Money9: શેરબજારમાં નસીબ અજમાવવાની તૈયારી કરી રહેલા સુમિતે મન બનાવી લીધું છે કે તે માત્ર SME કંપનીઓના શેરમાં જ રોકાણ કરવાનું શરૂ કરશે. સુમિતના આત્મવિશ્વાસ પાછળનું કારણ છેલ્લા 2 વર્ષમાં SME કંપનીઓના IPOનું સારું પ્રદર્શન છે. છેલ્લા 2 વર્ષમાં, SME સેક્ટરમાં કુલ 163 IPO આવ્યા છે… જેમાંથી 41 IPO તેની ઇશ્યૂ કિંમતથી નીચે ટ્રેડ કરી રહ્યાં છે… અને આમાંથી પણ માત્ર એક SME IPO છે… જે છે 50 ટકાથી વધુ તૂટ્યો છે.
17 નવેમ્બર, 2023 સુધીના ડેટા દર્શાવે છે કે આમાંથી એક આઈપીઓ હજુ લિસ્ટ નથી થયો… એક કંપની મેઈનબોર્ડ પર શિફ્ટ થઈ ગઈ છે… અને એક કંપનીમાં ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. પરંતુ જો આપણે સારું રિટર્ન આપતી કંપનીઓની વાત કરી તો 163માંથી 65 એવી કંપનીઓ છે… જે 2 ગણાથી વધુ રિટર્ન આપી રહી છે. અને આ સારી કામગીરી કરનારી 65 કંપનીઓમાં 2 એવી કંપનીઓ છે જે 10 ગણાથી પણ વધુ કમાણી કરાવી ચૂકી છે. અને એ પણ 2 વર્ષથી ઓછા સમયમાં.
સૌથી મહત્વની વાત એ છે કે આ કુલ 163માંથી 120 કંપનીઓ એવી છે જે તેમની ઈશ્યુ પ્રાઇસથી ઉપર ટ્રેડ કરી રહી છે. આનો અર્થ એ થયો કે છેલ્લા બે વર્ષમાં લગભગ 75 ટકા SME IPO તેમની ઇશ્યૂ કિંમતથી ઉપર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યાં રોકાણકારો પૈસા કમાઈ રહ્યાં છે. પરંતુ SME કંપનીઓનો આ મજબૂત ટ્રેક રેકોર્ડ હોવા છતાં સુમિતના બ્રોકર અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જયેશે તેને આમ કરવાની બિલકુલ ના પાડી દીધી. આનાથી સુમિત એકદમ નિરાશ દેખાતો હતો અને તેણે જયેશને કહ્યું કે આંકડા બૂમો પાડીને કહી રહ્યા છે કે પૈસા કમાવવાની 75 ટકા અને પૈસા બમણા થવાની લગભગ 40 ટકા શક્યતા છે.
તો આવી સ્થિતિમાં સુમિતના મનમાં પ્રશ્ન છે કે શા માટે એસએમઈ કંપનીઓમાં રોકાણ કરવું આટલું જોખમી છે અને લોકો તેમાં રોકાણ કરવાથી શા માટે ડરે છે?
આ અંગે માર્કેટ એક્સપર્ટ સંતોષ સિંઘનું માનવું છે કે પ્રાઇસ એક્શન ઉપરાંત, ફંડામેન્ટલ્સ અને લિક્વિડિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે… કારણ કે SME કંપનીઓમાં રોકાણની લઘુત્તમ રકમ 1.25 લાખ રૂપિયા છે. પરંતુ આ શેરોમાં માંગ અને પુરવઠાનો મોટો ઇશ્યૂ રહેતો હોય છે. તેથી જ આ કંપનીઓના IPOમાં માર્કેટ મેકર જરૂરી હોય છે. જેની ભૂમિકા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર જ ભજવે છે… આ જ કારણ છે કે આ કંપનીઓના શેરમાં ઘણી હેરાફેરી એટલે કે મેનિપ્યુલેશન થાય છે.
પરંતુ આંકડા દર્શાવે છે કે આ કંપનીઓમાં પૈસા તો બન્યા છે… તો સુમિતના મનમાં એક બીજો પ્રશ્ન છે કે જો કોઈ આ કંપનીઓમાં રોકાણ કરે છે તો તેણે આ કંપનીઓમાંથી ક્યારે નીકળી જવું જોઈએ અથવા એક્ઝિટ કરી લેવું જોઈએ?
સંતોષ સિંહના મતે… SME કંપનીઓના IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા જ એ નક્કી કરી લેવું જોઇએ કે ક્યારે બહાર નીકળવાનું છે.. કારણ કે આ ક્ષેત્રમાં રેગ્યુલેશન ઘણું ઓછું છે. જો તમે લિસ્ટિંગ પર સારી કમાણી કરી રહ્યાં હોવ તો લઇને નીકળી જવું જોઈએ અને જો તમને કંપનીના બિઝનેસની સારી જાણકારી હોય અને લાંબુ હોલ્ડ કરવા માંગો છો તો તે કંપનીના ત્રિમાસિક પરિણામો પર બારીકાઇથી નજર રાખો.
પરંતુ સુમિતના મનમાં હજુ પણ એક પ્રશ્ન વારંવાર આવી રહ્યો છે અને તે એ કે જય જલારામ ટેક અને કૂલ કેપ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રદર્શનને જોતા આ બંને કંપનીઓએ 1,000 થી 1,200 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. પ્રશ્ન એ છે કે SME ક્ષેત્રની કંપનીઓ કેવી રીતે પસંદ કરવી જોઈએ… કારણ કે દરેક કંપની ખરાબ નથી હોતી..કેટલીક કંપનીઓ સારી પણ છે જે મલ્ટી બેગર બને છે.
સંતોષ સિંહનું કહેવું છે કે ડ્રોન, EMS એટલે કે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ, કેબલ અને વાયર, પાઈપ સેક્ટરની કંપનીઓમાં વેલ્યુએશન જોઈને દાવ લગાવી શકાય છે… એટલે કે જેમનું વેલ્યુએશન સારું છે તેઓ લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે.
એકંદરે, SME કંપનીઓના શેર અથવા IPO અંગેનો નિર્ણય માત્ર પહેલેથી જ લિસ્ટેડ કંપનીઓના પ્રદર્શનના આધારે ન લેવો જોઈએ. આ ઉપરાંત, ફંડામેન્ટલ્સ, પરિણામો અને લિક્વિડિટી વગેરેને પણ જરૂર ધ્યાનમાં રાખવા જોઇએ. કારણ કે SME શેર્સમાં મેનિપ્યુલેશનનું જોખમ ઘણું વધારે હોય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો