Money9: શેર બજારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાં મોટી સંખ્યામાં નાના રોકાણકારોએ એન્ટ્રી કરી છે. વધારે પૈસા કમાવવાનું ઝનૂન લોકોને શેરબજારમાં રોકાણ તો કરાવી જ રહ્યું છે સાથે જ એવા રોકાણકારોની સંખ્યા વધી છે જે ઘણાં જ જોખમકારક ઓપ્શન્સ સેગમેન્ટમાં દાવ લગાવી રહ્યા છે. આંકડા આ વાતની સાક્ષી પૂરી રહ્યા છે.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના જણાવ્યા અનુસાર, નેશનલ સ્ટૉક એક્સચેન્જના F&O સેગમેન્ટમાં ડેઇલી ટર્નઓવરનો 80 ટકા હિસ્સો ઇન્ડેક્સ ઓપ્શન્સનો છે. ઑપ્શન્સ ટ્રેડિંગમાં મોટી કમાણીની તક લોકોને તે તરફ ખેંચી રહી છે. પરંતુ એક મોટો વર્ગ અત્યારે પણ એવો છે જેને ટ્રેડિંગની આ રીત અંગે વધારે ખબર નથી. તો આવો આજે તમારી આ જ મુંઝવણને દૂર કરીએ. અને સમજીએ કે ઓપ્શન્સ ટ્રેડિંગ છેવટે શું છે અને માર્કેટમાં તે કેવી રીતે ચાલે છે?
બે કેટેગરીમાં કારોબાર
NSE અને BSE પર કારોબાર બે પ્રકારની કેટેગરીમાં આવે છે. પહેલું કેશ સેગમેન્ટ અને બીજું ડેરિવેટીવ સેગમેન્ટ. કેશ સેગમેન્ટને મોટાભાગે સામાન્ય રોકાણકારો સારી રીતે સમજે છે અને તેમાં કારોબાર પણ કરે છે. ડેરિવેટિવ માર્કેટમાં હાલના સમયમાં જે ચહલ-પહલ વધી છે તેના કેટલાક કારણો પણ છે. જેમકે તેમાં પ્રાઇસ ડિસ્કવરી, રિસ્ક હેજિંગ, પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન જેવા ફિચર્સ છે.
ડેરિવેટિવ્સ શું હોય છે?
ડેરિવેટિવ એક કૉન્ટ્રાક્ટ હોય છે જેની વેલ્યૂ અંડરલાઇંગ એસેટથી નીકળે છે. આ અંડરલાઇંગ એસેટ શેર, કોમોડિટી, ઇન્ટરેસ્ટ રેટ કે ઇટીએફ..વગેરે કંઇપણ હોઇ શકે છે. આ શોર્ટ ટર્મના નાણાકીય સાધન હોય છે અને તેની એક નિશ્ચિત એક્સપાયરી ડેટ હોય છે. ડેરિવેટિવ ટ્રેડિંગ હેઠળ બજારમાં આ ફાઇનાન્સિયલ એસેટ્સનું ખરીદ-વેચાણ થાય છે.
ડેરિવેટિવ્સ કૉન્ટ્રાક્ટ્સને બે ભાગમાં વહેંચવામાં આવે છે. Futures અને Options. ફ્યૂચર્સ કૉન્ટ્રાક્ટ બાયર અને સેલરની વચ્ચે એવો કૉન્ટ્રાક્ટ હોય છે જેમાં બન્ને એ વાત પર સમંત થાય છે કે તેઓ કોઇ એક ખાસ અંડરલાઇંગ એસેટને ભવિષ્યની કોઇ તારીખે નક્કી કરેલી કિંમતે ખરીદશે કે વેચશે. બીજીબાજુ ઓપ્શન્સ કૉન્ટ્રાક્ટમાં રોકાણકાર કે ખરીદનાર માટે દરેક અંડરલાઇંગ એસેટને ખરીદવી જ પડે એવા બંધનો નથી હોતા. એટલે જો તેને આમાં ફાયદો નથી દેખાઇ રહ્યો તો આ સોદાને તે એક્સપાયર થવા દઇ શકે છે.
options અને futures કૉન્ટ્રાક્ટમાં મુખ્ય તફાવત એ હોય છે કે ફ્યૂચર્સમાં તમારે લીગલ કરાર અનુસાર એક્સપાયરી ડેટ પહેલાં ખરીદી કે વેચાણ કરવું જ પડે છે. જ્યારે options કૉન્ટ્રાક્ટમાં તમે તમારી મરજીથી નિર્ણય લઇ શકો છો. એટલે ઇચ્છો તો ખરીદી કે વેચાણ કરો કે પછી કૉન્ટ્રાક્ટને એક્સપાયર થવા દો.
options ટ્રેડિંગના બે મુખ્ય ફાયદા શું છે?
options ટ્રેડિંગના બે મુખ્ય ફાયદા હોય છે- લીવરેજિંગ અને હેજિંગ Options trading માં તમને લીવરેજ કરવામાં મદદ મળે છે. એનો અર્થ એ કે તમે શેરોની બદલાતી કિંમતથી નફો કમાઇ શકો છો. એટલે કે તમને શેરોની ખરીદી કર્યા વગર તેની કિંમતોમાં થતા ફેરફારનો લાભ મળે છે. બીજો ફાયદો હોય છે હેજિંગ એટલે કે જોખમથી બચવાનો… options ટ્રેડિંગ દ્વારા તમે શેરોની કિંમતોને ઉતાર-ચડાવથી બચાવી શકો છો અને તેનાથી તમે એ નક્કી કરી શકો છો કે કોઇ ખાસ ડેટ પર પૂર્વ નિર્ધારિત કિંમતે શેરોનું ખરીદ-વેચાણ કરશો. એટલે કે options કારોબાર દ્વારા તમે બજારના ઉતાર-ચડાવથી બચી શકો છો.
Proficient equities (પ્રોફિસિઅન્ટ ઇક્વિટીઝ)ના ફાઉન્ડર અને ડાયરેક્ટર મનોજ ડાલમિયા કહે છે કે ઓપ્શન્સ એવા ડેરિવેટિવ હોય છે જે સ્વાભાવિક રીતે જ ઘટતા બજારમાં લીવરેજ્ડ હોય છે. રોકાણકાર કેશ માર્કેટમાં શોર્ટ પોઝિશન નથી લઇ શકતા. આના માટે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સનો સહારો લેવો પડે છે. આ જ રીતે ઑપ્શન્સ કારોબારમાં માર્જિનની જરૂરિયાત પણ ઓછી પડે છે. આનું કારણ ઘટતા બજારમાં તે રોકાણકારોમાં ખુબ જ લોકપ્રિય થઇ જાય છે.
કેમ દૂર રહેવાની સલાહ અપાય છે
હવે ઘણાં લોકોના મનમાં સવાલ આવે કે શું એક સામાન્ય રોકાણકારે આ ટ્રેડિંગમાં હાથ અજમાવવો જોઇએ. સવાલ એ પણ છે કે જો આ ધંધો આટલો જ નફાવાળો છે તો મોટાભાગના ફાઇનાન્સિયલ એડવાઇઝર આનાથી દૂર રહેવાની સલાહ કેમ આપે છે. હકીકતમાં આ બિઝનેસમાં ભારે નુકસાન કે ભારે ફાયદો થાય છે. આ ઘણું ટેક્નિકલ હોય છે અને આના માટે વધારે રિસર્ચ તેમજ જાણકારીની જરૂર પડે છે. હકીકતમાં હાલના વર્ષોમાં શેર બજારમાં ઘણાં ઉતાર-ચડાવનો તબક્કો જોવા મળ્યો છે. મોંઘવારી ઘણી ઉંચી છે આના કારણે ઘણાં એક્સપર્ટને લાગે છે કે આ પ્રકારની પ્રોડક્ટમાં હવે પરિપક્વતા આવી છે અને તે બજારમાં ઉતાર-ચડાવને ઘટાડવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
પરંતુ, ટ્રેડિંગ માત્ર options ની સમગ્ર જાણકારી અને જોખમ સંચાલનની સાથે જ થવું જોઇએ. જો આમ ન થયું તો ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે Options કારોબાર ઘણો જોખમકારક હોય છે. જો આ સાધનોનો યોગ્ય ઉપયોગ ન થયો તો રોકાણકારની બધી મૂડી સાફ થઇ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો