાઇવે નેટવર્ક માટે ભારતમાલા પ્રોજેક્ટને જ જોઇ લો. આને 2022માં એટલે કે ચાલુ વર્ષે પૂર્ણ કરી દેવાનો હતો પરંતુ તે છ વર્ષ લેટ ચાલી રહ્યો છે એટલે હવે તેના 2028 પહેલા પૂરી થવાની આશા નથી.
આ જ રીતે વોટરવેઝ માટે શરૂ થયેલા સાગરમાલા પ્રોજેક્ટના 802 પ્રોજેક્ટ્સને વર્ષ 2035 સુધી પૂરા કરી દેવાનું ટાર્ગેટ છે. પરંતુ તેના કુલ 181 પ્રોજેક્ટ જ શરૂ થઇ શક્યા છે. આ જ રીતે વર્ષ 2006માં શરૂ થયેલા DFC એટલે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની વાત કરીએ તો તેની પ્રારંભિક ડેડલાઇન વર્ષ 2017 હતી. પરંતુ તેને પાંચ વખત વધારવામાં આવી ચુકી છે. નવું ટાર્ગેટ વર્ષ 2024 છે. આ વિલંબના કારણે 28 હજાર કરોડના આ પ્રોજેક્ટનો ખર્ચ વધીને 1.24 લાખ કરોડ થઇ જવાની આશંકા છે.
એનાલિસ્ટ્સ અને બ્રોકર્સનો મત શું છે?
તો તેમનું કહેવું છે કે લોજિસ્ટિક્સ સેક્ટરમાં રેલવે અને વોટરવેઝની હિસ્સેદારી વધવાથી ખર્ચમાં ઘટાડો થશે. વ્યાજબી અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન પર ફોક્સથી કોન્કોર અને ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સને ફાયદો થશે. ડિજિટાઇઝેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી સંગઠિત કંપનીઓને તેજીથી માર્કેટ શેર વધારવામાં મદદ મળશે જેનાથી મહિન્દ્રા લોજિસ્ટિક્સ, VRL અને TCI Ltd.જેવી કંપનીઓને ફાયદો થશે.
પરંતુ કુલ મળીને જોઇએ તો નવી પોલિસીની અસર થવામાં 5 થી 10 વર્ષનો સમય લાગી શકે છે. આવા સંજોગોમાં ટુંકા ગાળાના બદલે લાંબાગાળા માટે સેક્ટરમાં રોકાણ કરવું યોગ્ય રહશે અને માત્ર પસંદગીના શેરોમાં ઘટાડા પર રોકાણની રણનીતિ બનાવો. જો કે રોકાણ અંગે કોઇપણ અંતિમ નિર્ણય લેતા પહેલા કોઇ નાણાકીય સલાહકારની સલાહ લેવાનું ભુલતા નહીં. મની9 પર નિયમિત રીતે આવતા એક્સપર્ટ પણ તમને આમાં મદદ કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો